ભાઈ ભલે દુનિયામાં નથી, પરંતુ બહેન બાંધે છે પોતાના ભાઈના હાથમાં રાખડી, વાંચો ભાવુક કરી દે તેવા ભાઈ-બહેનની કહાની


  • Published By :
  • Published Date : 2023-08-30 13:17:56

પરિવારમાં જ્યારે કોઈ સદસ્યનું અવસાન થાય છે ત્યારે તેની યાદોના સહારે જીવવા આપણે મજબૂર બનતા હોઈએ છીએ. મૃતક સાથે જોડાયેલી યાદોને વારંવાર યાદ  કરી આપણી આંખો ભરાઈ જતી હોય છે. અને જો કોઈ શુભ પ્રસંગ હોય અથવા તો કોઈ તહેવાર હોય ત્યારે તે વ્યક્તિની ખુબ જ યાદ આવતી હોય છે. આંખનો કોઈ એક ખુણો સતત તેની યાદમાં રડયા કરતો હોય છે. આજે આવી વાત એટલા માટે કરવી છે કારણ કે આજે રક્ષાબંધન છે. રક્ષાબંધન એટલે ભાઈ બહેનના પ્રેમનો દિવસ. ભાઈના હાથમાં બેન રાખડી બાંધે છે અને ભાઈ પોતાના બહેનની રક્ષા કરવા માટે વચન લે છે. 


અનેક બહેનો હશે જેમને ભાઈ નહીં હોય અથવા ભાઈ આ દુનિયામાં નહીં હોય... 

રક્ષાબંધનના દિવસે ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ દેખાઈ આવે છે. સામાન્ય દિવસો દરમિયાન ભાઈ બહેન ગમે તેટલું ઝઘડતા હોય પરંતુ રક્ષાબંધનના દિવસની વાત અલગ હોય છે. અનેક એવી બહેનો હશે જે પોતાના ભાઈ સાથે રક્ષાબંધનની ઉજવણી કરતા હશે. પરંતુ એવી બહેનો પણ હશે જેમના ભાઈ તેમની સાથે નહીં હોય, કાં તો દૂર રહેતા હશે અથવા તો આ દુનિયામાં જ નહીં હોય, મતલબ તેઓ અંતિમ યાત્રાએ નિકળી પડ્યા હશે. ત્યારે આજે વાત કરવી છે એક એવા બહેનની જેમણે પોતાના ભાઈને તો ગુમાવી દીધો પરંતુ આજે પણ તે પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. 


અનેક પરિવારો કરે છે અંગદાન  

વાંચીને નવાઈ લાગીને! આ વાત સાચી છે કારણ કે મૃતકના હાથનું દાન કરવામાં આવ્યું છે. અમદાવાદના યુવકનું અકસ્માતમાં મોત થઈ ગયું હતું. મૃત્યુ થયા બાદ અનેક પરિવારો અંગદાન કરતા હોય છે. મૃતક તો ભલે તેમને છોડીને અનંતની યાત્રાએ નિકળી ગયો પરંતુ તેના અંગથી કોઈને જીવનદાન મળી જાય તેવી ભાવના પરિવારમાં રહેતી હોય છે. ત્યારે અમદાવાદમાં રહેતા ભાઈના હાથનું દાન કરવામાં આવ્યું અને હાથ મળવાને કારણે રાજસ્થાનમાં રહેતા ભાઈને નવું જીવનદાન મળ્યું. 


અમદાવાદમાં રહેતી બહેન રાજસ્થાન મોકલે છે રાખડી! 

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર જગદેવસિંહને જે યુવકના હાથ મળ્યા તેમની બહેન તેમને દર વર્ષે રક્ષાબંધનના દિવસે તેમને રાખડી મોકલે છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ રાજસ્થાનના શ્રીગંગેશ્વરના રહેવાસી જગદેવસિંહને રક્ષાબંધન નિમિત્તે અમદાવાદમાં રહેતી બહેન રાખડી મોકલી છે, અમદાવાદની બહેન બે વર્ષથી રાજસ્થાનના ભાઈને રાખડી બાંધે છે   


કેવી રીતે યુવકે ગુમાવ્યા પોતાના હાથ? 

રાજસ્થાનમાં રહેતા યુવકે કેવી રીતે પોતાના હાથ ગુમાવ્યા તે કહાણી દુખી કરી દે તેવી છે. 2019માં જ્યારે જગદેવસિંહ ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે મોટરમાં ખામી સર્જાઈ. ઘટના બની ત્યારે કોઈ હાજર ન હતું જેને લઈ મોટરને જાતે રિપેર કરવાનો નિર્ણય જગદેવે લીધો. જ્યારે મોટરમાં ઈલેક્ટ્રિક વાયર લગાવવામાં જઈ રહ્યા હતા ત્યારે તેમને કરંટ લાગ્યો. હાઈટેન્શન વાયરથી કરંટ લાગ્યો હોવાથી તે ગંભીર રીતે દાઝી ગયો અને જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ત્યારે તેને પોતાના બંને હાથ અને પગને અલગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. 


બે વર્ષથી અમદાવાદથી બહેન ભાઈ માટે મોકલે છે રાખડી  

આ દુર્ઘટના બાદ જગદેવ હાથ પગ વિનાનો થઈ ગયો. પરંતુ એક દિવસ એવો આવ્યો જ્યારે તેના જીવનમાં નવી સવાર થઈ. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક બ્રેઈન ડેડ કેસ આવ્યો અને તે વ્યક્તિના હાથનું દાન જગદેવને કરવામાં આવ્યું. જે વ્યક્તિના હાથનું દાન કરવામાં આવ્યું તેમની બહેન જગદેવને ભાઈ માને છે. અને દર વર્ષે બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધતી હોય તેવા ઉત્સાહ સાથે ભાઈને રાખડી મોકલાવે છે અને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરે છે. 


કિડનીનું દાન કરી બહેને ભાઈને આપ્યું જીવનદાન 

આવો જ એક બીજો કિસ્સો હરિયાણાના ફતેહાબાદથી સામે આવ્યો છે. જેમાં મોટી બહેને નાના ભાઈને કિડની ગિફ્ટમાં આપી છે. 55 વર્ષીય બેબી નટિયાલે પોતાના 42 વર્ષના નાના ભાઈ દીપચંદનો જીવ બચાવવા કિડનીનું દાન કર્યું છે અને જીવનદાન આપ્યું છે. હરિયાણાના ફતેહાબાદના ખજુરી જાટી ગામના રહેવાસી, રક્ષાબંધન પહેલાં 8 ઓગસ્ટ 2023ના રોજ મહાત્મા ગાંધી હોસ્પિટલ જયપુરમાં પોતાની કિડની આપીને તેને જીવનદાન આપ્યું. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.