Budget 2024 : વચગાળાના બજેટમાં સામાન્ય વર્ગને કંઈ ના મળ્યું! ઈન્કમ ટેક્સ સ્લેબ રખાયો યથાવત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 15:14:29

નાણામંત્રી નિર્મલા સીતારમણએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાનો યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાયની વાત કરીએ તો, ડેરી કિસાનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર યોજના લાવશે તેવી જાહેરાત કરી છે. સરકાર ડેરી ખેડૂતોની મદદ માટે એક સ્કીમ લાવશે. ખેતી માટે આધુનિક સ્ટોરેજ, સપ્લાય ચેઇન પર ફોકસ, સરકાર સરસવ અને મગફળીની ખેતીને વધુ પ્રોત્સાહન આપશે, ફિશરીઝ સ્કીમને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે, સી-ફૂડની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક છે, સરકાર 5 સંકલિત એક્વા પાર્ક ખોલશે.

ટેક્સ સ્લેબમાં નથી કરવામાં આવ્યો ફેરફાર     

10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. ટેક્સના દર, આયાત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાંચ વર્ષમાં 2 કરોડથી વધુ ઘર બનાવાશે - નિર્મલા સીતારમણ

વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ગરીબોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરવામાં આવશે.અમારી સરકાર સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. દરેક ભારતીયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાના પડકારો છતાં, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા, અમે ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. દેશના 1 કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.


ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે - નાણામંત્રી  

ભ્રષ્ટાટારને લઈ મંત્રીએ કહ્યું કે દરેક ઘર સુધી પાણી, વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.


40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે - નિર્મલા સીતારમણ

ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. તેમની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વિકાસ દર વધારવામાં મદદ કરશે. વંદે ભારતના ધોરણો અનુસાર 40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.




પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.