જુનાગઢમાં જર્જરિત બિલ્ડિંગ જમીનદોસ્ત, 4 લોકોના મૃતદેહ મળ્યા, હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-07-24 21:18:42

જુનાગઢમાં ઘોડાપૂર બાદ હવે નવી આફત સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બપોરના સમયે 1 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. હજુ પણ કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


ડેપ્યુટી મેયરનો ગંભીર આરોપ


જુનાગઢમાં આ ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 5થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રાખવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે ગીરીશ કોટેચાએ મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.  


તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી નોટિસ


જુનાગઢ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, મકાન ખુબ જૂનું હતું, તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ભારે વરસાદ બાદ વધારે નબળુ થતા મકાન ધરાશાયી થયું છે. આજુબાજુમાં બીજા મકાન પણ નાજુક હાલતમાં છે, તેમાં રહેતા રહેવાસીઓને પણ ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.