વૈશ્વિક મંદીના ભણકારા, FPIએ વર્ષ 2022માં ભારતીય માર્કેટમાંથી રૂ. 1.75 લાખ કરોડના શેર વેચ્યા


  • Published By :
  • Published Date : 2022-10-23 19:07:16


વિદેશી રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી આશરે રૂ. 6,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે આ ઉપાડને પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2022 ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.75 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. 



નિષ્ણાતો શું કહે છે?


નિષ્ણાતોએ જણાવ્યું કે આવનારા સમયમાં FPIsની પ્રવૃત્તિઓ ઉતાર-ચઢાવથી ભરેલી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે સતત ભૌગોલિક રાજકીય જોખમો, ફુગાવાના ઊંચા સ્તરો અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે FPI એક્ઝિટ ચાલુ રાખશે. "FPIs નજીકના ગાળામાં વધુ વેચાણ કરે તેવી શક્યતા નથી પરંતુ ડૉલર નબળો પડ્યા પછી જ ખરીદદારની સ્થિતિ પર પાછા ફરશે. તેથી FPIનું વલણ અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ફેડરલ રિઝર્વના નાણાકીય દૃષ્ટિકોણ પર નિર્ભર રહેશે.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.