Breaking News : આતુરતાનો આવ્યો અંત, Madhya Pradeshના CMની BJPએ કરી જાહેરાત, જાણો કોને સોંપાઈ જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-12-11 17:44:08

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વિકારી લેવામાં આવ્યો હતો.આ જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.


MPને મળ્યા બે ડેપ્યુટી સીએમ


છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી છે. વાસ્તવમાં, એમપીમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. આ જવાબદારી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.આ મહત્વનો નિર્ણય લેતા પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની એક ટીમ ભોપાલ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણના નામ સામેલ છે.


આ નેતાઓ પણ હતા દાવેદાર


મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણની સાથે-સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ અને વીડી શર્માનું નામ પણ સામેલ હતું. મોહન યાદવનું નામ પણ આ રેસમાં સામેલ નહોતું. એટલું જ નહીં, ધારાસભ્ય દળની બેઠક પહેલા યોજાયેલા ફોટો સેશનમાં મોહન યાદવ પણ પાછળની હરોળમાં બેઠા હતા.


ભાજપે જીતી છે 163 બેઠકો


ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. રાજ્યમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાટાની ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, ત્યાં કોંગ્રેસનો સફાયો થયો હતો. મધ્યપ્રદેશમાં, ભાજપે 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ, કમલનાથના ચહેરા પર લડી રહી હતી, તે માત્ર 66 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે