AMCના અધિકારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, દબાણ હટાવવા આ અધિકારીએ તો હદ પાર કરી! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-10 14:37:37

જ્યારે કોઈ મોટા નેતા, કોઈ દેશના વડા કે ભારતના વડા કોઈ પણ રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને એકદમ સાફ કરી દેવામાં આવે છે. રસ્તા પર રોજગારી માટે ઉભા રહેતા લોકોને પણ દબાણ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવે છે. દબાણ વિભાગ દ્વારા આના માટે જે કામગીરી કરવામાં આવે છે, જે રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર કોર્પોરેશનના અધિકારીઓ એટલી દાદાગીરી પર ઉતરી આવતા હોય છે કે જેને જોઈને આપણને ગુસ્સો આવી જાય પણ. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગશે કે એએમસીના અધિકારીઓમાં સહેજ પણ માનવતા બચી નથી.  

દબાણ હટાવવા ગયેલા અધિકારીઓએ કર્યો દુર્વ્યવહાર! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે  તે અમદાવાદ શહેરનો છે. ગુજરાતમાં હાલ જ્યાં વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે. સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના નેતાઓ આવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈ મોટા નેતા આવે છે ત્યારે ત્યારે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. એએમસીની ટીમ આ માટે લાગી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ નીકળી પડ્યા છે દબાણ દૂર કરાવવા.. 



ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેચતી મહિલા સાથે કર્યું ગેરવર્તન 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે amcના અધિકારીઓ ફુગ્ગા વેચવા વાળી મહિલાની સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ મહિલાનો વાંક એટલો જ હતો કે તે તેનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે તેના બાળક સાથે ફુગ્ગા વેચી રહી હતી. ત્યારે ત્યાં અધિકારીઓ આવે છે અને આ મહિલાની સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હાજર રહેલા લોકોને પણ ગુસ્સો આવી જાય છે. અને ત્યાં હાજર રહેલા લોકો હોબાળો મચાવે છે. આપણે અહીંયા નાના માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાયમથી ચાલતું આવે છે. 


જેમ ગરીબની લારી દેખાય છે તેમ રસ્તા પર પડેલા ખાડા પણ દેખાય!

ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા ચોરો પર amc અને કોર્પોરેશનનું દબાણ ખાતું કેમ આવી દાદાગીરી નથી કરતુ એ પણ એક સવાલ છે. અમદાવાદમાં અને ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં આ દબાણખાતાના લોકો કેટલીય વાર લારીઓ વાળા સાથે દાદાગીરી કરતા હોય એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. અમે આશા રાખીયે છીએ કે જેમ amcને ગરીબની લારીઓ દેખાય છે એમ રસ્તા પર પડેલા ખાડાઓ અને તૂટેલા બ્રિજો પણ દેખાય



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.