બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને થયું કેન્સર, 75 વર્ષના કિંગની બકિંઘમ પેલેસમાં ચાલી રહી છે સારવાર


  • Published By :
  • Published Date : 2024-02-06 16:12:16

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને કેન્સર થઈ ગયું છે. બકિંઘમ પેલેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના કિંગ ચાર્લ્સના વધેલા પ્રોટેસ્ટની સારવાર દરમિયાન તેમના કેન્સર અંગે જાણકારી આપી છે. નિવેદનમાં તે જાણકારી આપવામા આવી નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે અને શરીરના કયા ભાગમાં કેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્સર પ્રોસ્ટેટથી સંબંધિત નથી અને સોમવારે તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. કિંગ ચાર્લ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાદમાં તેમના ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.


બિમારી જાહેર કરવાની આપી મંજુરી


શાહી પ્રવક્તાએ કહ્યું કે કિંગ ચાર્લ્સ થોડા સમયમાં જ તેમનું કામકાજ શરૂ કરશે. જો કે તેમની બિમારીથી સાજા સમયમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ જાણકાર આપી નથી.  કિંગ ચાર્લ્સના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે પોતાના પ્રોસ્ટેટના ઈલાજને જાણી જોઈને જાહેર કર્યો કારણ કે આ કેન્સરની બિમારી અંગે લોકોમાં જાગરૂકતા વધે. 


PM ઋષિ સુનકે સ્વસ્થ થવાની શુભકામના પાઠવી


બ્રિટનના પીએમ ઋષિ સુનકે કિંગ ચાર્લ્સની કેન્સરની બિમારીમાંથી જલ્દી સાજા થાય તે માટે શુભકામના પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે કિંગ ચાર્લ્સ સંપુર્ણપણે જલ્દી સાજા થઈ જાય તે માટે હું પ્રાર્થના કરૂં છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે તે થોડા સમયમાં જ ફરી સ્વસ્થ થઈ પરત ફરશે.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .