BRTSની ખોટ વધીને અધધધ રૂ.265 કરોડ, વિપક્ષ કોંગ્રેસના શાસક ભાજપ પર આકરા પ્રહાર


  • Published By :
  • Published Date : 2023-01-08 15:07:39

અમદાવાદીઓની સુવિધા માટે શરૂ કરવામાં આવેલી  BRTS હવે સફેદ હાથી સાબિત થઈ રહી છે. લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમનો બહોળો ઉપયોગ કરી શકે તે માટે અમદાવાદમાં વર્ષ 2008માં BRTS બસ સેવા શરૂ કરવામાં આવી હતી.  BRTSની ખોટથી પહેલેથી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહેલી અમદાવાદ મહાનગરપાલિકાને  જબરદસ્ત ફટકો પડશે તેવી સંભાવના છે.


3 વર્ષમાં BRTSને રૂ.265 કરોડની ખોટ


BRTS જનમાર્ગ સેવા વર્ષ 2008-09માં શરૂ થઈ હતી. છેલ્લા 3 વર્ષમાં BRTSને રૂપિયા 265 કરોડની ખોટ થઈ છે. BRTSની આટલી મોટી ખોટ માટે વિપક્ષના નેતા નીરવ બક્ષીએ સત્તાપક્ષ ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. નિરવ પક્ષીએ કહ્યું કે ટ્રાસન્પોર્ટ સેવાનું ખાનગીકરણ કરી તંત્ર ખોટમાં આવ્યું છે. BRTS ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપતા જ મળતીયાઓ રૂપિયા કમાય છે. 


BRTSની ખોટ અંગે મેયરે શું કહ્યું?


BRTSની ખોટ અંગે ભાજપ પર વિપક્ષ કોંગ્રેસના નેતાઓ માછલા ધોઈ રહ્યા છે મેયરે વિપક્ષને જવાબ આપ્યો છે.વિપક્ષના આક્ષેપનો જવાબ આપતા અમદાવાદના મેયર કિરીટ પરમારે કહ્યું કે, 'ટ્રાન્સપોર્ટ સેવા જનતા માટે હોય છે અને તે ખોટ ખાઈને પણ ચાલવવી પડતી હોય છે. જનતા માટે શરૂ કરવામાં આવેલી સેવામાં નફા-નુકસાનનું જોવાનું હોય નહીં.' 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.