બ્રિટનની હાઈકોર્ટે અરજી ફગાવી, નીરવ મોદીને ભારત લવાશે?


  • Published By :
  • Published Date : 2022-11-09 17:22:25

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. PMLA કોર્ટે ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક અપરાધી એક્ટ 2018 મુજબ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


નીરવ મોદી પર 7 હજાર કરોડ રૂપિયાનું ચાઉં કરવાનો આરોપ

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. કૌભાંડ કર્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. હાલ નીરવ મોદી લંડનની જેલમાં છે. ભારત સરકારે તેને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે. નીરવ મોદીએ 2017ની પોતાની કંપની ફાયર સ્ટાર ડાયમંડ મારફતે રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીએ ખરીદેલી મોટા ભાગની સંપતી  પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને મેળવી છે. 




સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"