Breaking: કોરોનાથી અમદાવાદમાં એકનું મોત, 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-12-26 20:42:09

ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી સામાન્ય લોકોની ચિંતા વધી છે. દુર્ભાગ્યવશ આજે અમદાવાદમાં કોરોના સામેની લડાઈમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલા દરિયાપુરના રહેવાસી હતા અને અક્ષરકૃપા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનિય છે કે મૃતક મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધીત અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે.


AMCનો આરોગ્ય વિભાગ એક્શનમાં 


અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આજે કોરોનાનાં વધુ બે કેસ શહેરમાં નોધાયા છે. ત્યાં અમદાવાદ શહેરમાં 35 કુલ કોરોના એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોન - 02, પશ્ચિમ ઝોન - 14, ઉતર પશ્ચિમ ઝોન - 11, દક્ષિણ પશ્ચિમ ઝોન - 05, દક્ષિણ ઝોન - 03 છે. આજે શહેરમાં બે દર્દીઓ કોરોનાથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા, નારણપુરા અને બોડકદેવમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. AMC તંત્રએ શહેરમાં કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે.  


શિયાળામાં કેસ વધવાની શક્યતા  


શિયાળામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકાએ AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.