લ્યો બોલો! લાંચિયો તલાટી સસ્પેન્ડ થતાં ગામ લોકોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી, જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-07-13 16:55:00

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લોકોનું નાનું કામ પણ લાંચ લીધા વગર કરતા નથી. જો કે ઘણી વખત આવા લાંચિયા કર્મચારીઓ ઝડપાઈ જતા કાયમી સરકારી નોકરી ગુમાવવાની નોબત આવે છે. જેમ કે ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી હતી, આ તલાટીનો વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોએ ફટાકટા ફોડીને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.  


સમગ્ર મામલો શું હતો?


લાંચિયા તલાટી જયેશ ડાભી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પ્રક્ષા જોશીના લગ્ન આલપ ત્રિવેદી સાથે 6 નવેમ્બર 2022ના રોજ થયા હતા. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તલાટીએ આ પ્રકારની કાર્યવાહી ન કરવી હોય તો નાણાકિય વ્યવહારની વાત કરી હતી. ત્યાર બાદ ભાવનગર ન્યાયાલય બહાર રૂપિયા 4000 એડવોકેટ રાજેશ ભટ્ટ પાસેથી માગીને સ્વીકાર્યા હતા. જે અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયા વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાયરલ વીડિયાની FSL દ્વારા ખરાઈ કરવાની પણ સુચના આપવામાં આવી છે.


નાયબ TDOએ કર્યો આ હુકમ


તલાટી કમ મંત્રી જયેશ ડાભીએ સત્તાનો દુરપયોગ કરી લગ્ન નોંધણી કરવા લાંચ સ્વીકરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાતા તપાસ દરમિયાન તલાટી મંત્રીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. આર. સોંલકીએ 90 દિવસ માટે અને પછી મુદત વધારો કરવામાં આવે ત્યાં સુધી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ તલાટી મંત્રી જયેશને હેડક્વોર્ટર નહીં છોડવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ વિવાદમાં ફસાઈ ચુક્યા છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.