સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરની દાદાગીરી! જબરદસ્તી બોગસ મતદાન કરાવ્યું? જુઓ વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-08 17:27:32

ગઈકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું.. ઓવરઓલ જોવા જઈએ તો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બૂથ કેપચિંગ કરવામાં આવી રહ્યું છે.. આ વીડિયો મહીસાગરના સંતરામપુરનો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ દેખાઈ રહ્યો છે જેમાં મતદારો વતી તે જાતે વોટ નાખી રહ્યો છે... વીડિયોમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુરમાં તો વિજય ભાભોર જ ચાલે.. મહત્વનું છે કે દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવે છે... 

એક માણસ પોલિંગ બૂથ સુધી પહોંચી જાય ત્યાં સુધી.. 

આપણે ત્યાં લોકશાહી છે.. આપણે આપણો મત કોને આપવો છે તે જાણવાનો આપણને હક છે. પરંતુ સંતરામપૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથમાં ઘૂસી જાય છે અને મતદારોનો મત જાતે નાખી રહ્યો છે.. જ્યારે આટલું ખોટું કોઈ કરતું હોય ત્યારે તેના મનમાં ડર હોય પરંતુ આ માણસ તો જાણે નફ્ફટ બનીને ઈન્સ્ટાગ્રામથી લાઈવ કરે છે.. લાઈવમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુર વિસ્તારમાં તો વિજય ભાભોર જ ચાલે....આ વીડિયો પ્રથમપુર બુથ નંબર 220નો છે... મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે.... વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે રીતે વિજય ભાભોર બુથના સ્ટાફને ધમકાવી મત નાખવા આવતા લોકોને સહી કરાવી મોટા ભાગના મત જાતે નાખી રહ્યો છે.... સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર છે વિજય ભાભોર.. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે દાહોદના કલેક્ટર સાથે વાત કરી હતી અને આ મામલે શું કાર્યવાહી થશે, આગળ શું પગલા લેવાશે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.   



ત્યાં હાજર અધિકારીએ ફરિયાદ પણ ના કરી?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે પીધેલી હાલતમાં છે.... સવાલ એ થાય કે પીધેલી હાલતમાં કોઈ પણ વ્યક્તિ પોલીંગ બૂથ સુધી કેવી રીતે પહોંચી શકે? ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીએ શા માટે કોઈ પગલા ના લીધા? શા માટે આવી ઘટના બની છે તેની ફરિયાદ પણ ના કરી? ચૂંટણી પંચને પડકાર આપે તેવો આ કિસ્સો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ચૂંટણી પંચને ગાળો આપી રહ્યો છે.. વીડિયોમાં તે કહી રહ્યો છે કે મશિન આપણા બાપનું છે... સવાલ એ થાય કે આટલું બધુ થયું, આવી ઘટના બની છે તેની ખબર કોઈને ન થઈ? સવાલ એ થાય કે કોઈ આવી રીતે પોલીંગ બૂથ સુધી પહોંચી જાય છે, જબરદસ્તી વોટિંગ કરે છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરે તો પણ કોઈને ખબર ના પડી? આવો વીડિયો સામે આવતા સવાલ થાય કે આવી રીતે વોટિંગ કેટલી જગ્યાઓ પર થયું હશે? આ વીડિયો વાયરલ થયા બાદ વિજય ભાભોરની અટકાયત કરવામાં આવી ગઈ છે.. 



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.