ભાવનગરમાં બની હ્રદયદ્રાવક ઘટના, લગ્નના દિવસે જ પુત્રીનું મોત થતાં પિતાએ બીજી દિકરી વળાવી


  • Published By :
  • Published Date : 2023-02-23 18:21:03

ભાવનગરમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે, શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે દિકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા, ઘરમાં ખુશી પ્રસંગ હતો. લગ્નગીતોથી ઘરનો માહોલ ગુંજતો હતો પણ જે પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા તેને અચાનક હાર્ટ એટેક આવતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.


પિતાએ જાનને પાછી જવા ન દીધી


વ્હાલસોયી પુત્રીના મોતની આ કરૂણ ઘટનાથી પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું. આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારના મોભી જીણાભાઈ ભકાભાઈ રાઠોડે હ્રદય પર પથ્થર મુકી મહત્વનો નિર્ણય લીધો. તેમણે માનસિક સ્વસ્થતા જાળવી માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. વિધીની વક્રતા કેવી કે જે વરરાજાની સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો.


કઈ રીતે કન્યાનું મોત થયું? 


જીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે થવાના હતા. જાન પણ ભાવનગર આવી પહોંચી હતી, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. બાદમાં જીણાભાઈએ તેમની દીકરી હેતલના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બીજી દીકરીનું કન્યા દાન કર્યું હતું.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.