સંતરામપુરમાં ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરની દાદાગીરી! જબરદસ્તી બોગસ મતદાન કરાવ્યું? જુઓ વાયરલ થયેલો વીડિયો


  • Published By :
  • Published Date : 2024-05-08 17:27:32

ગઈકાલે ગુજરાતની 25 લોકસભા બેઠકો પર મતદાન યોજાયું.. ઓવરઓલ જોવા જઈએ તો શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન યોજાયું હતું. પરંતુ હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બૂથ કેપચિંગ કરવામાં આવી રહ્યું છે.. આ વીડિયો મહીસાગરના સંતરામપુરનો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ દેખાઈ રહ્યો છે જેમાં મતદારો વતી તે જાતે વોટ નાખી રહ્યો છે... વીડિયોમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુરમાં તો વિજય ભાભોર જ ચાલે.. મહત્વનું છે કે દાહોદ લોકસભા બેઠક અંતર્ગત આવે છે... 

એક માણસ પોલિંગ બૂથ સુધી પહોંચી જાય ત્યાં સુધી.. 

આપણે ત્યાં લોકશાહી છે.. આપણે આપણો મત કોને આપવો છે તે જાણવાનો આપણને હક છે. પરંતુ સંતરામપૂરથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં વિજય ભાભોર નામનો વ્યક્તિ પોલીંગ બૂથમાં ઘૂસી જાય છે અને મતદારોનો મત જાતે નાખી રહ્યો છે.. જ્યારે આટલું ખોટું કોઈ કરતું હોય ત્યારે તેના મનમાં ડર હોય પરંતુ આ માણસ તો જાણે નફ્ફટ બનીને ઈન્સ્ટાગ્રામથી લાઈવ કરે છે.. લાઈવમાં તે કહી રહ્યો છે કે ભાજપ ચાલે અને સંતરામપુર વિસ્તારમાં તો વિજય ભાભોર જ ચાલે....આ વીડિયો પ્રથમપુર બુથ નંબર 220નો છે... મતદાન મથકના સ્ટાફને પણ ધમકાવી રહ્યો છે.... વીડિયોમાં દેખાઈ રહ્યો છે તે રીતે વિજય ભાભોર બુથના સ્ટાફને ધમકાવી મત નાખવા આવતા લોકોને સહી કરાવી મોટા ભાગના મત જાતે નાખી રહ્યો છે.... સંતરામપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રમેશ ભાભોરના પુત્ર છે વિજય ભાભોર.. આ વીડિયો સામે આવ્યા બાદ જમાવટની ટીમે દાહોદના કલેક્ટર સાથે વાત કરી હતી અને આ મામલે શું કાર્યવાહી થશે, આગળ શું પગલા લેવાશે તે અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો.   



ત્યાં હાજર અધિકારીએ ફરિયાદ પણ ના કરી?

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે તે પીધેલી હાલતમાં છે.... સવાલ એ થાય કે પીધેલી હાલતમાં કોઈ પણ વ્યક્તિ પોલીંગ બૂથ સુધી કેવી રીતે પહોંચી શકે? ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીએ શા માટે કોઈ પગલા ના લીધા? શા માટે આવી ઘટના બની છે તેની ફરિયાદ પણ ના કરી? ચૂંટણી પંચને પડકાર આપે તેવો આ કિસ્સો છે.. જે વીડિયો સામે આવ્યો છે તેમાં તે ચૂંટણી પંચને ગાળો આપી રહ્યો છે.. વીડિયોમાં તે કહી રહ્યો છે કે મશિન આપણા બાપનું છે... સવાલ એ થાય કે આટલું બધુ થયું, આવી ઘટના બની છે તેની ખબર કોઈને ન થઈ? સવાલ એ થાય કે કોઈ આવી રીતે પોલીંગ બૂથ સુધી પહોંચી જાય છે, જબરદસ્તી વોટિંગ કરે છે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાઈવ કરે તો પણ કોઈને ખબર ના પડી? આવો વીડિયો સામે આવતા સવાલ થાય કે આવી રીતે વોટિંગ કેટલી જગ્યાઓ પર થયું હશે? આ વીડિયો વાયરલ થયા બાદ વિજય ભાભોરની અટકાયત કરવામાં આવી ગઈ છે.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.