Breaking News : NEETની પરીક્ષાને લઈ Supreme Courtએ આપ્યો મહત્વનો નિર્ણય, આ ઉમેદવારોને ફરી આપવી પડશે પરીક્ષા..


  • Published By :
  • Published Date : 2024-06-13 12:08:42

NEET UGના પરિણામને લઈ સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી..સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કાઉન્સેલિંગ પર રોક લગાવાનો ઈન્કાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા એનટીએને નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માગવામાં આવ્યો હતો. આ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1563 ઉમેદવારોને ગ્રેસ માર્ક્સ આપવામાં આવ્યા હતા તેમને ફરીથી પરીક્ષા આપવી પડશે.. અને આ પરીક્ષા 23 જૂને લેવાશે અને તેનું પરિણામ 30 જૂને આવશે..   


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?

સુપ્રીમ કોર્ટમાં નીટની પરીક્ષાને લઈ આજે ફરી એક વખત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવી પડશે.. ગ્રેસ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓનું પરિણામ રદ્દ કરવામાં આવ્યું છે.. આ નિર્ણયને કારણે 1563 ઉમેદવારોને ફરીથી પરીક્ષા આપવી પડશે.. જો ઉમેદવારો ફરીથી પરીક્ષા નહીં આપે તો તેને ગ્રેસ માર્ક નહીં મળે.. આવા વિદ્યાર્થીઓ માટે ગ્રેસ માર્ક વિના નવું સ્કોર કાર્ડ જાહેર કરવામાં આવશે.. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા કાઉન્સિલિંગ પર રોક લગાવવાનો ઈન્કાર કરાયો છે.. 23 જૂને ફરીથી આ પરીક્ષા લેવામાં આવશે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.