વૈશ્વિક મંદીના ભણકારા, FPIએ વર્ષ 2022માં ભારતીય માર્કેટમાંથી રૂ. 1.75 લાખ કરોડના શેર વેચ્યા


  • Published By :
  • Published Date : 2022-10-23 19:07:16


વિદેશી રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી આશરે રૂ. 6,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે આ ઉપાડને પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2022 ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.75 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. 



નિષ્ણાતો શું કહે છે?


નિષ્ણાતોએ જણાવ્યું કે આવનારા સમયમાં FPIsની પ્રવૃત્તિઓ ઉતાર-ચઢાવથી ભરેલી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે સતત ભૌગોલિક રાજકીય જોખમો, ફુગાવાના ઊંચા સ્તરો અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે FPI એક્ઝિટ ચાલુ રાખશે. "FPIs નજીકના ગાળામાં વધુ વેચાણ કરે તેવી શક્યતા નથી પરંતુ ડૉલર નબળો પડ્યા પછી જ ખરીદદારની સ્થિતિ પર પાછા ફરશે. તેથી FPIનું વલણ અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ફેડરલ રિઝર્વના નાણાકીય દૃષ્ટિકોણ પર નિર્ભર રહેશે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે