લ્યો બોલો! લાંચિયો તલાટી સસ્પેન્ડ થતાં ગામ લોકોએ ફટાકડા ફોડ્યા અને મીઠાઈ વહેંચી, જાણો વિગતે અહેવાલ


  • Published By :
  • Published Date : 2023-07-13 16:55:00

રાજ્યમાં સરકારી કર્મચારીઓ લોકોનું નાનું કામ પણ લાંચ લીધા વગર કરતા નથી. જો કે ઘણી વખત આવા લાંચિયા કર્મચારીઓ ઝડપાઈ જતા કાયમી સરકારી નોકરી ગુમાવવાની નોબત આવે છે. જેમ કે ભાવનગરના બુધેલ ગામના તલાટીએ લગ્નનું પ્રમાણપત્ર કાઢી આપવા રૂ.4000ની લાંચ માંગી હતી, આ તલાટીનો વિડીયો વાયરલ થતા તલાટી જયેશ ડાભીને તત્કાલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જો કે લાંચિયા તલાટીને સસ્પેન્ડ કરવામાં આવતા ગ્રામજનોએ ફટાકટા ફોડીને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરી હતી.  


સમગ્ર મામલો શું હતો?


લાંચિયા તલાટી જયેશ ડાભી સામે શિક્ષાત્મક કાર્યવાહી કરતા નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. બુધેલ ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા પ્રક્ષા જોશીના લગ્ન આલપ ત્રિવેદી સાથે 6 નવેમ્બર 2022ના રોજ થયા હતા. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. જે અંગે લગ્ન નોંધણી માટે બુધેલ ગામના તલાટી જયેશ ડાબીએ નોંધણીના અરજદાર વકીલ રાજેશ ભટ્ટને વર, કન્યા, ગોરમહારાજ અને સાક્ષીઓને રૂબરૂ હાજર રહે તો જ લગ્ન નોંધણી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. તલાટીએ આ પ્રકારની કાર્યવાહી ન કરવી હોય તો નાણાકિય વ્યવહારની વાત કરી હતી. ત્યાર બાદ ભાવનગર ન્યાયાલય બહાર રૂપિયા 4000 એડવોકેટ રાજેશ ભટ્ટ પાસેથી માગીને સ્વીકાર્યા હતા. જે અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. વીડિયા વાયરલ થતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. વાયરલ વીડિયાની FSL દ્વારા ખરાઈ કરવાની પણ સુચના આપવામાં આવી છે.


નાયબ TDOએ કર્યો આ હુકમ


તલાટી કમ મંત્રી જયેશ ડાભીએ સત્તાનો દુરપયોગ કરી લગ્ન નોંધણી કરવા લાંચ સ્વીકરતા હોવાનું વીડિયોમાં સ્પષ્ટ જણાતા તપાસ દરમિયાન તલાટી મંત્રીને નાયબ જિલ્લા વિકાસ અધિકારી જે. આર. સોંલકીએ 90 દિવસ માટે અને પછી મુદત વધારો કરવામાં આવે ત્યાં સુધી ફરજ મોકુફ કરવાનો હુકમ કર્યો છે. આ સાથે જ તલાટી મંત્રી જયેશને હેડક્વોર્ટર નહીં છોડવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે. જે તલાટી મંત્રીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તે અગાઉ પણ વિવાદમાં ફસાઈ ચુક્યા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.