AMCના અધિકારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, દબાણ હટાવવા આ અધિકારીએ તો હદ પાર કરી! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-10 14:37:37

જ્યારે કોઈ મોટા નેતા, કોઈ દેશના વડા કે ભારતના વડા કોઈ પણ રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને એકદમ સાફ કરી દેવામાં આવે છે. રસ્તા પર રોજગારી માટે ઉભા રહેતા લોકોને પણ દબાણ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવે છે. દબાણ વિભાગ દ્વારા આના માટે જે કામગીરી કરવામાં આવે છે, જે રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર કોર્પોરેશનના અધિકારીઓ એટલી દાદાગીરી પર ઉતરી આવતા હોય છે કે જેને જોઈને આપણને ગુસ્સો આવી જાય પણ. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગશે કે એએમસીના અધિકારીઓમાં સહેજ પણ માનવતા બચી નથી.  

દબાણ હટાવવા ગયેલા અધિકારીઓએ કર્યો દુર્વ્યવહાર! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે  તે અમદાવાદ શહેરનો છે. ગુજરાતમાં હાલ જ્યાં વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે. સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના નેતાઓ આવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈ મોટા નેતા આવે છે ત્યારે ત્યારે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. એએમસીની ટીમ આ માટે લાગી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ નીકળી પડ્યા છે દબાણ દૂર કરાવવા.. 



ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેચતી મહિલા સાથે કર્યું ગેરવર્તન 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે amcના અધિકારીઓ ફુગ્ગા વેચવા વાળી મહિલાની સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ મહિલાનો વાંક એટલો જ હતો કે તે તેનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે તેના બાળક સાથે ફુગ્ગા વેચી રહી હતી. ત્યારે ત્યાં અધિકારીઓ આવે છે અને આ મહિલાની સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હાજર રહેલા લોકોને પણ ગુસ્સો આવી જાય છે. અને ત્યાં હાજર રહેલા લોકો હોબાળો મચાવે છે. આપણે અહીંયા નાના માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાયમથી ચાલતું આવે છે. 


જેમ ગરીબની લારી દેખાય છે તેમ રસ્તા પર પડેલા ખાડા પણ દેખાય!

ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા ચોરો પર amc અને કોર્પોરેશનનું દબાણ ખાતું કેમ આવી દાદાગીરી નથી કરતુ એ પણ એક સવાલ છે. અમદાવાદમાં અને ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં આ દબાણખાતાના લોકો કેટલીય વાર લારીઓ વાળા સાથે દાદાગીરી કરતા હોય એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. અમે આશા રાખીયે છીએ કે જેમ amcને ગરીબની લારીઓ દેખાય છે એમ રસ્તા પર પડેલા ખાડાઓ અને તૂટેલા બ્રિજો પણ દેખાય



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.