1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-01 18:27:12

 1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે?

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.      

કઈ વસ્તુઓ સસ્તી થશે તો ..  

·         કોમર્શિયલ LPG સસ્તો થશે. કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફક્ત કોમર્શિયલ LPGમાં 40 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ ચાલે છે એટલે લગભગ દરેક રાજયમાં 40 રૂપિયાની આસપાસ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે માઠા સમાચાર છે કારણ કે ઘરેલુ LPG માં કોઈ રાહત નથી આપી.

·          ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સસ્તુ થશે.ફરવાના શોખીન લોકો માટે આ સારા સમાચાર છે. હવાઈ ભાડામાં ઘટાડો થશે.અગાઉ ATF 1 હજાર લિટરના 95 હજાર હતા તે ઘટાડી ને હવે ફક્ત 89000 લિટર થશે.

·          વરિષ્ટ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવી છે જેમાં આવક મર્યાદા 50 હજાર થી વધારીને 1 લાખ કરવામાં આવી છે

·          કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનાનો (UPS) લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપવામાં આવે છે. જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS વચ્ચે સંતુલન બનાવવાનો છે. તમામ સરકારી અધિકારીઓ માટે નવી પેન્શન યોજના લાગું થશે. કર્મચારીએ UPS કે NPS વચ્ચે પસંદગી કરવાની રહશે. NPS યોજના હેઠળ કર્મચારીના પગારના 10 ટકા જયારે સરકારનો 18.5 ટકા ફાળો રહશે.   

આજથી નવો ટેક્સ લેબ પણ લાગું થશે.12 લાખની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

કેટલાક નવા નિયમો જે તમારે જાણવા જોઈએ?

·         નિષ્ક્રિય UPI અકાઉન્ટ ધારકોના નામ દૂર કરવામાં આવશે.આરબીઆઇએ બેન્કોને મિનિમમ બેલેન્સ નહિ રાખવા બદલ પેનલ્ટી લાગું કરવા માટે સંમતિ આપી છે. જેથી હવે જો તે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ રાખો તો પેનલ્ટી તમારા ખાતા માંથી કપાઈ જશે.   

·         મહિલાઓ માટે ચાલતા મહિલા સન્માન બચત પત્ર બંધ કરવાંઆ આવશે. આ બચત પત્રમાં રોકાણ બદલ 7.50 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ બચત પત્રની 2 વર્ષની મર્યાદા રાખી છે    

·         તમામ પ્રકારના ફોર વ્હીલર 4 ટકા સુધી મોંઘા થશે. દરેક કંપની પોતાના વાહનોની કિમતમાં 2 થી 4 ટકાનો વધારો કરશે.વધુ માહિતી બીજા ભાગમાં .. 

 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.