Breaking News : NEETની પરીક્ષાને લઈ Supreme Courtએ આપ્યો મહત્વનો નિર્ણય, આ ઉમેદવારોને ફરી આપવી પડશે પરીક્ષા..


  • Published By :
  • Published Date : 2024-06-13 12:08:42

NEET UGના પરિણામને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી..સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા એનટીએને નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.. અને આ પરીક્ષા 23 જૂને લેવાશે અને તેનું પરિણામ 30 જૂને આવશે..   


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને લઈ આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવામાં આવ્યું છે.. આ નિર્ણયને કારણે 1563 ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.. જો ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપે તો તેને ગ્રેસ માર્ક નહીં મળે.. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે.. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરાયો છે.. 23 જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે.



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.