Breaking News : પશ્ચિમ બંગાળમાં ટ્રેન અકસ્માત, ગુડ્સ ટ્રેન કંચનજંગા એક્સપ્રેસ સાથે અથડાઈ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-06-17 11:41:43

પશ્ચિમ બંગાળમાં એક મોટી રેલ દુર્ઘટના સર્જાઈ જેમાં બે ટ્રેન એક બીજા સાથે અથડાઈ છે.. પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ જિલ્લાના કંચનજંગા એક્સપ્રેસ ટ્રેનને પાછળથી આવતી એક માલગાડીએ ટક્કર મારી દીધી જેને કારણે પાંચ લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે. તે ઉપરાંત અનેક લોકો ઘાયલ થયા છે, રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે.  સારવાર માટે લોકોને હોસ્પિટલ ખસેડવાની કામગીરી ચાલી રહી છે.  કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા આ મામલે શોક વ્યક્ત કરવામાં આવ્યો છે. 


પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતર્યા

થોડા સમય પહેલા એક મોટી રેલવે દુર્ઘટના સર્જાઈ હતી જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે ફરી એક મોટી રેલ દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં સર્જાઈ છે જેમાં પાંચથી વધારે લોકોના મોત થઈ ગયા છે તેવી માહિતી સામે આવી છે.. કંજનચંગા એક્સપ્રેસ ઉભી હતી અને પાછળથી માલ ગાડી આવી અને ટક્કર થઈ ગઈ.. આ ઘટનાને કારણે અરેરાટી વ્યાપી ઉઠી છે. કંજનચંગા એક્સપ્રેસ ટ્રેનના ત્રણ જેટલા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.. એવી માહિતી સામે આવી છે કે આ દુર્ઘટના નિજવાડી સ્ટેશન નજીક બન્યો છે. 


મુખ્યમંત્રીએ કરી આ દુર્ઘટનાને લઈ શોક વ્યક્ત

આ ઘટનાની જાણ થતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રતિક્રિયા આપી છે. મમતા બેનર્જીએ કહ્યું કે દાર્જિલિંગ જિલ્લાના ફણસીવા વિસ્તારમાં હમણાં જ એક દુ:ખદ ટ્રેન દુર્ઘટનાના સમાચાર સાંભળીને હું આઘાતમાં છું. મહત્વનું છે કે આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર રિઝાઈન ટ્રેન્ડમાં છે. મહત્વનું છે કે આવી દુર્ઘટનાઓને કારણે અનેક લોકોના મોત થઈ જાય છે..   


પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.