BREAKING: બિહારમાં નિતીશ કુમારે જીતી લડાઈ, બહુમતીથી 7 વોટ વધુ મળ્યા, પક્ષમાં 129 અને વિપક્ષમાં શૂન્ય મત


  • Published By :
  • Published Date : 2024-02-12 16:37:37

બિહાર વિધાનસભામાં નિતીશ કુમારની સરકારે ફ્લોર ટેસ્ટમાં પાસ થઈ ગઈ છે. નિતીશ કુમારે ધ્વની મતથી જીત મેળવી છે. સરકારના પક્ષમાં 129 મત અને વિપક્ષમાં કોઈ વોટ પડ્યો નહોતો. નિતીશ કુમારે ડેપ્યુટી સ્પિકરને કહ્યું કે વોટિંગ કરાવી લેવામાં આવે. ગૃહમાં જેવું વોટિંગ શરૂ થયું કે તરત જ તમામ સભ્યોએ વોક આઉટ કર્યું હતું. જો કે વોટિંગની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હતી. નિતીશ સરકારને બહુમતીથી 7 મત વધુ મળ્યા હતા.


નિતીશ કુમારે શું કહ્યું?


બિહાર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પહેલા નીતિશ કુમારે સંબોધન કર્યુ હતું. જેમાં તેમણે કહ્યું, અમે સમાજના દરેક વર્ગ માટે કામ કર્યુ. નીતિશ કુમારે કહ્યું કે અમારા પહેલા તેમના માતા-પિતાને 15 વર્ષ કામ કરવા મળ્યું હતું. તેમણે શું કર્યું? ત્યાં કોઈ રસ્તો હતો? અમે હિંદુ-મુસ્લિમ સંઘર્ષ અટકાવ્યો. લોકો સાંજના સમયે બહાર નીકળવામાં ડરતા હતા. નીતિશ કુમારે કહ્યું કે અમે બધાને એક કરવાનો પ્રયાસ કર્યો. કંઇક થયુ? કોંગ્રેસ ડરી ગઈ હતી. અમે કહ્યું કે અન્ય પક્ષોને એક કરો. ત્યારે અમને ખબર પડી કે તેમના પિતા (લાલુ યાદવ) પણ તેમની સાથે હતા. અમે કોઈને નુકસાન નહીં પહોંચાડીએ. સૌના હિતમાં કામ કરીશું. નીતિશ કુમારે વિપક્ષ પર આરોપ લગાવતા કહ્યું કે પૈસા ક્યાંથી આવ્યા, અમે દરેકની તપાસ કરાવીશું. તમારી પાર્ટી યોગ્ય નથી કરી રહી. જ્યારે તમને સમસ્યા હોય ત્યારે અમારો સંપર્ક કરો. અમે તમારું કામ કરીશું. રાજ્યના હિતમાં કામ કરશે. અમે ત્રણેય હંમેશા સાથે રહીશું.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.