માંગરોળમાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું મોત, પરિવાર થયો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-06-14 19:59:17

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબવાથી ભાઈ-બહેનના મોતની દુ:ખદ બની છે. શેખપુર ગામમાં બપોરના સમયે ભાઈ અને બહેન વાડી નજીક આવેલી કેનાલ નજીક રમી રહ્યા હતા, ત્યારે બહેન અચાનક જ મતા-રમતા કેનાલ પડી ગઈ હતી. આ દરમિયાન તેણે બચાવ માટે બૂમો પડતા સ્થળ પર હાજર તેનો મોટો ભાઈ એક ક્ષણનું પણ મોડું કર્યા વગર બહેનને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે અંતે આ ઘટનામાં ભાઈ-બહેન બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કેનાલ પાસે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કાઢી પોસ્ટ માર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


સમગ્ર ઘટના કેવી રીતે બની?

પોલીસના જણાવ્યા પ્રમાણે માંગરોળના શેખપુર ગામ ખાતે આવેલી વાડીમાં 8 વર્ષીદ અરશદ અને તેની 6 વર્ષીય બહેન કૌશર બંને બપોરે 2 વાગ્યાના સમયગાળામાં વાડીની 100 મીટર નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન કૌશર રમતા-રમતા કેનાલમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તેણે બચાવ માટે બૂમો પડતાં સાથે રહેલો મોટો ભાઈ અરશદ પળભરનો વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલ કૂદી પડ્યો હતો. જોકે ભાઈને તરતા ન આવડતું હોવાથી બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લાંબા સમયથી બાળકો ન દેખાતા પરિવારજનો વાડીની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને બાળકોના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દૃશ્યો જોતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.


બાળકોના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલાયા


બંને બાળકોના કેનાલમાં ડૂબવા અંગે પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.