1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો પડશે ભાર?


  • Published By : Simple Thakkar
  • Published Date : 2025-04-01 18:27:12

 1 લી એપ્રિલથી તમારા ખિસ્સા પર કેટલો ભાર પડશે?

નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.      

કઈ વસ્તુઓ સસ્તી થશે તો ..  

·         કોમર્શિયલ LPG સસ્તો થશે. કોમર્શિયલ LPGના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફક્ત કોમર્શિયલ LPGમાં 40 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. દરેક રાજ્યમાં અલગ અલગ ભાવ ચાલે છે એટલે લગભગ દરેક રાજયમાં 40 રૂપિયાની આસપાસ ઘટાડો કરવામાં આવ્યો છે. મહિલાઓ માટે માઠા સમાચાર છે કારણ કે ઘરેલુ LPG માં કોઈ રાહત નથી આપી.

·          ATF એટલે કે એવિએશન ટર્બાઇન ફ્યુઅલ સસ્તુ થશે.ફરવાના શોખીન લોકો માટે આ સારા સમાચાર છે. હવાઈ ભાડામાં ઘટાડો થશે.અગાઉ ATF 1 હજાર લિટરના 95 હજાર હતા તે ઘટાડી ને હવે ફક્ત 89000 લિટર થશે.

·          વરિષ્ટ નાગરિકોને કરમુક્તિ આપવામાં આવી છે જેમાં આવક મર્યાદા 50 હજાર થી વધારીને 1 લાખ કરવામાં આવી છે

·          કેન્દ્રીય કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજનાનો (UPS) લાભ મેળવી શકશે. આ યોજના અંતર્ગત 10 હજાર રૂપિયા પેન્શનની ગેરેન્ટી આપવામાં આવે છે. જૂની પેન્શન યોજના OPS અને નવી પેન્શન યોજના NPS વચ્ચે સંતુલન બનાવવાનો છે. તમામ સરકારી અધિકારીઓ માટે નવી પેન્શન યોજના લાગું થશે. કર્મચારીએ UPS કે NPS વચ્ચે પસંદગી કરવાની રહશે. NPS યોજના હેઠળ કર્મચારીના પગારના 10 ટકા જયારે સરકારનો 18.5 ટકા ફાળો રહશે.   

આજથી નવો ટેક્સ લેબ પણ લાગું થશે.12 લાખની આવક પર કોઈ ટેક્સ લાગશે નહિ.

કેટલાક નવા નિયમો જે તમારે જાણવા જોઈએ?

·         નિષ્ક્રિય UPI અકાઉન્ટ ધારકોના નામ દૂર કરવામાં આવશે.આરબીઆઇએ બેન્કોને મિનિમમ બેલેન્સ નહિ રાખવા બદલ પેનલ્ટી લાગું કરવા માટે સંમતિ આપી છે. જેથી હવે જો તે તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ નહિ રાખો તો પેનલ્ટી તમારા ખાતા માંથી કપાઈ જશે.   

·         મહિલાઓ માટે ચાલતા મહિલા સન્માન બચત પત્ર બંધ કરવાંઆ આવશે. આ બચત પત્રમાં રોકાણ બદલ 7.50 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. આ બચત પત્રની 2 વર્ષની મર્યાદા રાખી છે    

·         તમામ પ્રકારના ફોર વ્હીલર 4 ટકા સુધી મોંઘા થશે. દરેક કંપની પોતાના વાહનોની કિમતમાં 2 થી 4 ટકાનો વધારો કરશે.વધુ માહિતી બીજા ભાગમાં .. 

 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .