Breaking: કોરોનાથી અમદાવાદમાં એકનું મોત, 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-12-26 20:42:09

ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી સામાન્ય લોકોની ચિંતા વધી છે. દુર્ભાગ્યવશ આજે અમદાવાદમાં કોરોના સામેની લડાઈમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલા દરિયાપુરના રહેવાસી હતા અને અક્ષરકૃપા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનિય છે કે મૃતક મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધીત અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે.


AMCનો આરોગ્ય વિભાગ એક્શનમાં 


અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આજે કોરોનાનાં વધુ બે કેસ શહેરમાં નોધાયા છે. ત્યાં અમદાવાદ શહેરમાં 35 કુલ કોરોના એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોન - 02, પશ્ચિમ ઝોન - 14, ઉતર પશ્ચિમ ઝોન - 11, દક્ષિણ પશ્ચિમ ઝોન - 05, દક્ષિણ ઝોન - 03 છે. આજે શહેરમાં બે દર્દીઓ કોરોનાથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા, નારણપુરા અને બોડકદેવમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. AMC તંત્રએ શહેરમાં કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે.  


શિયાળામાં કેસ વધવાની શક્યતા  


શિયાળામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકાએ AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.