1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-01 18:27:12

 1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે?

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.      

કઈ વસ્તુઓ સસ્તી થશે તો ..  

·         કોમર્શિયલ LPG સસ્તો થશે. કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફક્ત કોમર્શિયલ LPGમાં 40 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ ચાલે છે એટલે લગભગ દરેક રાજયમાં 40 રૂપિયાની આસપાસ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે માઠા સમાચાર છે કારણ કે ઘરેલુ LPG માં કોઈ રાહત નથી આપી.

·          ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સસ્તુ થશે.ફરવાના શોખીન લોકો માટે આ સારા સમાચાર છે. હવાઈ ભાડામાં ઘટાડો થશે.અગાઉ ATF 1 હજાર લિટરના 95 હજાર હતા તે ઘટાડી ને હવે ફક્ત 89000 લિટર થશે.

·          વરિષ્ટ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવી છે જેમાં આવક મર્યાદા 50 હજાર થી વધારીને 1 લાખ કરવામાં આવી છે

·          કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનાનો (UPS) લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપવામાં આવે છે. જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS વચ્ચે સંતુલન બનાવવાનો છે. તમામ સરકારી અધિકારીઓ માટે નવી પેન્શન યોજના લાગું થશે. કર્મચારીએ UPS કે NPS વચ્ચે પસંદગી કરવાની રહશે. NPS યોજના હેઠળ કર્મચારીના પગારના 10 ટકા જયારે સરકારનો 18.5 ટકા ફાળો રહશે.   

આજથી નવો ટેક્સ લેબ પણ લાગું થશે.12 લાખની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

કેટલાક નવા નિયમો જે તમારે જાણવા જોઈએ?

·         નિષ્ક્રિય UPI અકાઉન્ટ ધારકોના નામ દૂર કરવામાં આવશે.આરબીઆઇએ બેન્કોને મિનિમમ બેલેન્સ નહિ રાખવા બદલ પેનલ્ટી લાગું કરવા માટે સંમતિ આપી છે. જેથી હવે જો તે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ રાખો તો પેનલ્ટી તમારા ખાતા માંથી કપાઈ જશે.   

·         મહિલાઓ માટે ચાલતા મહિલા સન્માન બચત પત્ર બંધ કરવાંઆ આવશે. આ બચત પત્રમાં રોકાણ બદલ 7.50 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ બચત પત્રની 2 વર્ષની મર્યાદા રાખી છે    

·         તમામ પ્રકારના ફોર વ્હીલર 4 ટકા સુધી મોંઘા થશે. દરેક કંપની પોતાના વાહનોની કિમતમાં 2 થી 4 ટકાનો વધારો કરશે.વધુ માહિતી બીજા ભાગમાં .. 

 



આજના દિવસે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં વલસાડના ધરમપુર ખાતે કોંગ્રેસ દ્વારા રેલી યોજવામાં આવી હતી. ત્યારે સરકારે એવી જાહેરાત કરી છે કે, આ પ્રોજેક્ટ થવાનો જ નથી ઉપરાંત કોંગ્રેસ આદિવાસીઓને ઉશ્કેરી રહી છે. તો હવે આજે વીડિયોમાં સૌપ્રથમ આપણે સમજીશું કે પાર - તાપી - નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ શું છે? એ પણ સમજીશું કોંગ્રેસ કેમ આ પ્રોજેક્ટનો વિરોધ કરી રહી છે.

આણંદ અમુલ નિયામક મંડળની ચૂંટણી જાહેર થઇ ચુકી છે. આ ચૂંટણીઓ ૧૦મી સપ્ટેમ્બરના રોજ યોજાશે. આ માટે આણંદ અમુલ ડેરીએ આખરી મતદાર યાદી પણ પ્રસ્સિદ્ધ કરી નાખી છે. હવે ચૂંટણીનો ધમધમાટ તેજ થવા સાથે ઉમેદવારની દાવેદારી કરવા ઇચ્છતા નેતાઓ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આણંદ નિયામક મંડળની ૧૩ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં મહિલાઓ માટે બે બેઠકો અનામત રાખવામાં આવી છે.

ભારત દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર પછી , હવે ફરી એકવાર બેઉ દેશ ભારત અને પાકિસ્તાન આરબ સાગરમાં યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે . ભારત અને પાકિસ્તાનની નૌકા સેનાઓ બે દિવસો ૧૧ અને ૧૨ ઓગસ્ટ માટે , આરબ સાગરમાં યુદ્ધ અબ્યાસ હાથ ધરશે. બને દેશના ફાયરિંગ ઝોન વચ્ચે ૬૦ નોટિકલ માઈલનું અંતર રહેશે. તો હવે બીજી તરફ પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીર અમેરિકાની મુલાકાતે છે . જ્યાંથી તેમણે ભારત માટે પરમાણુ બોમ્બની ધમકી ઉચ્ચારી છે.

ભારતના નેશનલ સિક્યોરિટી એડવાઈઝર અજિત ડોભાલ રશિયાની મુલાકાતે છે. જ્યાં તેમણે રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન સહીત રશિયન સિક્યોરિટી સાથે જોડાયેલા અધિકારીઓ સાથે વાતચીત કરી છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના "ટેરિફ" રૂપી ટેરરિઝમની સામે ભારત અને રશિયા પોતાનો સહયોગ વધારવા જઈ રહ્યા છે . સાથે જ અજિત ડોભાલની આ મુલાકાતમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત આવવાના છે તેને લઇને તારીખો પર પણ ચર્ચા થઇ છે .