આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો થશે શુભારંભ, આવતી કાલે બજેટ થશે રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-23 10:09:12

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. આ બજેટ ગુજરાત સરકાર 2.0નું પ્રથમ બજેટ હશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલવાનું છે. 24 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જવાનું છે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે તે બાદ સત્રની શરૂઆત થશે. પ્રથમ વખત એવું બનશે કે વિપક્ષના નેતા વગર સત્ર ચાલશે. 


રાજ્યપાલના સંબોધન બાદ સત્રનો થશે પ્રારંભ

સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન બાદ થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. તે બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ,મહિપતસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સભામાં પચાસ ટકા એવા ધારાસભ્યો હશે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મોહર મારવામાં આવી હતી. 


કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ ન મળવાની સંભાવના   

બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણ કરી છે. વિજાપુરના ધારાસભ્ય સી,જે ચાવડાને દંડક, ઉપદંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચૂડાસમા, ઈમરાન ખેજાવાલાની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડીની વરણી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.  




પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.