Budget 2024: 8 લાખની ઈન્કમ સુધી કોઈ ટેક્સ નહીં, વચગાળાના બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-08 16:53:00

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. એવામાં કરદાતાઓને ચૂંટણી વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થશે તો 8 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ સમાવેશ થાય છે. આ માટે ફાયનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ગયા વર્ષના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ મુક્તિ મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ સ્લેબની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરવામાં આવી હતી.


બજેટમાં કરદાતાઓને રાહત


કેટલાક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વચગાળાના બજેટમાં કરદાતાઓને રાહત આપવામાં આવી શકે છે. એક સૂત્રએ કહ્યું, 'તેનો હેતુ સખત મહેનત કરતા મધ્યમ વર્ગના લોકોને ટેક્સ લાભ આપવાનો છે. ચૂંટણી પછી રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ પ્રસ્તાવ માટે ફાઇનાન્સ બિલ લાવવામાં આવી શકે છે. ટેક્સ રિસિપ્ટનો વ્યાપ વધારવાની સાથે કેન્દ્ર સરકાર કરદાતાઓ પર ટેક્સનો બોજ ઘટાડવા માટે કામ કરી રહી છે. અસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે, જે ગયા વર્ષ કરતાં નવ ટકા વધુ છે.


જૂની વિરુદ્ધ નવી કર પ્રણાલી


નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત સૌપ્રથમ બજેટ 2020માં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ સિસ્ટમ અને જૂની ટેક્સ સિસ્ટમ બંને લાગુ કરી છે. કરદાતાઓ ITR ફાઈલ કરવા અને કર મુક્તિ મેળવવા માટે બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રાખવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થાનો લાભ મેળવવા માંગતા હોવ તો તેને પસંદ કરવું જરૂરી છે. તેથી, જો તમે તમારી કંપનીને તમારી પસંદગી વિશે જાણ કરી નથી, તો હવે તમારા પર નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ લાગશે.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.