ATM કાર્ડ બદલી નાખી ગઠિયાઓએ આઠ જ મિનિટમાં આધેડના 1.21 લાખ સેરવી લીધા


  • Published By :
  • Published Date : 2023-10-12 21:32:11

મહેસાણા ગાયત્રી મંદિર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું ATM કાર્ડ બદલી બે ગઠિયાઓએ 1.21 લાખની છેતરપિંડી આચરી હતી. છેતરાયાની જાણ થતાં જ બેંકના કર્મીઓની મદદથી ફરિયાદીએ ATMમાંથી 46 હજાર ઉપાડી લઈ ભાગવા જતા બે પૈકી એક ગઠિયાને ઝડપી પાડયો હતો. ફરિયાદીએ મોબાઈલમાં મેસેજ જોતા બન્ને ગઠિયાઓએ 8 મિનિટમાં 8 ટ્રાંજેક્ષન કરી કુલ 1.21 લાખ રૂપિયા સેરવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી કુલ હે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમા મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ગણપત ભાઈ પંચાલને પૈસાની જરૂર પડતા ગાયત્રી મંદિર રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકના એ.ટી.એમ માં પૈસા લેવા ગયા હતા.એ દરમિયાન ATMમાં અજાણ્યા હિન્દી ભાષા બોલતા બે ઈસમો ઉભા હતા એ દરમિયાન વેપારી પોતાના ATM મારફતે પૈસા કાઢતા નાણા નીકળ્યા નહોતા ત્યારબાદ ત્યાં ઉભેલા બે ગઠીયા એ ફરિયાદીને ફોનમાં મેસેજ જોવા કહેતા ફરિયાદી એ પોતાન ફોનમાં મેસેજ જોવા ફોન લીધો હતો એ દરમિયાન ગઠિયા એ પોતાની પાસે રહેલ અન્ય બેન્ક નું ATM ભરાવી ફરિયાદીની નજર ચૂકવી તેઓનું ATM લઈ લીધું હતું

બાદમાં બે અજાણ્યા ઈસમો નીકળી ગયા હતા અને ફરિયાદી ATMમાં પોતાનો પિન નાખી ફરી નાણા કાઢવા પ્રયાસ કરતા રૂપિયા નિકડયા નહોતા બાદમાં ATM માંથી કાર્ડ કાઢી જોતા કાર્ડ અન્ય બેંકનું હોવાનું જાણવા મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તાત્કાલિક બેંકમાં જઇ સમગ્ર મામલે જાણ કરી હતી.એ દરમિયાન બે ગઠીયાઓએ ફરિયાદીના ATM મારફતે પિન નાખી કુલ 1.21 લાખ ઉપડી ગયા હોવાના અલગ અલગ મેસેજ આવ્યા હતા.

સમગ્ર કેસમાં અજાણ્યા બે ગઠિયા ઘટનાને અંજામ આપવા માટે પોતાની પાસે એક સ્વાઇપ મસીન રાખ્યું હતું.જેમાં ફરિયાદીના 75 હજાર રૂપિયા સ્વાઇપ કરી પોતાના સાગરીતોના ખાતા મા મોકલી દીધા હતા.આમ ફરિયાદીના કુલ 1.21 લાખ રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા હતા.જ્યાં 46 હજાર સ્થળ પર મળી આવ્યા હતા.અને 75 હજાર મળી ન આવતા મહેસાણા બી ડિવિઝનમાં આરોપીને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી હતી.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી