Breaking News : મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને Supreme Courtએ આપી મોટી રાહત, શરતી જામીન તો મળ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-22 13:11:07

થોડા વર્ષો પહેલા મોરબીમાં એક મોટી હૃદયદ્રાવક ઘટના બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક પડી ગયો હતો અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. જયસુખ પટેલ પોલીસ કસ્ટડીમાં હતા. જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અને તે અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી હતી.  

હાઈકોર્ટે અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જયસુખ પટેલ 

મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 2022માં તૂટી પડ્યો હતો. 135 લોકોના મોત આ દુર્ઘટનામાં થયા હતા. દિવાળીનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આટલો સમય થયો એટલે કદાચ આપણે આ ઘટનાને ભૂલી ગયા હોઈશું પરંતુ તે પરિવારો આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી થશે જેમાં તેમણે પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા. જયસુખ પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ પટેલ અનેક દિવસોથી જેલમાં હતા. હાઈકોર્ટમાં જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી. તે બાદ જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે જામીન અરજીને સ્વીકારી લીધી છે અને તેમને શરતી જામીન મળી ગયા છે. 


મોરબીની કોર્ટ કરશે જામીનની અરજી નક્કી

ઓરેવાના માલિક જયસુખ પટેલને શરતી જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બની તે બાદથી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ફરાર હતા. આ કેસમાં પોલીસે ગુન્હો દાખલ કરી 9 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કાર્યવાહી કરી ત્યારથી જયસુખ પટેલ ફરાર હતા. થોડા દિવસો સુધી તે ફરાર રહ્યા અને તે બાદ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. અંદાજીત 14 મહિનાથી ઝુલતા બ્રિજનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન મંજૂર કર્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે.    




દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.