વિદ્યાધામમાં ગુંડાગર્દી , પ્રિન્સિપાલને છુટ્ટી ખુરશી ફેંકી…..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-27 09:10:44

વિધાયાર્થીઓની દાદાગીરી સી. સી. ટી. વી માં કેદ થઈ   

અમદાવાદમાં L.D આર્ટસ કોલેજમાં ભણત વિદ્યાર્થીઓની દાદાગીરીની ઘટના સામે આવી છે . કોલેજમાં તોફાન કરતાં હોવાથી વિધાયાર્થીઓને પ્રિન્સિપાલે કેબિનમાં બોલાવ્યા હતા. દરમિયાન ઉશ્કેરાઈને એક વિદ્યાર્થીએ કેબિનમાં રહેલો પોટ ફેંક્યો હતો અને પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન કર્યો અને કેબિન બહાર જઈને તેમના પર છૂટી ખુરશી ફેંકીને કાચ તોડી નાખ્યો હતો. સમગ્ર મામલે પ્રિન્સિપાલ દ્વારા ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વિધાયાર્થી NSUI  સાથે જોડાયેલો છે.  રબારી અર્જુન, રબારી ઝીલ અને દેસાઈ આકાશ નામના વિદ્યાર્થીઓ નામે કોલેજમાં કેટલીય ફરિયાદો પણ થઈ હતી.

 

પ્રિન્સિપાલને છુટ્ટી ખુરશી ફેંકી..

આજે L.D આર્ટસના પ્રિન્સિપાલ મહિપતસિંહ ચાવડાએ ત્રણેય વિદ્યાર્થીઓને મળવા બોલાવ્યા હતા. ત્યારે દાદાગીરી કરતા ત્રણેય વિદ્યાર્થીઓ પ્રિન્સિપાલની કેબિનમાં આવ્યા હતા. અર્જુન રબારી નામના ત્રીજા વર્ષમાં આર્ટ્સમાં ભણતા વિદ્યાર્થીએ પ્રિન્સિપાલને શાંતિથી વાત કરવા કહ્યું હતું. ત્યાર બાદ ઉશેકરાઈને એક વિદ્યાર્થિની ઊભી હતી તેના માથા પરથી પોટ છૂટો ફેંક્યો હતો. જે બાદ પ્રિન્સિપાલને મારવાનો પ્રયત્ન પણ કર્યો હતો. ત્યાર બાદ દોડીને કેબિન બહાર જતો રહ્યો હતો. કેબિન બહારથી પ્રિન્સિપાલને મારવા છૂટી ખુરશી ફેંકી હતી. પરંતુ પ્રિન્સિપાલ ત્યાંથી હટી જતા કાચ તોડીને ખુરશી કેબિનમાં પડી હતી.ત્યાર બાદ ત્રણેય વિદ્યાર્થીઓ નાસી ગયા હતા.

 

વિધાયાર્થીઓની હરકતો

વિદ્યાર્થિઓ સામે અન્ય વિદ્યાર્થીઓને હેરાન કરવા સહિતની ફરિયાદો હતી જેથી તેમને જુલાઈ મહિનામાં મળવા બોલાવ્યા હતા. ત્યારે માફી પત્ર આપીને ફરીથી ભૂલ નહીં થાય તેવું જણાવ્યું હતું. તેમ છતાં વિદ્યાર્થીઓ ચાલુ કલાસે છરી ફેરવીને ડરાવતા હતા. મહિલા અધ્યાપકોને ચાલુ કલાસે વર્ગખંડના દરવાજા બંધ કરી દેતા હતા. બિલ્ડીંગમાં ગમે ત્યાં ગાળો લખી દેતા હતા. 2 દિવસ અગાઉ સુભા નિગમ નામના મહિલા અધ્યાપક ભણાવતા હતા ત્યારે 30 વિદ્યાર્થીઓ સહિત અધ્યાપકને વર્ગમાં બંધ કરી દીધા હતા.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.