Breaking News : આતુરતાનો આવ્યો અંત, આ તારીખે યોજાશે લોકસભા ચૂંટણી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-16 16:32:45

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે. 543 બેઠકો માટે ચૂંટણી થવાની છે. ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી ગઈ છે. 97 કરોડ રજિસ્ટર્ડ મતદાતાઓ છે. 1.05 લાખ મતદાન બૂથ પર મતદાન થશે. 55 લાખ ઈવીએમનો ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગ કરાશે. 49.7 કરોડ પુરૂષ મતદાતાઓ છે જ્યારે 47.1 કરોડ સ્ત્રી મતદાતાઓ છે. દેશમાં પ્રથમવાર 85 વર્ષથી ઉપરના તમામ અને શારીરિક રીતે અસક્ષમ હોય તેવા લોકો પાસે જઈને તેમનો મત લેવાશે. સાત તબક્કામાં યોજાશે લોકસભા ચૂંટણી. 543 લોકસભા બેઠક માટે લોકસભા ચૂંટણી યોજાવાની છે. પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે, બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના રોજ થશે, ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ, ચોથા તબક્કાનું મતદાન 13 મેના રોજ, પાંચમાં તબક્કાનું મતદાન 20 મેના રોજ, છઠ્ઠા તબક્કાનું મતદાન 25 મેના રોજ જ્યારે સાતમા તબક્કાનું મતદાન 1 જૂને થવાનું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. સાત મેના રોજ ગુજરાતમાં ચૂંટણી યોજાવાની છે. ચોથી જૂનના રોજ ચૂંટણીનું પરિણામ આવશે. 

       



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.