ભાવનગરમાં બની હ્રદયદ્રાવક ઘટના, લગ્નના દિવસે જ પુત્રીનું મોત થતાં પિતાએ બીજી દિકરી વળાવી


  • Published By :
  • Published Date : 2023-02-23 18:21:03

ભાવનગરમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે, શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે દિકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા, ઘરમાં ખુશી પ્રસંગ હતો. લગ્નગીતોથી ઘરનો માહોલ ગુંજતો હતો પણ જે પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા તેને અચાનક હાર્ટ એટેક આવતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.


પિતાએ જાનને પાછી જવા ન દીધી


વ્હાલસોયી પુત્રીના મોતની આ કરૂણ ઘટનાથી પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું. આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારના મોભી જીણાભાઈ ભકાભાઈ રાઠોડે હ્રદય પર પથ્થર મુકી મહત્વનો નિર્ણય લીધો. તેમણે માનસિક સ્વસ્થતા જાળવી માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. વિધીની વક્રતા કેવી કે જે વરરાજાની સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો.


કઈ રીતે કન્યાનું મોત થયું? 


જીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે થવાના હતા. જાન પણ ભાવનગર આવી પહોંચી હતી, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. બાદમાં જીણાભાઈએ તેમની દીકરી હેતલના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બીજી દીકરીનું કન્યા દાન કર્યું હતું.   



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.