Budget 2024: 8 લાખની ઈન્કમ સુધી કોઈ ટેક્સ નહીં, વચગાળાના બજેટમાં થઈ શકે છે મોટી જાહેરાત


  • Published By :
  • Published Date : 2024-01-08 16:53:00

નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાનું બજેટ રજૂ કરશે. એવામાં કરદાતાઓને ચૂંટણી વર્ષમાં સારા સમાચાર મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, મુક્તિ મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરવામાં આવી શકે છે. જો આમ થશે તો 8 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આમાં 50,000 રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો પણ સમાવેશ થાય છે. આ માટે ફાયનાન્સ બિલમાં ફેરફાર કરવામાં આવી શકે છે. ગયા વર્ષના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ મુક્તિ મર્યાદા રૂ. 5 લાખથી વધારીને રૂ. 7 લાખ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઈન્કમ ટેક્સ સ્લેબની સંખ્યા પણ સાતથી ઘટાડીને છ કરવામાં આવી હતી.


બજેટમાં કરદાતાઓને રાહત


કેટલાક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે વચગાળાના બજેટમાં કરદાતાઓને રાહત આપવામાં આવી શકે છે. એક સૂત્રએ કહ્યું, 'તેનો હેતુ સખત મહેનત કરતા મધ્યમ વર્ગના લોકોને ટેક્સ લાભ આપવાનો છે. ચૂંટણી પછી રજૂ થનારા સંપૂર્ણ બજેટમાં કેટલાક ફેરફારો કરવામાં આવી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા વચગાળાના બજેટમાં આ પ્રસ્તાવ માટે ફાઇનાન્સ બિલ લાવવામાં આવી શકે છે. ટેક્સ રિસિપ્ટનો વ્યાપ વધારવાની સાથે કેન્દ્ર સરકાર કરદાતાઓ પર ટેક્સનો બોજ ઘટાડવા માટે કામ કરી રહી છે. અસેસમેન્ટ યર 2023-24માં રેકોર્ડ 8.18 કરોડ લોકોએ ITR ફાઈલ કર્યું છે, જે ગયા વર્ષ કરતાં નવ ટકા વધુ છે.


જૂની વિરુદ્ધ નવી કર પ્રણાલી


નવી ટેક્સ સિસ્ટમની જાહેરાત સૌપ્રથમ બજેટ 2020માં કરવામાં આવી હતી. નાણા મંત્રાલયે નાણાકીય વર્ષ 2023-24 માટે નવી ટેક્સ સિસ્ટમ અને જૂની ટેક્સ સિસ્ટમ બંને લાગુ કરી છે. કરદાતાઓ ITR ફાઈલ કરવા અને કર મુક્તિ મેળવવા માટે બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. જો કે, નવી કર વ્યવસ્થા ડિફોલ્ટ રાખવામાં આવી છે. જો તમે જૂની ટેક્સ વ્યવસ્થાનો લાભ મેળવવા માંગતા હોવ તો તેને પસંદ કરવું જરૂરી છે. તેથી, જો તમે તમારી કંપનીને તમારી પસંદગી વિશે જાણ કરી નથી, તો હવે તમારા પર નવી કર વ્યવસ્થા હેઠળ ટેક્સ લાગશે.



સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.