AMCના અધિકારીનો દાદાગીરી કરતો વીડિયો વાયરલ, દબાણ હટાવવા આ અધિકારીએ તો હદ પાર કરી! જુઓ Video


  • Published By :
  • Published Date : 2024-01-10 14:37:37

જ્યારે કોઈ મોટા નેતા, કોઈ દેશના વડા કે ભારતના વડા કોઈ પણ રસ્તા પરથી પસાર થવાના હોય ત્યારે રસ્તાને એકદમ સાફ કરી દેવામાં આવે છે. રસ્તા પર રોજગારી માટે ઉભા રહેતા લોકોને પણ દબાણ વિભાગ દ્વારા હટાવી દેવામાં આવે છે. દબાણ વિભાગ દ્વારા આના માટે જે કામગીરી કરવામાં આવે છે, જે રીતે લોકો સાથે વ્યવહાર કરવામાં આવે છે તેને લઈ અનેક પ્રશ્નો ઉભા થાય છે. ઘણી વાર કોર્પોરેશનના અધિકારીઓ એટલી દાદાગીરી પર ઉતરી આવતા હોય છે કે જેને જોઈને આપણને ગુસ્સો આવી જાય પણ. ત્યારે એક વીડિયો સામે આવ્યો છે જે જોઈને લાગશે કે એએમસીના અધિકારીઓમાં સહેજ પણ માનવતા બચી નથી.  

દબાણ હટાવવા ગયેલા અધિકારીઓએ કર્યો દુર્વ્યવહાર! 

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે  તે અમદાવાદ શહેરનો છે. ગુજરાતમાં હાલ જ્યાં વાયબ્રન્ટ સમિટ ચાલી રહી છે. સમિટને લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં દેશ વિદેશના નેતાઓ આવી રહ્યા છે. જ્યારે જ્યારે કોઈ મોટા નેતા આવે છે ત્યારે ત્યારે રસ્તા પરથી દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવતી હોય છે. એએમસીની ટીમ આ માટે લાગી જાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દબાણ ખાતાના અધિકારીઓ નીકળી પડ્યા છે દબાણ દૂર કરાવવા.. 



ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેચતી મહિલા સાથે કર્યું ગેરવર્તન 

જે વીડિયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે amcના અધિકારીઓ ફુગ્ગા વેચવા વાળી મહિલાની સાથે કેવી રીતે દુર્વ્યવહાર કરી રહ્યા છે. આ મહિલાનો વાંક એટલો જ હતો કે તે તેનું ગુજરાન ચલાવવા માટે અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે તેના બાળક સાથે ફુગ્ગા વેચી રહી હતી. ત્યારે ત્યાં અધિકારીઓ આવે છે અને આ મહિલાની સાથે એટલું ખરાબ વર્તન કરે છે કે હાજર રહેલા લોકોને પણ ગુસ્સો આવી જાય છે. અને ત્યાં હાજર રહેલા લોકો હોબાળો મચાવે છે. આપણે અહીંયા નાના માણસોને ડરાવવાનું અને ધમકાવવાનું કાયમથી ચાલતું આવે છે. 


જેમ ગરીબની લારી દેખાય છે તેમ રસ્તા પર પડેલા ખાડા પણ દેખાય!

ગેરકાયદેસર દબાણ કરીને બેઠેલા ચોરો પર amc અને કોર્પોરેશનનું દબાણ ખાતું કેમ આવી દાદાગીરી નથી કરતુ એ પણ એક સવાલ છે. અમદાવાદમાં અને ગુજરાતના મોટા શહેરોમાં કે જ્યાં મહાનગરપાલિકાઓ છે ત્યાં આ દબાણખાતાના લોકો કેટલીય વાર લારીઓ વાળા સાથે દાદાગીરી કરતા હોય એવા ઘણા વીડિયો સામે આવતા હોય છે. અમે આશા રાખીયે છીએ કે જેમ amcને ગરીબની લારીઓ દેખાય છે એમ રસ્તા પર પડેલા ખાડાઓ અને તૂટેલા બ્રિજો પણ દેખાય



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે