'મને જ્યારે પણ તક મળશે, હું આવતો રહીશ...' બ્રિટિશ PM ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે અક્ષરધામ મંદિરમાં કરી પૂજા, જુઓ VEDIO


  • Published By :
  • Published Date : 2023-09-10 12:50:36

જી-20 સમિટના બીજા દિવસે આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સુનકે પત્ની અક્ષતા સાથે અહીં ભગવાન સ્વામિ નારાયણના દર્શન કર્યા હતા, તથા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ખૂબ જ કડક સુરક્ષા વચ્ચે ઋષિ સુનક તેમના કાફલા સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે સુનક અને તેની પત્ની અક્ષતા મંદિર પરિસરમાં છત્રી લઈને જતા જોવા મળ્યા હતા.


સ્વામી નારાયણ મંદિરમાં કરી પૂજા અર્ચના


અક્ષરધામ મંદિર પહોંચતા, સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ બંનેનું સ્વાગત કર્યું. તે પછી તે બંનેને મુખ્ય મંદિરમાં લઈ ગયા અને પૂજા કરી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન બંને દંપતીએ મુખ્ય મંદિરની પાછળ સ્થિત અન્ય મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ બંનેને હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા છે. ભારે વરસાદ હોવા છતા તેઓ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષરધામ મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા.અહીં આવતા જ તેમનુ સ્વાગત કરવામાં આવ્યું જે બાદ તેમણે મંદિરમાં પૂજા કરી હતી. સુનક અને તેમની પત્નીની પૂજા લાંબા સમય સુધી ચાલી હતી. જ્યોતિન્દ્ર દવેએ વધુમાં કહ્યું હતુ કે તેમણે અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તની હતી. અહીં BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ સુનકને કપાળે તિલકે કર્યુ હતું. જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. 


'હિંદુ હોવાનો મને ગર્વ'


G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા નેતાઓમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું એક હિંદુ હોવાનો મને ગર્વ છે. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.