આજથી ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો થશે શુભારંભ, આવતી કાલે બજેટ થશે રજૂ


  • Published By :
  • Published Date : 2023-02-23 10:09:12

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રની શરૂઆત આજથી થવાની છે. નાણામંત્રી કનુ દેસાઈ બજેટ આવતી કાલે રજૂ કરવાના છે. આ બજેટ ગુજરાત સરકાર 2.0નું પ્રથમ બજેટ હશે. બજેટ સત્ર 23 ફેબ્રુઆરીથી 29 માર્ચ સુધી ચાલવાનું છે. 24 ફેબ્રુઆરીએ ગુજરાતનું બજેટ રજૂ થવા જવાનું છે. 25 દિવસ સુધી ચાલનારા આ સત્રમાં 27 બેઠકો મળશે. 23 ફેબ્રુઆરીએ રાજ્યપાલ સંબોધન કરશે તે બાદ સત્રની શરૂઆત થશે. પ્રથમ વખત એવું બનશે કે વિપક્ષના નેતા વગર સત્ર ચાલશે. 


રાજ્યપાલના સંબોધન બાદ સત્રનો થશે પ્રારંભ

સત્રની શરૂઆત રાજ્યપાલના સંબોધન બાદ થશે. રાજ્યપાલના સંબોધન સાથે સત્રનો પ્રારંભ થશે. તે બાદ મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી રમણભાઈ ચૌધરી, પૂર્વ સભ્ય નારણભાઈ પટેલ,મહિપતસિંહ જાડેજાને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવશે. આ સભામાં પચાસ ટકા એવા ધારાસભ્યો હશે જે પ્રથમવાર જ ગૃહમાં હાજરી આપશે. 25 દિવસના વિધાનસભા સત્ર દરમિયાન હાથ ધરવાના કામ પર મંજૂરીની મોહર મારવામાં આવી હતી. 


કોંગ્રેસને નેતા વિપક્ષનું પદ ન મળવાની સંભાવના   

બજેટ સત્ર પહેલા કોંગ્રેસે વિધાનસભામાં હોદ્દેદારોની વરણ કરી છે. વિજાપુરના ધારાસભ્ય સી,જે ચાવડાને દંડક, ઉપદંડક તરીકે કિરીટ પટેલ, વિમલ ચૂડાસમા, ઈમરાન ખેજાવાલાની વરણી કરવામાં આવી છે. પ્રવક્તા તરીકે તુષાર ચૌધરી, જીજ્ઞેશ મેવાણી, ગેનીબેન ઠાકોર, અનંત પટેલ, કાંતિભાઈ ખરાડીની વરણી કરવામાં આવી છે. નિયમો પ્રમાણે કોંગ્રેસ પાસે પૂરતું સંખ્યાબળ નથી ત્યારે કોંગ્રેસને વિપક્ષનું પદ ન મળે તેવી સંભાવના જોવાઈ રહી છે. આ મામલે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા નિર્ણય લેવાઈ શકે છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.