આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો થશે શુભારંભ, આવતી કાલે બજેટ થશે રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-23 10:09:12

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. આ બજેટ ગુજરાત સરકાર 2.0નું પ્રથમ બજેટ હશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલવાનું છે. 24 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જવાનું છે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે તે બાદ સત્રની શરૂઆત થશે. પ્રથમ વખત એવું બનશે કે વિપક્ષના નેતા વગર સત્ર ચાલશે. 


રાજ્યપાલના સંબોધન બાદ સત્રનો થશે પ્રારંભ

સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન બાદ થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. તે બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ,મહિપતસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સભામાં પચાસ ટકા એવા ધારાસભ્યો હશે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મોહર મારવામાં આવી હતી. 


કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ ન મળવાની સંભાવના   

બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણ કરી છે. વિજાપુરના ધારાસભ્ય સી,જે ચાવડાને દંડક, ઉપદંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચૂડાસમા, ઈમરાન ખેજાવાલાની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડીની વરણી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.