BRTSની ખોટ વધીને અધધધ રૂ.265 કરોડ, વિપક્ષ કોંગ્રેસના શાસક ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-01-08 15:07:39

અમદાવાદીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી  BRTS હવે સફેદ હાથી સાબિત થઈ રહી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદમાં વર્ષ 2008માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી.  BRTSની ખોટથી પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાને  જબરદસ્ત ફટકો પડશે તેવી સંભાવના છે.


3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ


BRTS જનમાર્ગ સેવા વર્ષ 2008-09માં શરૂ થઈ હતી. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે. BRTSની આટલી મોટી ખોટ માટે વિપક્ષના નેતા નીરવ બક્ષીએ સત્તાપક્ષ ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. નિરવ પક્ષીએ કહ્યું કે ટ્રાસન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે. 


BRTSની ખોટ અંગે મેયરે શું કહ્યું?


BRTSની ખોટ અંગે ભાજપ પર વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માછલા ધોઈ રહ્યા છે મેયરે વિપક્ષને જવાબ આપ્યો છે.વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચાલવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવામાં નફા-નુકસાનનું જોવાનું હોય નહીં.' 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.