Tata Technologiesના શેરોનું બમ્પર લિસ્ટીંગ, રોકાણકારોને અધધધ 140% રિટર્ન


  • Published By :
  • Published Date : 2023-11-30 14:28:54

Tata Technologies Limited (Tata Tech)ના શેરોનું ગુરુવારે દલાલ સ્ટ્રીટ પર ધમાકેદાર લિસ્ટીંગ થયું હતું. Tata Technologiesના શેર રૂ. 1,200 પર લિસ્ટેડ થયા હતા. આ કિંમત રૂ. 500ની ઇશ્યૂ કિંમત કરતાં 140 ટકા વધુ છે. આ સાથે ટાટા ટેક્નોલોજીસ 2023ની શ્રેષ્ઠ લિસ્ટેડ કંપની બની ગઈ છે. શેરના લિસ્ટિંગ પછી કંપનીમાં રોકાણ કરનારાઓના નાણાં બમણાથી પણ વધુ થઈ ગયા છે.


માર્કેટ કેપ રૂ. 53,000 કરોડને પાર


નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) બંને પર ટાટા ટેક્નોલોજીસના શેર રૂ. 1,200 પર ખૂલ્યા હતા, જે રૂ. 140 ટકા અથવા રૂ. 700 કરતા વધારે હતા. ટાટા ટેક્નોલોજીસના મજબૂત લિસ્ટિંગને કારણે તેના માર્કેટ કેપમાં મોટો વધારો થયો છે અને તે હાલમાં રૂ. 53,000 કરોડને પાર કરી ગયો છે.


ગ્રે માર્કેટના અનુમાનો ખોટા પડ્યા


માર્કેટ લિસ્ટિંગ પહેલા, અનલિસ્ટેડ ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રીમિયમ રૂ. 406 હતું. વિશ્લેષકોએ પણ અપેક્ષા રાખી હતી કે કંપની તેના IPOને મળેલા જંગી પ્રતિસાદને પગલે બમ્પર ઓપનિંગ કરશે. જો કે એનાલિસ્ટના અનુમાનો કરતા પણ વધુ રિટર્ન રોકાણકારોને મળ્યું છે. ટાટા ટેક્નોલોજીના રૂ. 3,042 કરોડના આઇપીઓને રૂ. 1.5 લાખ કરોડથી વધુની બિડ મળી હતી. રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RII) કેટેગરીમાં 16 ગણું, લાયક સંસ્થાકીય ખરીદદારો 203 ગણું અને બિન-સંસ્થાકીય રોકાણકારો 62 ગણું ઓવરસબ્સ્ક્રાઇબ મળ્યું હતું.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.