Breaking: લોકસભામાં રજૂ કરવામાં આવ્યું શ્વેતપત્ર, મોદી સરકાર UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા


  • Published By :
  • Published Date : 2024-02-08 17:35:08

મોદી સરકાર દ્વારા લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવામાં આવ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે NDA સરકાર વતી શ્વેતપત્ર રજૂ કર્યું છે. UPA સરકાર દરમિયાન કથિત આર્થિક ગેરવહીવટ સામે સરકાર આ શ્વેતપત્ર લાવી છે. ઉલ્લેખનિય છે કે કોંગ્રેસે આના વિરોધમાં 'બ્લેક પેપર' લાવવાનો નિર્ણય કર્યો છે.


શા માટે મોદી સરકાર  લાવી 'વ્હાઈટ પેપર'?


સૌથી પહેલા તો જાણી લો કે મોદી સરકાર 'વ્હાઈટ પેપર' કેમ લાવી છે. એવું કહેવામાં આવ્યું છે કે આ દ્વારા સાંસદોને જણાવવામાં આવશે કે વર્ષ 2014 (મોદી સરકારની રચના પહેલા) પહેલા દેશ કેવા પ્રકારનું શાસન, આર્થિક અને રાજકોષીય સંકટનો સામનો કરી રહ્યો હતો. આ સિવાય સંસદ સભ્યોને જનતાને જણાવવા માટે કહેવામાં આવશે કે મોદી સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે શું પગલાં લીધાં છે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.