ગુજરાત ACBનો સપાટો, વડોદરામાં માત્ર રૂ. 400ની લાંચ લેતા ઝડપાયો સિનિયર ક્લાર્ક


  • Published By :
  • Published Date : 2023-08-28 22:09:03

સરકારી તંત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. સરકારના તમામ વિભાગોમાંથી લાંચની બદી દૂર થાય તે માટે ગુજરાત ACB ટ્રેપ ગોઠવીને લાંચિયા અધિકારીઓને ઝડપી પાડે છે. વડોદરામાં એક સિનિયર ક્લાર્ક લાંચ લેતા ઝડપાયો છે. વડોદરા ACBએ સિનિયર ક્લાર્ક પરેશ ગાંધીની ધરપકડ કરી હતી.


ACBએ ટ્રેપ ગોઠવી દબોચ્યો


વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના જાસપુરની સરકારી શાળામાં પરેશ ગાંધી સિનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે. ફરિયાદીએ જન્મના દાખલા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે અરજી સંદર્ભે સિનિયર ક્લાર્કને હાજર રહેવા આદેશ કર્યો હતો. કોર્ટના આદેશ છતાં દાખલા માટે તેમણે ફરિયાદી પાસે 400 રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ACBને જાણ કરી હતી. ACBએ ટ્રેપ ગોઠવીને કોર્ટ બહાર પગથિયાં પર જ લાંચ લેતા સિનિયર ક્લાર્કને રંગેહાથ ઝડપી લીધો હતો. આ ઘટના બની ત્યારે આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા હતા, તેમણે ACBની કાર્યવાહીને બિરદાવી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી