Biharમાં ફરી બ્રિજ ધરાશાયી, પુલ તૂટવાની આ પાંચમી ઘટના, તેજસ્વી યાદવે સાધ્યું નિશાન, લખ્યું બિહારમાં ડબલ એન્જીન સરકાર....


  • Published By :
  • Published Date : 2024-06-29 12:35:22

જ્યારે દુર્ઘટના સર્જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે રાજ્ય બદલાય છે, સ્થળના નામ બદલાય છે, સરકાર બદલાય છે પરંતુ જે નથી બદલાતી તે છે પરિસ્થિતિ.. પુલ તૂટવાની ઘટના અવાર નવાર આપણી સામે આવતી રહે છે. એમાં પણ વરસાદની સિઝનમાં પુલ તૂટવા જાણે સામાન્ય બની ગયા છે.. ફરી એક બ્રિજ તૂટવાની ઘટના બિહારથી સામે આવી છે. છેલ્લા 11 દિવસમાં પુલ તૂટવાની આ પાંચમી ઘટના છે. 

11 દિવસમાં બની 5 પુલ તૂટી જવાની ઘટના 

બિહાર ફરીથી ચર્ચામાં આવ્યું છે.. પહેલા રાજકારણને લઈ બિહાર ચર્ચામાં હતું તો હવે બ્રિજ ધરાશાયી થવાને કારણે ચર્ચામાં આવ્યું છે.., થોડા દિવસો પહેલા જ એક બ્રિજ તૂટી ગયો હતો.. છેલ્લા 11 દિવસમાં પાંચ પુલ તૂટી ગયા છે. તાજેતરમાં જે બ્રિજ તૂટી ગયો છે તે રાજ્યના મધુબની જિલ્લામાં બની રહ્યો હતો. મીડિયા રિપોર્ટના આધારે બ્રિજ મધેપુર પ્રખંડની મહપતિયા મેન રોડ પર બની રહ્યો હતો. એવી પણ વાત મીડિયા રીપોર્ટમાં કરવામાં આવી કે પુલનું ગર્ડર તો બે દિવસ પહેલા જ તૂટી ગયું હતું.. આ ઘટનાની જાણ ના થાય તે માટે તેને ઢાંકી દેવાયું.. 

Video: Portion of another Bihar bridge collapses, fifth in 11 days


ત્રણ કરોડના ખર્ચે બની રહ્યો હતો પુલ

અચાનક વરસાદ થવાને કારણે નદીનું જળસ્તર વધી ગયું અને નિર્માણ પામી રહેલો બ્રિજ ધરાશાઈ થઈ ગયો. એવી માહિતી સામે આવી છે કે ત્રણ કરોડના ખર્ચે આ બ્રિજ બની રહ્યો હતો. રિપોર્ટ પ્રમાણે આ પુલનું નિર્માણ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનાવામાં આવ્યો છે. એવી માહિતી પણ સામે આવી છે કે આ પુલનું પુન: નિર્માણ કરવામાં આવશે.. મહત્વનું છે કે બિહારથી દર થોડા દિવસે પૂલ તૂટવાની ઘટના બની રહી છે.. 

તેજસ્વી યાદવે સાધ્યું નીતિશ કુમાર પર નિશાન 

11 દિવસમાં પાંચમો પુલ તૂટવાની ઘટના બનતા નીતિશ કુમારને વિપક્ષે ઘેરી છે.. તેજસ્વી યાદવ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે જેમાં તેમણે લખ્યું છે કે 9 દિવસની અંદર બિહારમાં આ પાંચમો પુલ ધરાશાઈ થયો છે. મધુબની-સુપૌલ વચ્ચે ભૂતહી નદીમાં વર્ષોથી બની રહેલો પુલ પડી ગયો. શું તમને ખબર પડી? ના તો, કેમ? તે સિવાય કયા પાંચ બ્રિજ તૂટ્યા તેની વાત તેમણે બીજી એક પોસ્ટમાં કરી છે. 


અનેક રાજ્યોથી બ્રિજ તૂટવાના સમાચાર આવતા રહે છે.. 

મહત્વનું છે કે હલકી ગુણવત્તા વાળો સામાન વાપરવાને કારણે આવી દુર્ઘટનાઓ થતી હોય છે. મોટા પાયે જાનહાની નથી થઈ, પરંતુ જો જાનહાની થઈ હોત તો? ના માત્ર બિહારમાં પુલ તૂટવાની ઘટના બને છે પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી આવી તસવીરો અવાર નવાર સામે આવતી રહે છે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.