BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવા જોડાયા ભાજપમાં, છોટુ વસાવા જવાબ આપે, એમનો છોકરો શું ચાટી ખાવા ભાજપમાં ગયા?


  • Published By :
  • Published Date : 2024-03-11 13:24:55

ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ભાજપમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે. થોડા સમય પહેલા કમલમ ખાતે વેલકમ પાર્ટી યોજાઈ હતી અને આજે ફરી એક વખત વેલકમ પાર્ટી યોજાઈ છે. BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા આજે કેસરિયો ધારણ કરવાના છે. કમલમમાં મહેશ વસાવાના સ્વાગત માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચ્યા છે. ભારે ભીડ જોવા મળી રહી છે અને ત્યાં આદિવાસી નૃત્યનું આયોજન કરવામાં આવ્યું છે.   

છોટુ વસાવાએ ચૈતર વસાવા માટે આપ્યું હતું નિવેદન   

જ્યારે દિગ્ગજ આદિવાસી નેતા છોટુ વસાવાને પત્રકારે મહેશ વસાવાના ભાજપમાં જવા માટે પ્રશ્ન પુછ્યો તો એમણે જવાબ આપ્યો કે મહેશ વસાવા નાસમજ છે, જો કે એ વાત અલગ છે કે મહેશ વસાવાની ઉંમર 50 વર્ષ છે, ચૈતર વસાવા માટે છોટુ વસાવા બોલી રહ્યા હતા કે કશુંક ચાટી ખાવાનું હશે એટલે એ લોકો બીજા પક્ષમાં જતા હશે, એમણે એ પણ કહ્યું કે આદિવાસીનો પરસેવો નહીં ગમતો હોય એટલે બીજા પક્ષમાં જતા હશે, આજે હકિકત એ સામે આવીને ઉભી છે કે છોટુ વસાવાના પરિવારમાં જે તે સમયના એમના રાજકીય વારસદાર મહેશ વસાવા જ ભાજપમાં જોડાયા છે.  


જે પાર્ટી સામે પિતાએ મોરચો ખોલ્યો હતો તે જ પાર્ટીમાં પુત્ર જોડાયા!

છોટુ વસાવાએ આખુ જીવન એવો દાવો કર્યો કે એ સતત ભાજપ અને સંઘની વિચારધારા સામે લડતા આવ્યા છે, સતત કટ્ટર વાતો સાથે ઝઘડીયા અને ડેડીયાપાડામાં પોતાની સત્તા કાયમ રાખી, પણ વારો જ્યારે બીજા કોઈને એટલે કે ચૈતર વસાવાને મોકો આપવાનો આવ્યો તો એ ના કરી શક્યા, પરિણામ એવુ આવ્યું કે ઝઘડીયામાં ભારતીય જનતા પાર્ટી અને ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટી જીતી, આંધળા પુત્રપ્રેમમાં વેરવિખેર થયેલી સત્તાના ઉદાહરણોમાં નાનું પણ ભારતીય રાજનીતિનું મહત્વનું ચેપ્ટર ઉમેરાઈ ગયુ છે. મહેશ વસાવાના ભાજપમાં જતાની સાથે જ છોટુ વસાવાએ ઉભો કરેલો આધાર તુટી પડે છે કે એમના બીજા દિકરા જે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં હજુ વર્ચસ્વ જાળવી શક્યા છે એ લોકો એને ટકાવી શકે છે એ સમય જતા સમજાશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.