'મને જ્યારે પણ તક મળશે, હું આવતો રહીશ...' બ્રિટિશ PM ઋષિ સુનકે પત્ની અક્ષતા સાથે અક્ષરધામ મંદિરમાં કરી પૂજા, જુઓ VEDIO


  • Published By :
  • Published Date : 2023-09-10 12:50:36

જી-20 સમિટના બીજા દિવસે આજે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક દિલ્હીમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. સુનકે પત્ની અક્ષતા સાથે અહીં ભગવાન સ્વામિ નારાયણના દર્શન કર્યા હતા, તથા મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ખૂબ જ કડક સુરક્ષા વચ્ચે ઋષિ સુનક તેમના કાફલા સાથે અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. આ દરમિયાન હળવો વરસાદ પડી રહ્યો હતો, જેના કારણે સુનક અને તેની પત્ની અક્ષતા મંદિર પરિસરમાં છત્રી લઈને જતા જોવા મળ્યા હતા.


સ્વામી નારાયણ મંદિરમાં કરી પૂજા અર્ચના


અક્ષરધામ મંદિર પહોંચતા, સ્વામી નારાયણ મંદિરના મુખ્ય પૂજારીએ ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિ બંનેનું સ્વાગત કર્યું. તે પછી તે બંનેને મુખ્ય મંદિરમાં લઈ ગયા અને પૂજા કરી હતી. અહેવાલો અનુસાર, આ દરમિયાન બંને દંપતીએ મુખ્ય મંદિરની પાછળ સ્થિત અન્ય મંદિરમાં જળાભિષેક પણ કર્યો હતો. ઋષિ સુનક અને પત્ની અક્ષતા મૂર્તિ બંનેને હિન્દુ ધર્મ પ્રત્યે આસ્થા છે. ભારે વરસાદ હોવા છતા તેઓ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતા. અક્ષરધામ મંદિરના નિર્દેશક જ્યોતિન્દ્ર દવેનું કહેવું છે કે ઋષિ સુનક લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા.અહીં આવતા જ તેમનુ સ્વાગત કરવામાં આવ્યું જે બાદ તેમણે મંદિરમાં પૂજા કરી હતી. સુનક અને તેમની પત્નીની પૂજા લાંબા સમય સુધી ચાલી હતી. જ્યોતિન્દ્ર દવેએ વધુમાં કહ્યું હતુ કે તેમણે અહીં સંપૂર્ણ ભક્તિભાવથી પૂજા કરી હતી. તેમની આંખો અને કાર્યોમાં પ્રેમ અને ભક્તિ કોઈ રાજકીય નેતા કે વડા પ્રધાનનો નહીં, પણ એક ભક્તની હતી. અહીં BAPSના બ્રહ્મવિહારી સ્વામીએ સુનકને કપાળે તિલકે કર્યુ હતું. જ્યોતિન્દ્ર દવેએ જણાવ્યું કે અમે ઋષિ સુનકને આખું અક્ષરધામ મંદિર બતાવ્યું અને બાદમાં તેમને મંદિરનું એક મોડેલ ભેટમાં આપ્યું જેથી તેઓ મંદિરને યાદ કરી શકે. 


'હિંદુ હોવાનો મને ગર્વ'


G20 સમિટમાં ભાગ લેવા માટે ભારત આવેલા નેતાઓમાં ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “હું એક હિંદુ હોવાનો મને ગર્વ છે. મારો ઉછેર પણ એ જ રીતે થયો છે. આશા છે કે થોડા દિવસ માટે અહીં છું તો મંદિરમાં પણ જઈ શકીશ. તાજેતરમાં જ અમે મારા ભાઈ-બહેનો સાથે રક્ષાબંધનની પણ ઉજવણી કરી, મને રાખડીઓ પણ બાંધવામાં આવી. જોકે, જન્માષ્ટમીની ઉજવણી કરવાનો સમય નહીં મળ્યો. પરંતુ હવે મંદિરની મુલાકાતે જઈશ તો તે પણ થઈ શકશે.” આગળ તેમણે કહ્યું કે, “મારા માટે આસ્થાનું ઘણું મહત્વ છે. આસ્થા એવી ચીજ છે જે સૌ કોઈને જીવનમાં મદદ કરે છે. ખાસ કરીને મારા જેવા લોકો જેમને ઘણું કામ હોય છે, તેમને તે શક્તિ આપે છે. એટલે તેનું એક આગવું મહત્વ છે.” 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.