લ્યો બોલો! લાંચિયો તલાટી સસ્પેન્ડ થતાં ગામ લોકોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી, જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-07-13 16:55:00

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લોકોનું નાનું કામ પણ લાંચ લીધા વગર કરતા નથી. જો કે ઘણી વખત આવા લાંચિયા કર્મચારીઓ ઝડપાઈ જતા કાયમી સરકારી નોકરી ગુમાવવાની નોબત આવે છે. જેમ કે ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી હતી, આ તલાટીનો વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોએ ફટાકટા ફોડીને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.  


સમગ્ર મામલો શું હતો?


લાંચિયા તલાટી જયેશ ડાભી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પ્રક્ષા જોશીના લગ્ન આલપ ત્રિવેદી સાથે 6 નવેમ્બર 2022ના રોજ થયા હતા. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તલાટીએ આ પ્રકારની કાર્યવાહી ન કરવી હોય તો નાણાકિય વ્યવહારની વાત કરી હતી. ત્યાર બાદ ભાવનગર ન્યાયાલય બહાર રૂપિયા 4000 એડવોકેટ રાજેશ ભટ્ટ પાસેથી માગીને સ્વીકાર્યા હતા. જે અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયા વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાયરલ વીડિયાની FSL દ્વારા ખરાઈ કરવાની પણ સુચના આપવામાં આવી છે.


નાયબ TDOએ કર્યો આ હુકમ


તલાટી કમ મંત્રી જયેશ ડાભીએ સત્તાનો દુરપયોગ કરી લગ્ન નોંધણી કરવા લાંચ સ્વીકરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાતા તપાસ દરમિયાન તલાટી મંત્રીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. આર. સોંલકીએ 90 દિવસ માટે અને પછી મુદત વધારો કરવામાં આવે ત્યાં સુધી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ તલાટી મંત્રી જયેશને હેડક્વોર્ટર નહીં છોડવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ વિવાદમાં ફસાઈ ચુક્યા છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.