AMCના અધિકારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, દબાણ હટાવવા આ અધિકારીએ તો હદ પાર કરી! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-10 14:37:37

જ્યારે કોઈ મોટા નેતા, કોઈ દેશના વડા કે ભારતના વડા કોઈ પણ રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને એકદમ સાફ કરી દેવામાં આવે છે. રસ્તા પર રોજગારી માટે ઉભા રહેતા લોકોને પણ દબાણ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવે છે. દબાણ વિભાગ દ્વારા આના માટે જે કામગીરી કરવામાં આવે છે, જે રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર કોર્પોરેશનના અધિકારીઓ એટલી દાદાગીરી પર ઉતરી આવતા હોય છે કે જેને જોઈને આપણને ગુસ્સો આવી જાય પણ. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગશે કે એએમસીના અધિકારીઓમાં સહેજ પણ માનવતા બચી નથી.  

દબાણ હટાવવા ગયેલા અધિકારીઓએ કર્યો દુર્વ્યવહાર! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે  તે અમદાવાદ શહેરનો છે. ગુજરાતમાં હાલ જ્યાં વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે. સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના નેતાઓ આવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈ મોટા નેતા આવે છે ત્યારે ત્યારે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. એએમસીની ટીમ આ માટે લાગી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ નીકળી પડ્યા છે દબાણ દૂર કરાવવા.. 



ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેચતી મહિલા સાથે કર્યું ગેરવર્તન 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે amcના અધિકારીઓ ફુગ્ગા વેચવા વાળી મહિલાની સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ મહિલાનો વાંક એટલો જ હતો કે તે તેનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે તેના બાળક સાથે ફુગ્ગા વેચી રહી હતી. ત્યારે ત્યાં અધિકારીઓ આવે છે અને આ મહિલાની સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હાજર રહેલા લોકોને પણ ગુસ્સો આવી જાય છે. અને ત્યાં હાજર રહેલા લોકો હોબાળો મચાવે છે. આપણે અહીંયા નાના માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાયમથી ચાલતું આવે છે. 


જેમ ગરીબની લારી દેખાય છે તેમ રસ્તા પર પડેલા ખાડા પણ દેખાય!

ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા ચોરો પર amc અને કોર્પોરેશનનું દબાણ ખાતું કેમ આવી દાદાગીરી નથી કરતુ એ પણ એક સવાલ છે. અમદાવાદમાં અને ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં આ દબાણખાતાના લોકો કેટલીય વાર લારીઓ વાળા સાથે દાદાગીરી કરતા હોય એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. અમે આશા રાખીયે છીએ કે જેમ amcને ગરીબની લારીઓ દેખાય છે એમ રસ્તા પર પડેલા ખાડાઓ અને તૂટેલા બ્રિજો પણ દેખાય



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.