બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને થયું કેન્સર, 75 વર્ષના કિંગની બકિંઘમ પેલેસમાં ચાલી રહી છે સારવાર


  • Published By :
  • Published Date : 2024-02-06 16:12:16

બ્રિટનના રાજા ચાર્લ્સ તૃતિયને કેન્સર થઈ ગયું છે. બકિંઘમ પેલેસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 75 વર્ષના કિંગ ચાર્લ્સના વધેલા પ્રોટેસ્ટની સારવાર દરમિયાન તેમના કેન્સર અંગે જાણકારી આપી છે. નિવેદનમાં તે જાણકારી આપવામા આવી નથી કે કિંગ ચાર્લ્સને કયા પ્રકારનું કેન્સર છે અને શરીરના કયા ભાગમાં કેન્સર છે. એવું કહેવામાં આવ્યું છે કે કેન્સર પ્રોસ્ટેટથી સંબંધિત નથી અને સોમવારે તેમની સારવાર શરૂ થઈ ગઈ છે. કિંગ ચાર્લ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે બાદમાં તેમના ઘર પર જ સારવાર કરવામાં આવી રહી છે.


બિમારી જાહેર કરવાની આપી મંજુરી


શાહી પ્રવક્તાએ કહ્યું કે કિંગ ચાર્લ્સ થોડા સમયમાં જ તેમનું કામકાજ શરૂ કરશે. જો કે તેમની બિમારીથી સાજા સમયમાં કેટલો સમય લાગશે તે અંગે કોઈ જાણકાર આપી નથી.  કિંગ ચાર્લ્સના પ્રવક્તાનું કહેવું છે કે તેમણે પોતાના પ્રોસ્ટેટના ઈલાજને જાણી જોઈને જાહેર કર્યો કારણ કે આ કેન્સરની બિમારી અંગે લોકોમાં જાગરૂકતા વધે. 


PM ઋષિ સુનકે સ્વસ્થ થવાની શુભકામના પાઠવી


બ્રિટનના પીએમ ઋષિ સુનકે કિંગ ચાર્લ્સની કેન્સરની બિમારીમાંથી જલ્દી સાજા થાય તે માટે શુભકામના પાઠવતી સોશિયલ મીડિયા પોસ્ટ કરી છે. તેમણે લખ્યું કે કિંગ ચાર્લ્સ સંપુર્ણપણે જલ્દી સાજા થઈ જાય તે માટે હું પ્રાર્થના કરૂં છું. મને તે બાબતમાં કોઈ શંકા નથી કે તે થોડા સમયમાં જ ફરી સ્વસ્થ થઈ પરત ફરશે.   



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.