બ્રેકિંગ! હજારો ઉમેદવારો માટે રાહતના સમાચાર, GETCOની પરીક્ષાની નવી તારીખ જાહેર


  • Published By :
  • Published Date : 2023-12-21 16:30:35

રાજ્ય સરકારે GETCOની પરીક્ષા ફરીથી યોજવાનો મહત્વનો નિર્ણય લીધો છે. ઉલ્લેખનિય છે કે GETCO દ્વારા લેવાયેલી વિદ્યુત સહાયકની ભરતી માટેની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળ્યા બાદ સરકારે GETCOની પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. આ ફરિયાદના આધારે તપાસ કમિટીની રચવામાં આવી હતી. સરકારને પોલ ટેસ્ટની પરીક્ષા સમયે ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ મળી હતી. પરીક્ષા ફરીથી લેવાની જાહેરાત કરવામાં આવતા હજારો ઉમેદવારોએ રાહતનો શ્વાસ લીધો છે. 


આ તારીખે લેવાશે પરીક્ષા


GETCO ના વિદ્યુત સહાયકની પરીક્ષા 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ અંગેની માહિતી અનુસાર, જેટકો દ્વારા હાલમાં રદ્દ કરવામાં આવેલી પરીક્ષા અંગે સરકારે તાત્કાલિક જ પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. જેમાં આગામી 28 અને 29 ડિસેમ્બર પોલ ટેસ્ટ લેવામાં આવશે. આ માટે છ જગ્યાઓ પર પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવાશે. તેમજ 7 જાન્યુઆરીએ અમદાવાદમાં લેખિત પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી છે.


શા માટે રદ્દ થઈ હતી પરીક્ષા?


રાજ્યના રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે પોલ ક્લાઈબિંગ ટેસ્ટ લેવામાં આવી હતી. જે બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી કે, વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ક્લાઈબિંગ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલ નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. રાજ્ય સરકારે આ કમિટીની ભલામણો સ્વિકારી લઈ પરીક્ષા રદ્દ કરવાની જાહેરાત કરી હતી.  


અધિકારીઓ વિરૂધ્ધ કાર્યવાહી


GETCOની પરીક્ષામાં ગેરરિતી મુદ્દે સરકારે કડક કાર્યવાહી કરતા GETCOના HR મેનેજરની બદલી કરી હતી. જ્યારે અન્ય જવાબદાર અધિકારીઓને પણ નોટીસ આપવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયામાં જેની પણ ભુલ હશે તેમની સામે કાર્યવાહી કરવા માટે પણ સરકારે તૈયારી કરી છે. ઊર્જા વિભાગના અધિક મુખ્ય સચિવની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.