Breaking News : Surat લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત! મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા!


  • Published By :
  • Published Date : 2024-04-22 16:50:08

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ જીતશે તેવા દાવાઓ અનેક વખત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક બેઠક પર ભાજપની જીત હમણાંથી થઈ ગઈ છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. મહત્વનું છે આ અંગેની સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા બાદ થઈ શકે છે... ઉલ્લેખનિય છે કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સી.આર.પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવારને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.       

ભાજપના ઉમેદવારને વગર ચૂંટાયે મળી ગઈ જીત! 

ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોણ જીત હાંસલ કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. મતદાન 7મેના રોજ થવાનું છે અને પરિણામ 4 જૂનના રોજ આવવાનું છે. ઉમેદવારી ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે અંગેનું ચિત્ર આજ બપોર સુધીમાં ક્લીયર થઈ જશે. આ બધા વચ્ચે સુરત લોકસભા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં મતદાન થાય તે પહેલા જ ઉમેદવારની જીત થઈ ગઈ છે...! 

બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પરત લીધું ફોર્મ 

સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિમહરીફ ચૂંટાયા છે.. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે આજે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર થોડા દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.. 


કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવારી ફોર્મને લઈ થયો વિવાદ 

સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ સહિત 9 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. તેમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. જેને કારણે આજે ભાજપના ફાળે  સુરત લોકસભા બેઠક આવી છે.. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ ઉભો થયો હતો.    



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે