Breaking News : પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત, ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-17 11:41:43

પશ્ચિમ બંગાળમાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ જેમાં બે ટ્રેન એક બીજા સાથે અથડાઈ છે.. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવતી એક માલગાડીએ ટક્કર મારી દીધી જેને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.  સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.  કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ મામલે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. 


પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા

થોડા સમય પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે જેમાં પાંચથી વધારે લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.. કંજનચંગા એક્સપ્રેસ ઉભી હતી અને પાછળથી માલ ગાડી આવી અને ટક્કર થઈ ગઈ.. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. કંજનચંગા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટના નિજવાડી સ્ટેશન નજીક બન્યો છે. 


મુખ્યમંત્રીએ કરી આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત

આ ઘટનાની જાણ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિઝાઈન ટ્રેન્ડમાં છે. મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થઈ જાય છે..   


ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.