Breaking News : આતુરતાનો આવ્યો અંત, Madhya Pradeshના CMની BJPએ કરી જાહેરાત, જાણો કોને સોંપાઈ જવાબદારી?


  • Published By :
  • Published Date : 2023-12-11 17:44:08

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદ કોણ સંભાળશે તે અંગે ઘણા દિવસોથી ચાલી રહેલા સસ્પેન્સનો આજે અંત આવ્યો છે. ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામ પર સર્વસંમતિ સધાઈ છે. મોહન યાદવ ઉજ્જૈન દક્ષિણના ધારાસભ્ય છે. મોહન યાદવ સંઘના નજીકના હોવાનું કહેવાય છે. મળતી માહિતી મુજબ શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળની બેઠકમાં મોહન યાદવના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને સ્વિકારી લેવામાં આવ્યો હતો.આ જાહેરાત સાથે તમામ અટકળોનો અંત આવી ગયો છે. હવે રાજ્યની કમાન મોહન યાદવના હાથમાં રહેશે.


MPને મળ્યા બે ડેપ્યુટી સીએમ


છત્તીસગઢની જેમ મધ્યપ્રદેશમાં પણ ભાજપે સરકાર બનાવી છે. વાસ્તવમાં, એમપીમાં પણ બે ડેપ્યુટી સીએમ હશે. આ જવાબદારી જગદીશ દેવરા અને રાજેન્દ્ર શુક્લાને સોંપવામાં આવી છે. આ સાથે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર સિંહ તોમરને વિધાનસભા અધ્યક્ષ પદની જવાબદારી સોંપવામાં આવી છે.આ મહત્વનો નિર્ણય લેતા પહેલા ભાજપ હાઈકમાન્ડે આજે નિરીક્ષકોની એક ટીમ ભોપાલ મોકલી હતી. જેમાં હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, આશા લાકરા અને કે લક્ષ્મણના નામ સામેલ છે.


આ નેતાઓ પણ હતા દાવેદાર


મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી પદની રેસમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણની સાથે-સાથે જ્યોતિરાદિત્ય સિંધિયા, નરેન્દ્ર સિંહ તોમર, કૈલાશ વિજયવર્ગીય, પ્રહલાદ પટેલ અને વીડી શર્માનું નામ પણ સામેલ હતું. મોહન યાદવનું નામ પણ આ રેસમાં સામેલ નહોતું. એટલું જ નહીં, ધારાસભ્ય દળની બેઠક પહેલા યોજાયેલા ફોટો સેશનમાં મોહન યાદવ પણ પાછળની હરોળમાં બેઠા હતા.


ભાજપે જીતી છે 163 બેઠકો


ઉલ્લેખનિય છે કે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જંગી બહુમતી હાંસલ કરી હતી. રાજ્યમાં જ્યાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાટાની ટક્કર થશે તેવું માનવામાં આવી રહ્યું હતું, ત્યાં કોંગ્રેસનો સફાયો થયો હતો. મધ્યપ્રદેશમાં, ભાજપે 163 બેઠકો જીતી હતી, જ્યારે કોંગ્રેસ, કમલનાથના ચહેરા પર લડી રહી હતી, તે માત્ર 66 બેઠકો પર જ સમેટાઈ ગઈ હતી.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.