જુનાગઢમાં જર્જરિત બિલ્ડિંગ જમીનદોસ્ત, 4 લોકોના મૃતદેહ મળ્યા, હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-07-24 21:18:42

જુનાગઢમાં ઘોડાપૂર બાદ હવે નવી આફત સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બપોરના સમયે 1 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. હજુ પણ કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


ડેપ્યુટી મેયરનો ગંભીર આરોપ


જુનાગઢમાં આ ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 5થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રાખવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે ગીરીશ કોટેચાએ મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.  


તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી નોટિસ


જુનાગઢ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, મકાન ખુબ જૂનું હતું, તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ભારે વરસાદ બાદ વધારે નબળુ થતા મકાન ધરાશાયી થયું છે. આજુબાજુમાં બીજા મકાન પણ નાજુક હાલતમાં છે, તેમાં રહેતા રહેવાસીઓને પણ ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.