બ્રિટનની હાઈકોર્ટે અરજી ફગાવી, નીરવ મોદીને ભારત લવાશે?


  • Published By :
  • Published Date : 2022-11-09 17:22:25

ભાગેડુ નીરવ મોદીને ભારત લાવવા માટેનો રસ્તો ક્લિયર થઈ ગયો છે. બ્રિટનની હાઈકોર્ટે નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે. PMLA કોર્ટે ડિસેમ્બર 2019માં ભાગેડુ આર્થિક અપરાધી એક્ટ 2018 મુજબ નીરવ મોદીને આર્થિક અપરાધી જાહેર કરી દેવામાં આવ્યો હતો. 


નીરવ મોદી પર 7 હજાર કરોડ રૂપિયાનું ચાઉં કરવાનો આરોપ

નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકથી અંદાજે 7 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો કર્યો છે. કૌભાંડ કર્યા બાદ નીરવ મોદી વિદેશ ભાગી ગયો હતો. હાલ નીરવ મોદી લંડનની જેલમાં છે. ભારત સરકારે તેને પાછા લાવવા માટે તમામ પ્રયાસો કરી લીધા છે. નીરવ મોદીએ 2017ની પોતાની કંપની ફાયર સ્ટાર ડાયમંડ મારફતે રિધમ હાઉસ બિલ્ડિંગ ખરીદી હતી. કહેવામાં આવી રહ્યું છે કે નીરવ મોદીએ ખરીદેલી મોટા ભાગની સંપતી  પંજાબ નેશનલ બેંક સાથે કૌભાંડ કરીને મેળવી છે. 




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.