1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-01 18:27:12

 1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે?

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.      

કઈ વસ્તુઓ સસ્તી થશે તો ..  

·         કોમર્શિયલ LPG સસ્તો થશે. કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફક્ત કોમર્શિયલ LPGમાં 40 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ ચાલે છે એટલે લગભગ દરેક રાજયમાં 40 રૂપિયાની આસપાસ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે માઠા સમાચાર છે કારણ કે ઘરેલુ LPG માં કોઈ રાહત નથી આપી.

·          ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સસ્તુ થશે.ફરવાના શોખીન લોકો માટે આ સારા સમાચાર છે. હવાઈ ભાડામાં ઘટાડો થશે.અગાઉ ATF 1 હજાર લિટરના 95 હજાર હતા તે ઘટાડી ને હવે ફક્ત 89000 લિટર થશે.

·          વરિષ્ટ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવી છે જેમાં આવક મર્યાદા 50 હજાર થી વધારીને 1 લાખ કરવામાં આવી છે

·          કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનાનો (UPS) લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપવામાં આવે છે. જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS વચ્ચે સંતુલન બનાવવાનો છે. તમામ સરકારી અધિકારીઓ માટે નવી પેન્શન યોજના લાગું થશે. કર્મચારીએ UPS કે NPS વચ્ચે પસંદગી કરવાની રહશે. NPS યોજના હેઠળ કર્મચારીના પગારના 10 ટકા જયારે સરકારનો 18.5 ટકા ફાળો રહશે.   

આજથી નવો ટેક્સ લેબ પણ લાગું થશે.12 લાખની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

કેટલાક નવા નિયમો જે તમારે જાણવા જોઈએ?

·         નિષ્ક્રિય UPI અકાઉન્ટ ધારકોના નામ દૂર કરવામાં આવશે.આરબીઆઇએ બેન્કોને મિનિમમ બેલેન્સ નહિ રાખવા બદલ પેનલ્ટી લાગું કરવા માટે સંમતિ આપી છે. જેથી હવે જો તે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ રાખો તો પેનલ્ટી તમારા ખાતા માંથી કપાઈ જશે.   

·         મહિલાઓ માટે ચાલતા મહિલા સન્માન બચત પત્ર બંધ કરવાંઆ આવશે. આ બચત પત્રમાં રોકાણ બદલ 7.50 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ બચત પત્રની 2 વર્ષની મર્યાદા રાખી છે    

·         તમામ પ્રકારના ફોર વ્હીલર 4 ટકા સુધી મોંઘા થશે. દરેક કંપની પોતાના વાહનોની કિમતમાં 2 થી 4 ટકાનો વધારો કરશે.વધુ માહિતી બીજા ભાગમાં .. 

 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.