Budget 2024 : નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ કરશે રજૂ, આ વાતો પર રાખવામાં આવી શકે છે ધ્યાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 11:01:14

આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતામરણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા બજેટ હોવાને કારણે સૌ કોઈની નજર આ બજેટ પર રહેલી છે. આ બજેટને ચૂંટણીની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. એવી બાબતો પર ધ્યાન રાખવામાં આવશે જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડી શકે છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોને લગતા પ્રશ્નોના પકડારનો સામનો નાણામંત્રીને કરવો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપવામાં આવી શકે છે.  



પેટ્રોલના ભાવમાં કરવામાં આવી શકે છે ઘટાડો

નિર્મલા સીતામરણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં સૌથી વધારે ધ્યાન એવા વિષયો પર રાખ્યું હશે જે સામાન્ય માણસને સીધી અસર કરે છે. મહિલા, ખેડૂતો, નોકરીયાતો પર આ બજેટ આધારિત હોઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાતોનું તેમજ મીડિયા રિપોર્ટની વાત કરીએ તો પેટ્રોલ અને એલપીજી ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં સરકાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે. 



આ વાતો પર રાખવામાં આવી શકે છે વિશેષ ધ્યાન!

એવું પણ જોવામાં આવી રહ્યું છે કે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે. હાલમાં, આ અંતર્ગત નોકરી કરતા લોકોને 50,000 રૂપિયાની છૂટ મળે છે. 2014થી ટેક્સ શાસનના સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને આ વખતે રાહતની આશા છે. આ વખતે બજેટમાં મહિલા ઉદ્યોગપતિઓ માટે પણ મોટી જાહેરાતો હોવાની સંભાવના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને મહિલા આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ જેવી યોજનાઓનો વ્યાપ વધારી શકે છે. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે