વૈશ્વિક મંદીના ભણકારા, FPIએ વર્ષ 2022માં ભારતીય માર્કેટમાંથી રૂ. 1.75 લાખ કરોડના શેર વેચ્યા


  • Published By :
  • Published Date : 2022-10-23 19:07:16


વિદેશી રોકાણકારો (FPIs)એ આ મહિને અત્યાર સુધીમાં ભારતીય શેરબજારોમાંથી આશરે રૂ. 6,000 કરોડ પાછા ખેંચી લીધા છે. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટવાને કારણે આ ઉપાડને પ્રોત્સાહન મળ્યું છે. આ સાથે, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ 2022 ના કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.75 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. 



નિષ્ણાતો શું કહે છે?


નિષ્ણાતોએ જણાવ્યું કે આવનારા સમયમાં FPIsની પ્રવૃત્તિઓ ઉતાર-ચઢાવથી ભરેલી જોવા મળે છે. તેમણે જણાવ્યું કે સતત ભૌગોલિક રાજકીય જોખમો, ફુગાવાના ઊંચા સ્તરો અને બોન્ડ યીલ્ડમાં વધારાના કારણે FPI એક્ઝિટ ચાલુ રાખશે. "FPIs નજીકના ગાળામાં વધુ વેચાણ કરે તેવી શક્યતા નથી પરંતુ ડૉલર નબળો પડ્યા પછી જ ખરીદદારની સ્થિતિ પર પાછા ફરશે. તેથી FPIનું વલણ અમેરિકામાં વધી રહેલી મોંઘવારી અને ફેડરલ રિઝર્વના નાણાકીય દૃષ્ટિકોણ પર નિર્ભર રહેશે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .