Budget 2024 : વચગાળાના બજેટમાં સામાન્ય વર્ગને કંઈ ના મળ્યું! ઈન્કમ ટેક્સ સ્લેબ રખાયો યથાવત, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 15:14:29

નાણામંત્રી નિર્મલા સીતારમણએ વચગાળાનું બજેટ રજૂ કર્યું છે. ઈન્કમ ટેક્સના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાનો યથાવત રાખવામાં આવ્યો છે. તે સિવાયની વાત કરીએ તો, ડેરી કિસાનોને પ્રોત્સાહિત કરવા માટે સરકાર યોજના લાવશે તેવી જાહેરાત કરી છે. સરકાર ડેરી ખેડૂતોની મદદ માટે એક સ્કીમ લાવશે. ખેતી માટે આધુનિક સ્ટોરેજ, સપ્લાય ચેઇન પર ફોકસ, સરકાર સરસવ અને મગફળીની ખેતીને વધુ પ્રોત્સાહન આપશે, ફિશરીઝ સ્કીમને પ્રોત્સાહન આપવા માટે કામ કરવામાં આવશે, સી-ફૂડની નિકાસ બમણી કરવાનો લક્ષ્યાંક છે, સરકાર 5 સંકલિત એક્વા પાર્ક ખોલશે.

ટેક્સ સ્લેબમાં નથી કરવામાં આવ્યો ફેરફાર     

10 વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન ત્રણ ગણું વધ્યું છે. કરદાતાઓમાં 2.4 ગણો વધારો થયો છે. દેશના વિકાસમાં કરદાતાઓના યોગદાનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અમે કરદાતાઓની પ્રશંસા કરીએ છીએ. ટેક્સના દર, આયાત દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 


પાંચ વર્ષમાં 2 કરોડથી વધુ ઘર બનાવાશે - નિર્મલા સીતારમણ

વધુમાં નાણામંત્રીએ કહ્યું કે ગરીબોને 300 યુનિટ સુધી વીજળી ફ્રી કરવામાં આવશે.અમારી સરકાર સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપે છે. દરેક ભારતીયની આકાંક્ષાઓને પૂર્ણ કરવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. કોરોનાના પડકારો છતાં, પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા, અમે ગ્રામીણ વિસ્તારોમાં 3 કરોડ મકાનો બનાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આગામી પાંચ વર્ષમાં 2 કરોડ વધુ મકાનો બનાવવાનું કામ પૂર્ણ કરવામાં આવશે. દેશના 1 કરોડ ઘરોને સૌર ઉર્જા દ્વારા 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે.


ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે - નાણામંત્રી  

ભ્રષ્ટાટારને લઈ મંત્રીએ કહ્યું કે દરેક ઘર સુધી પાણી, વીજળી, ગેસ, નાણાકીય સેવાઓ અને બેંક ખાતા ખોલવાનું કામ કરવામાં આવ્યું છે. ખોરાકની ચિંતાઓ દૂર કરવામાં આવી છે. 80 કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવ્યું છે. મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ છે, જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં લોકોની આવક વધી છે. ભારત 2047 સુધીમાં વિકસિત દેશ બની જશે. અમે લોકોને સશક્ત બનાવવા માટે કામ કરી રહ્યા છીએ. અમે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદ ખતમ કર્યો છે.


40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે - નિર્મલા સીતારમણ

ઊર્જા, ખનીજ અને સિમેન્ટ માટે ત્રણ રેલવે કોરિડોર બનાવવામાં આવશે. તેમની ઓળખ પીએમ ગતિ શક્તિ હેઠળ કરવામાં આવી છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે અને માલસામાનની હેરફેરમાં સરળતા રહેશે. ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર વિકાસ દર વધારવામાં મદદ કરશે. વંદે ભારતના ધોરણો અનુસાર 40 હજાર સામાન્ય બોગી વિકસાવવામાં આવશે જેથી મુસાફરોની સલામતી અને સુવિધામાં વધારો કરી શકાય.




દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .

અમદાવાદના સેવન્થ ડે સ્કૂલની ઘટનાની સંપૂર્ણ તપાસ હાલમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે. અને હવે ક્રાઇમ બ્રાન્ચ સેવન્થ ડે સ્કૂલની ઘટનામાં તેના સંચાલકો સામે ફરિયાદ દાખલ કરવા માટે કોર્ટની મંજૂરી મેળવશે . હાલમાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ આખી ઘટનાની અંદર ઝીણવટભરી તપાસ કરી રહી છે . આપને જણાવી દયિકે , આ આખી ઘટનામાં , સેવન્થ ડે સ્કૂલના સંચાલકોની ખુબ ભારે બેદરકારી સામે આવી છે .

સમાજમાં કેટલીકવાર એવી ઘટનાઓ અને ગુનાઓ બનતા હોય છે કે જેના કારણે સમાજની આત્માને કુઠારાઘાત પહોંચતો હોય છે. આવી જ એક ઘટના અમદાવાદના હાટકેશ્વર ખાતે બની છે . જ્યાં સેવન્થ ડે સ્કૂલમાં ધક્કામુક્કી જેવી સામાન્ય બાબતે ધોરણ ૮ માં ભણતો વિદ્યાર્થી દસમા ધોરણમાં ભણતા છોકરાને ધારદાર વસ્તુના ઘા મારીને મારી નાખે છે . જેના પ્રત્યાઘાત હવે ખુબ ઊંડા પડ્યા છે. આજે ૨૧ ઓગસ્ટના રોજ યુથ કોંગ્રેસ અને NSUI દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. ઉપરાંત વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો બંધ રાખી વિસ્તારને બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે . સાથે જ અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સિંધી માર્કેટ આજે બંધ છે.