Breaking News - રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-10-23 18:17:49

પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે... પાકને લણવાનો સમય જ્યારે આવ્યો ત્યારે વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.. જગતના તાત બેહાલ થઈ ગયા છે.. સરકાર જલ્દી સહાય નક્કી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.. અનેક ખેડૂતોએ સરકારને રજૂઆત પણ કરી છે.. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.. 

1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર!

હાલ દિવાળીના સમયમાં પણ વરસાદ વરસી રહ્યો છે.. વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે... મગફળી, કપાસ જેવા પાકોને ખૂબ નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે.. વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસના પાક માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. 6 હજાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ રાહત પેકેજને કારણે 7 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે.... જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે મળે છે?



રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.