Breaking News : મોરબી પુલ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલને Supreme Courtએ આપી મોટી રાહત, શરતી જામીન તો મળ્યા પરંતુ...


  • Published By :
  • Published Date : 2024-03-22 13:11:07

થોડા વર્ષો પહેલા મોરબીમાં એક મોટી હૃદયદ્રાવક ઘટના બની હતી. મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ અચાનક પડી ગયો હતો અને અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા. તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. 30 ઓક્ટોબર 2022ના રોજ બનેલી ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતા. જયસુખ પટેલ પોલીસ કસ્ટડીમાં હતા. જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. અને તે અરજીને સુપ્રીમ કોર્ટે સ્વીકારી લીધી છે અને જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે. મહત્વનું છે કે હાઈકોર્ટે તેમની જામીન અરજીને ફગાવી દીધી હતી.  

હાઈકોર્ટે અરજી ફગાવી દેતા સુપ્રીમ કોર્ટ પહોંચ્યા હતા જયસુખ પટેલ 

મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ 2022માં તૂટી પડ્યો હતો. 135 લોકોના મોત આ દુર્ઘટનામાં થયા હતા. દિવાળીનો તહેવાર અનેક પરિવારો માટે માતમમાં ફેરવાઈ ગયો હતો. આટલો સમય થયો એટલે કદાચ આપણે આ ઘટનાને ભૂલી ગયા હોઈશું પરંતુ તે પરિવારો આ ઘટનાને ક્યારેય નહીં ભૂલી થશે જેમાં તેમણે પોતાના પરિવારના સ્વજનને ગુમાવ્યા હતા. જયસુખ પટેલની આ મામલે ધરપકડ કરવામાં આવી હતી. જયસુખ પટેલ અનેક દિવસોથી જેલમાં હતા. હાઈકોર્ટમાં જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી હતી. તે બાદ જામીન માટે જયસુખ પટેલે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા અને સુપ્રીમ કોર્ટે જામીન અરજીને સ્વીકારી લીધી છે અને તેમને શરતી જામીન મળી ગયા છે. 


મોરબીની કોર્ટ કરશે જામીનની અરજી નક્કી

ઓરેવાના માલિક જયસુખ પટેલને શરતી જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવ્યા છે. મોરબી બ્રિજ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બની તે બાદથી ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલ ફરાર હતા. આ કેસમાં પોલીસે ગુન્હો દાખલ કરી 9 લોકોની ધરપકડ કરી હતી. જ્યારે પોલીસે આ કાર્યવાહી કરી ત્યારથી જયસુખ પટેલ ફરાર હતા. થોડા દિવસો સુધી તે ફરાર રહ્યા અને તે બાદ તેમણે કોર્ટમાં આત્મસમર્પણ કર્યું. અંદાજીત 14 મહિનાથી ઝુલતા બ્રિજનો મુખ્ય આરોપી જયસુખ પટેલ જેલમાં હતા. ત્યારે આજે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન મંજૂર કર્યા છે. મળતી માહિતી અનુસાર મોરબીની કોર્ટ જામીનની શરતો નક્કી કરશે.    




અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.