'મને જ્યારે પણ તક મળશે, હું આવતો રહીશ...' બ્રિટિશ PM ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે અક્ષરધામ મંદિરમાં કરી પૂજા, જુઓ VEDIO


  • Published By :
  • Published Date : 2023-09-10 12:50:36

જી-20 સમિટના બીજા દિવસે આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સુનકે પત્ની અક્ષતા સાથે અહીં ભગવાન સ્વામિ નારાયણના દર્શન કર્યા હતા, તથા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ખૂબ જ કડક સુરક્ષા વચ્ચે ઋષિ સુનક તેમના કાફલા સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે સુનક અને તેની પત્ની અક્ષતા મંદિર પરિસરમાં છત્રી લઈને જતા જોવા મળ્યા હતા.


સ્વામી નારાયણ મંદિરમાં કરી પૂજા અર્ચના


અક્ષરધામ મંદિર પહોંચતા, સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ બંનેનું સ્વાગત કર્યું. તે પછી તે બંનેને મુખ્ય મંદિરમાં લઈ ગયા અને પૂજા કરી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન બંને દંપતીએ મુખ્ય મંદિરની પાછળ સ્થિત અન્ય મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ બંનેને હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા છે. ભારે વરસાદ હોવા છતા તેઓ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષરધામ મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા.અહીં આવતા જ તેમનુ સ્વાગત કરવામાં આવ્યું જે બાદ તેમણે મંદિરમાં પૂજા કરી હતી. સુનક અને તેમની પત્નીની પૂજા લાંબા સમય સુધી ચાલી હતી. જ્યોતિન્દ્ર દવેએ વધુમાં કહ્યું હતુ કે તેમણે અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તની હતી. અહીં BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ સુનકને કપાળે તિલકે કર્યુ હતું. જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. 


'હિંદુ હોવાનો મને ગર્વ'


G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા નેતાઓમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું એક હિંદુ હોવાનો મને ગર્વ છે. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .