ATM કાર્ડ બદલી નાખી ગઠિયાઓએ આઠ જ મિનિટમાં આધેડના 1.21 લાખ સેરવી લીધા


  • Published By :
  • Published Date : 2023-10-12 21:32:11

મહેસાણા ગાયત્રી મંદિર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું ATM કાર્ડ બદલી બે ગઠિયાઓએ 1.21 લાખની છેતરપિંડી આચરી હતી. છેતરાયાની જાણ થતાં જ બેંકના કર્મીઓની મદદથી ફરિયાદીએ ATMમાંથી 46 હજાર ઉપાડી લઈ ભાગવા જતા બે પૈકી એક ગઠિયાને ઝડપી પાડયો હતો. ફરિયાદીએ મોબાઈલમાં મેસેજ જોતા બન્ને ગઠિયાઓએ 8 મિનિટમાં 8 ટ્રાંજેક્ષન કરી કુલ 1.21 લાખ રૂપિયા સેરવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી કુલ હે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમા મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ગણપત ભાઈ પંચાલને પૈસાની જરૂર પડતા ગાયત્રી મંદિર રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકના એ.ટી.એમ માં પૈસા લેવા ગયા હતા.એ દરમિયાન ATMમાં અજાણ્યા હિન્દી ભાષા બોલતા બે ઈસમો ઉભા હતા એ દરમિયાન વેપારી પોતાના ATM મારફતે પૈસા કાઢતા નાણા નીકળ્યા નહોતા ત્યારબાદ ત્યાં ઉભેલા બે ગઠીયા એ ફરિયાદીને ફોનમાં મેસેજ જોવા કહેતા ફરિયાદી એ પોતાન ફોનમાં મેસેજ જોવા ફોન લીધો હતો એ દરમિયાન ગઠિયા એ પોતાની પાસે રહેલ અન્ય બેન્ક નું ATM ભરાવી ફરિયાદીની નજર ચૂકવી તેઓનું ATM લઈ લીધું હતું

બાદમાં બે અજાણ્યા ઈસમો નીકળી ગયા હતા અને ફરિયાદી ATMમાં પોતાનો પિન નાખી ફરી નાણા કાઢવા પ્રયાસ કરતા રૂપિયા નિકડયા નહોતા બાદમાં ATM માંથી કાર્ડ કાઢી જોતા કાર્ડ અન્ય બેંકનું હોવાનું જાણવા મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તાત્કાલિક બેંકમાં જઇ સમગ્ર મામલે જાણ કરી હતી.એ દરમિયાન બે ગઠીયાઓએ ફરિયાદીના ATM મારફતે પિન નાખી કુલ 1.21 લાખ ઉપડી ગયા હોવાના અલગ અલગ મેસેજ આવ્યા હતા.

સમગ્ર કેસમાં અજાણ્યા બે ગઠિયા ઘટનાને અંજામ આપવા માટે પોતાની પાસે એક સ્વાઇપ મસીન રાખ્યું હતું.જેમાં ફરિયાદીના 75 હજાર રૂપિયા સ્વાઇપ કરી પોતાના સાગરીતોના ખાતા મા મોકલી દીધા હતા.આમ ફરિયાદીના કુલ 1.21 લાખ રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા હતા.જ્યાં 46 હજાર સ્થળ પર મળી આવ્યા હતા.અને 75 હજાર મળી ન આવતા મહેસાણા બી ડિવિઝનમાં આરોપીને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.