Breaking News : Gujarat BJPમાં ચાલી રહ્યા છે આંતરિક ડખા! ભાજપના પ્રદેશ મહામંત્રીએ પદ પરથી આપ્યું રાજીનામું


  • Published By :
  • Published Date : 2023-08-05 13:07:44

છેલ્લા ઘણા સમયથી ભાજપમાં આંતરિક ડખા ચાલી રહ્યા છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સી.આર.પાટીલના જૂથને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સી.આર.પાટીલ ઘણા સમયથી ચર્ચામાં છે. આ બધા વચ્ચે પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે. અચાનક મહામંત્રી પદ ઉપરથી રાજીનામું આપી દેતા અનેક ચર્ચાઓ ઉભી થઈ રહી છે. રાજકીય વર્તુળમાં એવા પણ તર્ક વિતર્ક સાંભળવા મળી રહ્યા છે કે પાટીલ સામે પત્રિકાયુદ્ધનો ભોગ પ્રદિપસિંહ વાઘેલા બન્યા છે. જ્યારે પ્રદીપસિંહનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે ખુલાસો કર્યો કે તેમણે રાજીનામું અઠવાડિયા પહેલા જ આપી દીધું હતું. મળતી માહિતી અનુસાર બીજેપીના રાષ્ટ્રીય સંગઠને તેમના રાજીનામાનો સ્વીકાર પણ કરી લીધો છે. પાર્ટી દ્વારા આપવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમણે અંગતકારણોસર પદ પરથી રાજીનામું આપી દીધું છે.  


ભાજપમાં જૂથવાદ હોવાનું સામે આવ્યું!

ભારતીય જનતા પાર્ટી હમેશા પોતાના સંગઠન અને શિસ્તતા માટે જાણીતી પાર્ટી છે. નાના કાર્યકર્તાથી લઈને મોટા નેતાઓ જ્યારે કોઈ પણ નિર્ણય લેવાયો હોય તો બધા સહેમત થઈ જાય છે પણ એ જ બીજેપીમાં હવે ભંગાણ થઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. બીજેપીના એ નેતા જે દરેક કાર્યકમમાં આગળ હોય છે, તેવા પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપી દીધું કે લઈ લેવાયું છે તે એક મોટો સવાલ છે. વર્ષો પહેલા પણ આવુ જ કંઈક ભાજપમાં થયું હતું અને ફરીથી ભાજપમાં જુથવાદ હોવાનું સામે આવ્યું છે. આમ તો પ્રદીપ સિંહના રાજીનામાં પાછળ અનેક કારણો સામે આવી રહ્યા છે.  કહેવાય છે કે પ્રદીપસિંહના રાજીનામાની છેલ્લા ચાર-પાંચ દિવસથી જોરશોરથી ચર્ચાઓ રાજકીય ક્ષેત્રે ચાલી રહી હતી. છેવટે સમર્થન મળતા રાજીનામું ધરી દીધું છે.


પેનડ્રાઈવ કેસમાં આવી રહ્યા છે ભાજપના નેતાઓના નામ!

પ્રદેશ અધ્યક્ષની સૂચનાથી સાત દિવસ પહેલા જ રાજીનામું આપી દીધું છે તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે. બીજી વાત એ પણ સામે આવી હતી કે તેઓ ગુજરાતનાં એક મોટા જમીન કૌભાંડમાં સપડાયા છે. જેની ફરિયાદ છેક PMO સુધી થઈ હતી એટલે આ પણ કારણ હોય શકે અને છેલ્લું ને સૌથી વધારે ચર્ચામાં આવતું કારણ એ કે , સૂરતમાં જે પેનડ્રાઇવ વહેંચવામાં આવી અને પોલીસ રાજુ સોંલકીનું ઇન્વેસ્ટીગેશન કરી રહી છે તે કેસમાં પણ પ્રદીપસિંહનું નામ શંકાના ઘેરામાં છે. એટલે આમ નાના મોટા 2-3 કારણો ભેગા કરીએ તો પણ સૌથી સ્ટ્રોંગ કારણ એ છે કે પાટિલ પત્રિકા વાળા કેસમાં જેમ જિનેન્દ્ર શાહએ કહ્યું હતું કે બીજા અનેક અંદરના નેતાઓ છે એમ એક બાદ એક પત્તા ખૂલતાં જઈ રહ્યા છે. જેમાં પહેલા ગણપત વસાવા પછી રાજૂ સોલંકી અને હવે પ્રદીપસિંહ પણ શકના દાયરામાં છે. 


નરેન્દ્ર મોદી સાથે પણ કંઈક આવું જ થયું હતું!

પ્રદીપ સિંહએ મહામંત્રી પદથી રાજીનામું આપ્યું છે, પાર્ટીથી નહીં પરંતુ પોતાના પદ ઉપરથી. વર્ષો પહેલા નરેન્દ્ર મોદી સાથે પણ કઈક આવું થયું હતું ત્યારે સરકારની છબી ખરાબ કરવાના આરોપ હતા જ્યારે પ્રદીપસિંહના કેસમાં પાર્ટી અધ્યક્ષની છબી ખરાબ કરવાના આરોપ છે એટલે વર્ષો પછી ફરી ભાજપમાં એ જુથવાદ દેખાય છે જેના કારણે ભાજપનો યાદવાસ્થળી દેખાય છે પણ આ બધી આગ લાગવાની શરૂઆત એક વીડિયો એક વ્યક્તિથી થઈ જેમાં જિનેન્દ્ર શાહ નામના વ્યક્તીએ સી.આર.પાટિલ પર ગંભીર આરોપો લગાવ્યા કે પાટિલે કરોડો રૂપીયા ચાઉ કરી ગયા છે પછી તે પેનડ્રાઇવ અનેક નેતાઓ સુધી પહોંચી તપાસમાં સામે આવ્યું કે પાટિલની ઇમેજ બગળવા પાછળ પક્ષનાજ બીજા નેતા અને હવે જુથવાદ ચરમસીમાએ છે કે લોકોના રાજીનામાં લઈ લેવામાં આવી રહ્યા છે હવે આ જુથવાદ bjpને ક્યા લઈ જશે તે જોવાનું રહ્યું...  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.