Budget 2024 : નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ કરશે રજૂ, આ વાતો પર રાખવામાં આવી શકે છે ધ્યાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 11:01:14

આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતામરણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા બજેટ હોવાને કારણે સૌ કોઈની નજર આ બજેટ પર રહેલી છે. આ બજેટને ચૂંટણીની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. એવી બાબતો પર ધ્યાન રાખવામાં આવશે જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડી શકે છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોને લગતા પ્રશ્નોના પકડારનો સામનો નાણામંત્રીને કરવો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપવામાં આવી શકે છે.  



પેટ્રોલના ભાવમાં કરવામાં આવી શકે છે ઘટાડો

નિર્મલા સીતામરણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં સૌથી વધારે ધ્યાન એવા વિષયો પર રાખ્યું હશે જે સામાન્ય માણસને સીધી અસર કરે છે. મહિલા, ખેડૂતો, નોકરીયાતો પર આ બજેટ આધારિત હોઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાતોનું તેમજ મીડિયા રિપોર્ટની વાત કરીએ તો પેટ્રોલ અને એલપીજી ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં સરકાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે. 



આ વાતો પર રાખવામાં આવી શકે છે વિશેષ ધ્યાન!

એવું પણ જોવામાં આવી રહ્યું છે કે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે. હાલમાં, આ અંતર્ગત નોકરી કરતા લોકોને 50,000 રૂપિયાની છૂટ મળે છે. 2014થી ટેક્સ શાસનના સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને આ વખતે રાહતની આશા છે. આ વખતે બજેટમાં મહિલા ઉદ્યોગપતિઓ માટે પણ મોટી જાહેરાતો હોવાની સંભાવના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને મહિલા આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ જેવી યોજનાઓનો વ્યાપ વધારી શકે છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."