જુનાગઢમાં જર્જરિત બિલ્ડિંગ જમીનદોસ્ત, 4 લોકોના મૃતદેહ મળ્યા, હજુ પણ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-07-24 21:18:42

જુનાગઢમાં ઘોડાપૂર બાદ હવે નવી આફત સામે આવી છે. શહેરના કડિયાવાડ વિસ્તારમાં બે માળની બિલ્ડીંગ ધરાશાયી થવાની ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. બપોરના સમયે 1 વાગ્યા આસપાસ ઈમારત ધરાશાયી થવાની ઘટના બની હતી. જૂનાગઢના કડિયાવાડ નજીક દાતાર રોડ પરની ઇમારત ધરાશાયી થઇ હતી. હજુ પણ કેટલાક લોકો ઇમારત નીચે દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ અને NDRFની ટીમ દ્વારા હાલમાં રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. 


ડેપ્યુટી મેયરનો ગંભીર આરોપ


જુનાગઢમાં આ ઈમારત ધરાશાયી થવાની ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશનમાં શરૂ કરવામાં આવ્યું હતું. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સ્થાનિક લોકો પણ રેસ્ક્યુની કામગીરીમાં જોડાયા હતા. જેસીબીની મદદથી કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. 5થી વધારે 108 એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે રાખવામાં આવી છે. જૂનાગઢના ડેપ્યુટી મેયરે ગીરીશ કોટેચાએ મોટો આરોપ લગાવતા કહ્યું હતું કે જર્જરિત મકાનો હટાવવામાં બેદરકારી રાખવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનિય છે કે છે કે દટાયેલા લોકો ફોન કરીને મદદ માંગી રહ્યા છે.  


તંત્ર દ્વારા નોટિસ ફટકારી હતી નોટિસ


જુનાગઢ તંત્ર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે, મકાન ખુબ જૂનું હતું, તંત્ર દ્વારા નોટિસ પણ પાઠવવામાં આવી હતી, ભારે વરસાદ બાદ વધારે નબળુ થતા મકાન ધરાશાયી થયું છે. આજુબાજુમાં બીજા મકાન પણ નાજુક હાલતમાં છે, તેમાં રહેતા રહેવાસીઓને પણ ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે