Breaking News : Surat લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત! મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા!


  • Published By :
  • Published Date : 2024-04-22 16:50:08

ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન થવાનું છે. પરિણામ ચોથી જૂનના રોજ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર ભાજપ જીતશે તેવા દાવાઓ અનેક વખત ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે ત્યારે એક બેઠક પર ભાજપની જીત હમણાંથી થઈ ગઈ છે. સુરત કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. ત્યારે ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિન હરીફ જાહેર થયા છે. મહત્વનું છે આ અંગેની સત્તાવાર જાહેરાત ત્રણ વાગ્યા બાદ થઈ શકે છે... ઉલ્લેખનિય છે કે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. સી.આર.પાટીલે સુરત લોકસભા બેઠકના ઉમેદવારને જીત બદલ શુભેચ્છા પાઠવી છે.       

ભાજપના ઉમેદવારને વગર ચૂંટાયે મળી ગઈ જીત! 

ગુજરાતની 26 લોકસભા બેઠક પર કોણ જીત હાંસલ કરશે તેની પર સૌ કોઈની નજર રહેલી છે.. મતદાન 7મેના રોજ થવાનું છે અને પરિણામ 4 જૂનના રોજ આવવાનું છે. ઉમેદવારી ખેંચવાનો આજે અંતિમ દિવસ છે. કઈ બેઠક પર કેટલા ઉમેદવાર ચૂંટણી લડશે તે અંગેનું ચિત્ર આજ બપોર સુધીમાં ક્લીયર થઈ જશે. આ બધા વચ્ચે સુરત લોકસભા બેઠક પરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે.. ગુજરાતના ઈતિહાસમાં કદાચ આ પ્રથમ ઘટના હશે જ્યાં મતદાન થાય તે પહેલા જ ઉમેદવારની જીત થઈ ગઈ છે...! 

બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પરત લીધું ફોર્મ 

સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિમહરીફ ચૂંટાયા છે.. એક તરફ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે આજે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલ ભારતીએ ફોર્મ પરત ખેંચી લીધું છે. મહત્વનું છે કે સુરત લોકસભા બેઠક પર થોડા દિવસોથી હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. રવિવારે સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ્દ થઈ ગયું છે ત્યારે બીએસપીના ઉમેદવાર પ્યારેલાલે પણ આજે ઉમેદવારી ફોર્મ પરત ખેંચી લીધું છે.. 


કોંગ્રેસ ઉમેદવારના ઉમેદવારી ફોર્મને લઈ થયો વિવાદ 

સુરત લોકસભા બેઠકની વાત કરીએ તો ભાજપ સહિત 9 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા હતા. તેમાંથી 8 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી લીધી છે.. જેને કારણે આજે ભાજપના ફાળે  સુરત લોકસભા બેઠક આવી છે.. મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મને લઈ વિવાદ ઉભો થયો હતો.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.