Budget 2024 : નિર્મલા સીતારમણ આજે વચગાળાનું બજેટ કરશે રજૂ, આ વાતો પર રાખવામાં આવી શકે છે ધ્યાન, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-01 11:01:14

આજે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતામરણ વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. લોકસભા ચૂંટણી પહેલા બજેટ હોવાને કારણે સૌ કોઈની નજર આ બજેટ પર રહેલી છે. આ બજેટને ચૂંટણીની દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યું છે. એવી બાબતો પર ધ્યાન રાખવામાં આવશે જેની સીધી અસર સામાન્ય માણસના જીવન પર પડી શકે છે. બેરોજગારી, મોંઘવારી, ખેડૂતોને લગતા પ્રશ્નોના પકડારનો સામનો નાણામંત્રીને કરવો પડી શકે છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં રાહત આપવામાં આવી શકે છે.  



પેટ્રોલના ભાવમાં કરવામાં આવી શકે છે ઘટાડો

નિર્મલા સીતામરણ મોદી સરકારનું લોકસભા ચૂંટણી પહેલા આજે વચગાળાનું બજેટ રજૂ કરવાના છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે છઠ્ઠી વખત બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં સૌથી વધારે ધ્યાન એવા વિષયો પર રાખ્યું હશે જે સામાન્ય માણસને સીધી અસર કરે છે. મહિલા, ખેડૂતો, નોકરીયાતો પર આ બજેટ આધારિત હોઈ શકે છે તેવું નિષ્ણાંતોનું માનવું છે. નિષ્ણાતોનું તેમજ મીડિયા રિપોર્ટની વાત કરીએ તો પેટ્રોલ અને એલપીજી ગેસના ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે. જ્યાં સરકાર સામાન્ય લોકોને રાહત આપી શકે છે. 



આ વાતો પર રાખવામાં આવી શકે છે વિશેષ ધ્યાન!

એવું પણ જોવામાં આવી રહ્યું છે કે આવકવેરામાં સ્ટાન્ડર્ડ ડિડક્શનની મર્યાદા વધારી શકાય છે. હાલમાં, આ અંતર્ગત નોકરી કરતા લોકોને 50,000 રૂપિયાની છૂટ મળે છે. 2014થી ટેક્સ શાસનના સ્લેબ અને દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આવી સ્થિતિમાં લોકોને આ વખતે રાહતની આશા છે. આ વખતે બજેટમાં મહિલા ઉદ્યોગપતિઓ માટે પણ મોટી જાહેરાતો હોવાની સંભાવના છે. એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને મહિલા આંત્રપ્રિન્યોરશિપ પ્લેટફોર્મ જેવી યોજનાઓનો વ્યાપ વધારી શકે છે. 



આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.