Bridge Collapsed : 12 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ થયો ધરાશાયી! જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2024-06-19 12:44:06

બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે બ્રિજ તૂટે છે ત્યારે જનતાના કરોડો રૂપિયા ડૂબી જતા હોય છે. કોઈ વખત નિર્માણાધીન બ્રિજ તૂટી પડી જાય છે તો કોઈ વખત ચાલુ બ્રિજ તૂટી જાય છે. જ્યારે ચાલુ બ્રિજ તૂટી જાય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજનું ઉદ્ધાટન થાય તે પહેલા બ્રિજ તૂટી પડ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે. અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી Bakra નદી પર બ્રિજ બન્યો હતો અને તે ધરાશાયી થયો છે તેવી માહિતી સામે આવી છે. બ્રિજનો મોટા ભાગનો હિસ્સો તૂટી પડ્યો છે.. 

લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડ્યો બ્રિજ!

નિર્માણાધીન બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ આપણી સામે છે. કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ થતું હોય છે અને જ્યારે તે બ્રિજ તૂટે છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જાય છે. બ્રિજ તૂટવાની ઘટના આપણે ત્યાં નવી નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે બિહારમાં એક બ્રિજ તૂટી જવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી બકરા નદી પર 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ તૂટી પડ્યાની માહિતી સામે આવી છે. આ બ્રિજનું લોકાર્પણ પણ થયું ન હતું. મંગળવારે પુલના 3 થાંભલા નદીમાં તૂટી પડ્યા અને જોત જોતામાં બ્રિજ તૂટી પડ્યો. આ ઘટના સામે આવ્યા બાદ નીતિન ગડકરીની ઓફિસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે અને આ ઘટનાને લઈ ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે ત્યાં ડબલ એન્જિન સરકાર છે..!  

 


12 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ!

બ્રિજ તૂટી પડવાને કારણે જે એજન્સી આ બ્રિજનું નિર્માણ કરી રહી હતી તે એજન્સીના માણસો, સ્થાનિક તંત્ર ત્યાં પહોંચી ગયું હતું. 12 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો હતો. સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ દુર્ઘટનાને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાના ગ્રામીણ કાર્ય વિભાગ દ્વારા આ પુલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થયો ન હતો. મહત્વનું છે કે આની પહેલા પણ બ્રિજ તૂટી જવાની અનેક ઘટનાઓ આપણે જોઈ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.