માંગરોળમાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબતી બહેનને બચાવવા પડેલા ભાઈનું મોત, પરિવાર થયો શોકમગ્ન


  • Published By :
  • Published Date : 2023-06-14 19:59:17

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાનાં શેખપુર ગામમાં કેનાલમાં ડૂબવાથી ભાઈ-બહેનના મોતની દુ:ખદ બની છે. શેખપુર ગામમાં બપોરના સમયે ભાઈ અને બહેન વાડી નજીક આવેલી કેનાલ નજીક રમી રહ્યા હતા, ત્યારે બહેન અચાનક જ મતા-રમતા કેનાલ પડી ગઈ હતી. આ દરમિયાન તેણે બચાવ માટે બૂમો પડતા સ્થળ પર હાજર તેનો મોટો ભાઈ એક ક્ષણનું પણ મોડું કર્યા વગર બહેનને બચાવવા કેનાલમાં કૂદી પડ્યો હતો. જોકે અંતે આ ઘટનામાં ભાઈ-બહેન બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. ઘટનાના સમાચાર મળતા જ પોલીસ કેનાલ પાસે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કાઢી પોસ્ટ માર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા.


સમગ્ર ઘટના કેવી રીતે બની?

પોલીસના જણાવ્યા પ્રમાણે માંગરોળના શેખપુર ગામ ખાતે આવેલી વાડીમાં 8 વર્ષીદ અરશદ અને તેની 6 વર્ષીય બહેન કૌશર બંને બપોરે 2 વાગ્યાના સમયગાળામાં વાડીની 100 મીટર નજીક આવેલી કેનાલ પાસે રમી રહ્યા હતા. તે દરમિયાન કૌશર રમતા-રમતા કેનાલમાં પડી ગઈ હતી અને ડૂબવા લાગી હતી. તેણે બચાવ માટે બૂમો પડતાં સાથે રહેલો મોટો ભાઈ અરશદ પળભરનો વિલંબ કર્યા વગર બહેનને બચાવવા કેનાલ કૂદી પડ્યો હતો. જોકે ભાઈને તરતા ન આવડતું હોવાથી બંનેનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. લાંબા સમયથી બાળકો ન દેખાતા પરિવારજનો વાડીની આસપાસ શોધખોળ કરી રહ્યા હતા, ત્યારે તેઓ કેનાલ પાસે પહોંચ્યા હતા. જ્યાં બંને બાળકોના મૃતદેહ કેનાલમાં તરતા જોવા મળ્યા હતા. આ પ્રકારના દૃશ્યો જોતા પરિવારના માથે આભ તૂટી પડ્યું હતું.


બાળકોના મૃતદેહ પોસ્ટમાર્ટમ માટે મોકલાયા


બંને બાળકોના કેનાલમાં ડૂબવા અંગે પરિવારજનોએ માંગરોળ પોલીસને જાણ કરતા માંગરોળ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બંને બાળકોના મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢી પોસ્ટમાર્ટમ માટે નજીકની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.