Breaking News : NEETની પરીક્ષાને લઈ Supreme Courtએ આપ્યો મહત્વનો નિર્ણય, આ ઉમેદવારોને ફરી આપવી પડશે પરીક્ષા..


  • Published By :
  • Published Date : 2024-06-13 12:08:42

NEET UGના પરિણામને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી..સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા એનટીએને નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.. અને આ પરીક્ષા 23 જૂને લેવાશે અને તેનું પરિણામ 30 જૂને આવશે..   


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને લઈ આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવામાં આવ્યું છે.. આ નિર્ણયને કારણે 1563 ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.. જો ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપે તો તેને ગ્રેસ માર્ક નહીં મળે.. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે.. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરાયો છે.. 23 જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.