Breaking: કોરોનાથી અમદાવાદમાં એકનું મોત, 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત


  • Published By :
  • Published Date : 2023-12-26 20:42:09

ગુજરાતમાં કોરોનાના વધતા કેસથી સામાન્ય લોકોની ચિંતા વધી છે. દુર્ભાગ્યવશ આજે અમદાવાદમાં કોરોના સામેની લડાઈમાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આજે અમદાવાદમાં 82 વર્ષીય વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે. મૃતક મહિલા દરિયાપુરના રહેવાસી હતા અને અક્ષરકૃપા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનિય છે કે મૃતક મહિલા કોવિડ ઉપરાંત ઉંમર સંબંધીત અન્ય કેટલીક બીમારીઓથી પણ પીડાઈ રહ્યા હતા. મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત થતા ખળભળાટ મચી ગયો છે.


AMCનો આરોગ્ય વિભાગ એક્શનમાં 


અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવતા અમદાવાદ મહાનગરપાલિકાનો આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે, આજે કોરોનાનાં વધુ બે કેસ શહેરમાં નોધાયા છે. ત્યાં અમદાવાદ શહેરમાં 35 કુલ કોરોના એક્ટિવ કેસ છે. જેમાં મધ્યઝોન - 02, પશ્ચિમ ઝોન - 14, ઉતર પશ્ચિમ ઝોન - 11, દક્ષિણ પશ્ચિમ ઝોન - 05, દક્ષિણ ઝોન - 03 છે. આજે શહેરમાં બે દર્દીઓ કોરોનાથી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. અમદાવાદના નવરંગપુરા, નારણપુરા અને બોડકદેવમાં સૌથી વધુ કેસો નોંધાઇ રહ્યા છે. સરખેજ અને રાણીપ વિસ્તારમાં નવા કેસ નોંધાયા છે. એક મહિલા અને એક પુરુષ કવિડ પોઝિટિવ છે. એક દર્દીની ટ્રાવેલિંગ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે. એક દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી સિંગાપુરની સામે આવી છે. AMC તંત્રએ શહેરમાં કોરોના ટેસ્ટિંગની શરૂઆત કરી દીધી છે. શરદી-ખાંસી, તાવનાં લક્ષણો ધરાવતા દર્દીઓના ટેસ્ટ કરાઈ રહ્યા છે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે.  


શિયાળામાં કેસ વધવાની શક્યતા  


શિયાળામાં અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થવાની આશંકાએ AMCના તમામ આરોગ્ય કેન્દ્રમાં ટેસ્ટિંગ કીટનો જથ્થો પૂરો પાડવામાં આવ્યો છે. જો જરૂર પડશે તો આગામી દિવસમાં RTPCR ટેસ્ટની પણ શરૂઆત કરવામાં આવશે. કોરોનાના કેસ નોંધાતા WHOએ પણ ચિંતા વ્યક્ત કરી છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. ઉલ્લેખનિય છે કે વૈશ્વિક સ્તરે કોરોનાનો નવો વેરિયન્ટ ઝડપથી પ્રસરી રહ્યો છે.  



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."