Bridge Collapsed : 12 કરોડના ખર્ચે બનેલો બ્રિજ ઉદ્ઘાટન પહેલા જ થયો ધરાશાયી! જાણો ક્યાં બની ઘટના?


  • Published By :
  • Published Date : 2024-06-19 12:44:06

બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જ્યારે બ્રિજ તૂટે છે ત્યારે જનતાના કરોડો રૂપિયા ડૂબી જતા હોય છે. કોઈ વખત નિર્માણાધીન બ્રિજ તૂટી પડી જાય છે તો કોઈ વખત ચાલુ બ્રિજ તૂટી જાય છે. જ્યારે ચાલુ બ્રિજ તૂટી જાય છે ત્યારે મોટી દુર્ઘટના સર્જાતી હોય છે. અનેક લોકોના મોત થઈ જતા હોય છે. ત્યારે બિહારમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. બ્રિજનું ઉદ્ધાટન થાય તે પહેલા બ્રિજ તૂટી પડ્યો છે તેવા સમાચાર સામે આવ્યા છે. અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી Bakra નદી પર બ્રિજ બન્યો હતો અને તે ધરાશાયી થયો છે તેવી માહિતી સામે આવી છે. બ્રિજનો મોટા ભાગનો હિસ્સો તૂટી પડ્યો છે.. 

લોકાર્પણ થાય તે પહેલા જ તૂટી પડ્યો બ્રિજ!

નિર્માણાધીન બ્રિજ તૂટી જવાના અનેક કિસ્સાઓ આપણી સામે છે. કરોડોના ખર્ચે બ્રિજનું નિર્માણ થતું હોય છે અને જ્યારે તે બ્રિજ તૂટે છે ત્યારે કરોડો રૂપિયા પાણીમાં જાય છે. બ્રિજ તૂટવાની ઘટના આપણે ત્યાં નવી નથી તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. અનેક ઉદાહરણો આપણી સામે છે. ત્યારે બિહારમાં એક બ્રિજ તૂટી જવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર અરરિયા જિલ્લાના સિકટી ખાતે આવેલી બકરા નદી પર 12 કરોડના ખર્ચે તૈયાર થયેલો બ્રિજ તૂટી પડ્યાની માહિતી સામે આવી છે. આ બ્રિજનું લોકાર્પણ પણ થયું ન હતું. મંગળવારે પુલના 3 થાંભલા નદીમાં તૂટી પડ્યા અને જોત જોતામાં બ્રિજ તૂટી પડ્યો. આ ઘટના સામે આવ્યા બાદ નીતિન ગડકરીની ઓફિસ દ્વારા એક ટ્વિટ કરવામાં આવી છે અને આ ઘટનાને લઈ ખુલાસો કર્યો છે. મહત્વનું છે કે ત્યાં ડબલ એન્જિન સરકાર છે..!  

 


12 કરોડના ખર્ચે બન્યો હતો બ્રિજ!

બ્રિજ તૂટી પડવાને કારણે જે એજન્સી આ બ્રિજનું નિર્માણ કરી રહી હતી તે એજન્સીના માણસો, સ્થાનિક તંત્ર ત્યાં પહોંચી ગયું હતું. 12 કરોડના ખર્ચે આ બ્રિજ બન્યો હતો. સ્થાનિક ધારાસભ્ય પણ ત્યાં આવી પહોંચ્યા હતા અને આ દુર્ઘટનાને લઈ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે જિલ્લાના ગ્રામીણ કાર્ય વિભાગ દ્વારા આ પુલ તૈયાર કરવામાં આવી રહ્યો હતો. આ બ્રિજ સંપૂર્ણ રીતે તૈયાર થયો ન હતો. મહત્વનું છે કે આની પહેલા પણ બ્રિજ તૂટી જવાની અનેક ઘટનાઓ આપણે જોઈ છે. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 




અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.