Breaking News - રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-10-23 18:17:49

પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે... પાકને લણવાનો સમય જ્યારે આવ્યો ત્યારે વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.. જગતના તાત બેહાલ થઈ ગયા છે.. સરકાર જલ્દી સહાય નક્કી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.. અનેક ખેડૂતોએ સરકારને રજૂઆત પણ કરી છે.. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.. 

1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર!

હાલ દિવાળીના સમયમાં પણ વરસાદ વરસી રહ્યો છે.. વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે... મગફળી, કપાસ જેવા પાકોને ખૂબ નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે.. વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસના પાક માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. 6 હજાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ રાહત પેકેજને કારણે 7 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે.... જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે મળે છે?



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.