Breaking News : Gujarat BJPમાં ચાલી રહ્યા છે આંતરિક ડખા! ભાજપના પ્રદેશ મહામંત્રીએ પદ પરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-08-05 13:07:44

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલના જૂથને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સી.આર.પાટીલ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બધા વચ્ચે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. અચાનક મહામંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ ઉભી થઈ રહી છે. રાજકીય વર્તુળમાં એવા પણ તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે કે પાટીલ સામે પત્રિકાયુદ્ધનો ભોગ પ્રદિપસિંહ વાઘેલા બન્યા છે. જ્યારે પ્રદીપસિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે રાજીનામું અઠવાડિયા પહેલા જ આપી દીધું હતું. મળતી માહિતી અનુસાર બીજેપીના રાષ્ટ્રીય સંગઠને તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. પાર્ટી દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અંગતકારણોસર પદ પરથી રાજીનામું આપી દીધું છે.  


ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું!

ભારતીય જનતા પાર્ટી હમેશા પોતાના સંગઠન અને શિસ્તતા માટે જાણીતી પાર્ટી છે. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ જ્યારે કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો બધા સહેમત થઈ જાય છે પણ એ જ બીજેપીમાં હવે ભંગાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજેપીના એ નેતા જે દરેક કાર્યકમમાં આગળ હોય છે, તેવા પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપી દીધું કે લઈ લેવાયું છે તે એક મોટો સવાલ છે. વર્ષો પહેલા પણ આવુ જ કંઈક ભાજપમાં થયું હતું અને ફરીથી ભાજપમાં જુથવાદ હોવાનું સામે આવ્યું છે. આમ તો પ્રદીપ સિંહના રાજીનામાં પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે.  કહેવાય છે કે પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતા રાજીનામું ધરી દીધું છે.


પેનડ્રાઈવ કેસમાં આવી રહ્યા છે ભાજપના નેતાઓના નામ!

પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. બીજી વાત એ પણ સામે આવી હતી કે તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થઈ હતી એટલે આ પણ કારણ હોય શકે અને છેલ્લું ને સૌથી વધારે ચર્ચામાં આવતું કારણ એ કે , સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદીપસિંહનું નામ શંકાના ઘેરામાં છે. એટલે આમ નાના મોટા 2-3 કારણો ભેગા કરીએ તો પણ સૌથી સ્ટ્રોંગ કારણ એ છે કે પાટિલ પત્રિકા વાળા કેસમાં જેમ જિનેન્દ્ર શાહએ કહ્યું હતું કે બીજા અનેક અંદરના નેતાઓ છે એમ એક બાદ એક પત્તા ખૂલતાં જઈ રહ્યા છે. જેમાં પહેલા ગણપત વસાવા પછી રાજૂ સોલંકી અને હવે પ્રદીપસિંહ પણ શકના દાયરામાં છે. 


નરેન્દ્ર મોદી સાથે પણ કંઈક આવું જ થયું હતું!

પ્રદીપ સિંહએ મહામંત્રી પદથી રાજીનામું આપ્યું છે, પાર્ટીથી નહીં પરંતુ પોતાના પદ ઉપરથી. વર્ષો પહેલા નરેન્દ્ર મોદી સાથે પણ કઈક આવું થયું હતું ત્યારે સરકારની છબી ખરાબ કરવાના આરોપ હતા જ્યારે પ્રદીપસિંહના કેસમાં પાર્ટી અધ્યક્ષની છબી ખરાબ કરવાના આરોપ છે એટલે વર્ષો પછી ફરી ભાજપમાં એ જુથવાદ દેખાય છે જેના કારણે ભાજપનો યાદવાસ્થળી દેખાય છે પણ આ બધી આગ લાગવાની શરૂઆત એક વીડિયો એક વ્યક્તિથી થઈ જેમાં જિનેન્દ્ર શાહ નામના વ્યક્તીએ સી.આર.પાટિલ પર ગંભીર આરોપો લગાવ્યા કે પાટિલે કરોડો રૂપીયા ચાઉ કરી ગયા છે પછી તે પેનડ્રાઇવ અનેક નેતાઓ સુધી પહોંચી તપાસમાં સામે આવ્યું કે પાટિલની ઇમેજ બગળવા પાછળ પક્ષનાજ બીજા નેતા અને હવે જુથવાદ ચરમસીમાએ છે કે લોકોના રાજીનામાં લઈ લેવામાં આવી રહ્યા છે હવે આ જુથવાદ bjpને ક્યા લઈ જશે તે જોવાનું રહ્યું...  



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.