ભાવનગરમાં બની હ્રદયદ્રાવક ઘટના, લગ્નના દિવસે જ પુત્રીનું મોત થતાં પિતાએ બીજી દિકરી વળાવી


  • Published By :
  • Published Date : 2023-02-23 18:21:03

ભાવનગરમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના બની છે, શહેરના સુભાષનગરના ભગવાનેશ્વર મહાદેવ મંદિર સામેના ખાંચામાં 50 વારિયા વિસ્તારમાં રહેતા ભરવાડ પરિવારના જીણાભાઈ ભકાભાઈ રાઠોડના ઘરે દિકરીના લગ્ન લેવાઈ રહ્યા હતા, ઘરમાં ખુશી પ્રસંગ હતો. લગ્નગીતોથી ઘરનો માહોલ ગુંજતો હતો પણ જે પુત્રીના લગ્ન થઈ રહ્યા હતા તેને અચાનક હાર્ટ એટેક આવતા ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો.


પિતાએ જાનને પાછી જવા ન દીધી


વ્હાલસોયી પુત્રીના મોતની આ કરૂણ ઘટનાથી પરિવારજનો પર તો જાણે આભ તુટી પડ્યું. આ અત્યંત ગમગીન માહોલમાં પણ દીકરીના પરિવારના મોભી જીણાભાઈ ભકાભાઈ રાઠોડે હ્રદય પર પથ્થર મુકી મહત્વનો નિર્ણય લીધો. તેમણે માનસિક સ્વસ્થતા જાળવી માંડવે આવેલી જાન પાછી ન જાય તે હેતુથી મૃતકની નાની બહેનને પરણાવી લગ્નની વિધિ પૂર્ણ કરી હતી. વિધીની વક્રતા કેવી કે જે વરરાજાની સાળી થવાની હતી તેને પરણેતર થવાનો યોગ સર્જાયો.


કઈ રીતે કન્યાનું મોત થયું? 


જીણાભાઈ રાઠોડની દીકરી હેતલના લગ્ન નારીના આલગોતર રાણાભાઈ બુટાભાઈ આલગોતરના દીકરા વિશાલ સાથે થવાના હતા. જાન પણ ભાવનગર આવી પહોંચી હતી, પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હતું. જીણાભાઈની દીકરીને ચક્કર આવ્યા અને બેભાન થયા બાદ 108માં સારવાર માટે લઇ જવાઇ પણ તબીબે જણાવ્યું હતુ કે આ દીકરીનું એકાએક એટેક આવતા નિધન થયું હતુ. બાદમાં જીણાભાઈએ તેમની દીકરી હેતલના નશ્વર દેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખી બીજી દીકરીનું કન્યા દાન કર્યું હતું.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.