Breaking News - રાજ્ય સરકારે ખેડૂતો માટે 1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર, જાણો વિગતવાર


  • Published By :
  • Published Date : 2024-10-23 18:17:49

પાછોતરા વરસાદને કારણે જગતના તાતની હાલત કફોડી બની છે... પાકને લણવાનો સમય જ્યારે આવ્યો ત્યારે વરસાદ પડ્યો જેને કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો.. જગતના તાત બેહાલ થઈ ગયા છે.. સરકાર જલ્દી સહાય નક્કી કરે તેવી માગ ખેડૂતો કરી રહ્યા છે.. અનેક ખેડૂતોએ સરકારને રજૂઆત પણ કરી છે.. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.. ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાની માટે સરકારે સહાય જાહેર કરી.. 1419.62 કરોડનું રાહત પેકેજ સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.. 

1419 કરોડનું રાહત પેકેજ કર્યું જાહેર!

હાલ દિવાળીના સમયમાં પણ વરસાદ વરસી રહ્યો છે.. વરસાદને કારણે ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે... મગફળી, કપાસ જેવા પાકોને ખૂબ નુકસાન થયું છે.. ત્યારે સરકાર દ્વારા આજે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે... ઓગસ્ટ મહિનામાં થયેલા નુકસાન અંગે રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. સરકારે 1419.62 કરોડનું રાહત પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યું છે.. વરસાદને કારણે મગફળી, ડાંગર, કપાસના પાક માટે પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.. 6 હજાર ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.. આ રાહત પેકેજને કારણે 7 લાખ જેટલા ખેડૂતોને આનો લાભ મળશે.... જોવાનું રહ્યું કે ખેડૂતોને ક્યારે મળે છે?



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.