Budget 2024: 8 લાખની ઈન્કમ સુધી કોઈ ટેક્સ નહીં, વચગાળાના બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-08 16:53:00

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. એવામાં કરદાતાઓને ચૂંટણી વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થશે તો 8 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ સમાવેશ થાય છે. આ માટે ફાયનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ગયા વર્ષના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ મુક્તિ મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ સ્લેબની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરવામાં આવી હતી.


બજેટમાં કરદાતાઓને રાહત


કેટલાક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વચગાળાના બજેટમાં કરદાતાઓને રાહત આપવામાં આવી શકે છે. એક સૂત્રએ કહ્યું, 'તેનો હેતુ સખત મહેનત કરતા મધ્યમ વર્ગના લોકોને ટેક્સ લાભ આપવાનો છે. ચૂંટણી પછી રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ પ્રસ્તાવ માટે ફાઇનાન્સ બિલ લાવવામાં આવી શકે છે. ટેક્સ રિસિપ્ટનો વ્યાપ વધારવાની સાથે કેન્દ્ર સરકાર કરદાતાઓ પર ટેક્સનો બોજ ઘટાડવા માટે કામ કરી રહી છે. અસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે, જે ગયા વર્ષ કરતાં નવ ટકા વધુ છે.


જૂની વિરુદ્ધ નવી કર પ્રણાલી


નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત સૌપ્રથમ બજેટ 2020માં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ સિસ્ટમ અને જૂની ટેક્સ સિસ્ટમ બંને લાગુ કરી છે. કરદાતાઓ ITR ફાઈલ કરવા અને કર મુક્તિ મેળવવા માટે બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રાખવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થાનો લાભ મેળવવા માંગતા હોવ તો તેને પસંદ કરવું જરૂરી છે. તેથી, જો તમે તમારી કંપનીને તમારી પસંદગી વિશે જાણ કરી નથી, તો હવે તમારા પર નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ લાગશે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.