Breaking News : પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત, ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-17 11:41:43

પશ્ચિમ બંગાળમાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ જેમાં બે ટ્રેન એક બીજા સાથે અથડાઈ છે.. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવતી એક માલગાડીએ ટક્કર મારી દીધી જેને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.  સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.  કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ મામલે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. 


પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા

થોડા સમય પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે જેમાં પાંચથી વધારે લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.. કંજનચંગા એક્સપ્રેસ ઉભી હતી અને પાછળથી માલ ગાડી આવી અને ટક્કર થઈ ગઈ.. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. કંજનચંગા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટના નિજવાડી સ્ટેશન નજીક બન્યો છે. 


મુખ્યમંત્રીએ કરી આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત

આ ઘટનાની જાણ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિઝાઈન ટ્રેન્ડમાં છે. મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થઈ જાય છે..   


અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.