ATM કાર્ડ બદલી નાખી ગઠિયાઓએ આઠ જ મિનિટમાં આધેડના 1.21 લાખ સેરવી લીધા


  • Published By :
  • Published Date : 2023-10-12 21:32:11

મહેસાણા ગાયત્રી મંદિર પાસે ATMમાં પૈસા ઉપાડવા ગયેલ આધેડનું ATM કાર્ડ બદલી બે ગઠિયાઓએ 1.21 લાખની છેતરપિંડી આચરી હતી. છેતરાયાની જાણ થતાં જ બેંકના કર્મીઓની મદદથી ફરિયાદીએ ATMમાંથી 46 હજાર ઉપાડી લઈ ભાગવા જતા બે પૈકી એક ગઠિયાને ઝડપી પાડયો હતો. ફરિયાદીએ મોબાઈલમાં મેસેજ જોતા બન્ને ગઠિયાઓએ 8 મિનિટમાં 8 ટ્રાંજેક્ષન કરી કુલ 1.21 લાખ રૂપિયા સેરવી લીધા હતા. બનાવની જાણ થતાં પોલીસે એક શખ્સની અટકાયત કરી કુલ હે વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરમા મોઢેશ્વરી સોસાયટીમાં રહેતા અને વેપાર કરતા ગણપત ભાઈ પંચાલને પૈસાની જરૂર પડતા ગાયત્રી મંદિર રોડ પર આવેલ ઇન્ડસઇન્ડ બેંકના એ.ટી.એમ માં પૈસા લેવા ગયા હતા.એ દરમિયાન ATMમાં અજાણ્યા હિન્દી ભાષા બોલતા બે ઈસમો ઉભા હતા એ દરમિયાન વેપારી પોતાના ATM મારફતે પૈસા કાઢતા નાણા નીકળ્યા નહોતા ત્યારબાદ ત્યાં ઉભેલા બે ગઠીયા એ ફરિયાદીને ફોનમાં મેસેજ જોવા કહેતા ફરિયાદી એ પોતાન ફોનમાં મેસેજ જોવા ફોન લીધો હતો એ દરમિયાન ગઠિયા એ પોતાની પાસે રહેલ અન્ય બેન્ક નું ATM ભરાવી ફરિયાદીની નજર ચૂકવી તેઓનું ATM લઈ લીધું હતું

બાદમાં બે અજાણ્યા ઈસમો નીકળી ગયા હતા અને ફરિયાદી ATMમાં પોતાનો પિન નાખી ફરી નાણા કાઢવા પ્રયાસ કરતા રૂપિયા નિકડયા નહોતા બાદમાં ATM માંથી કાર્ડ કાઢી જોતા કાર્ડ અન્ય બેંકનું હોવાનું જાણવા મળતા પોતાની સાથે ફ્રોડ થયું હોવાનું જાણવા મળતા તાત્કાલિક બેંકમાં જઇ સમગ્ર મામલે જાણ કરી હતી.એ દરમિયાન બે ગઠીયાઓએ ફરિયાદીના ATM મારફતે પિન નાખી કુલ 1.21 લાખ ઉપડી ગયા હોવાના અલગ અલગ મેસેજ આવ્યા હતા.

સમગ્ર કેસમાં અજાણ્યા બે ગઠિયા ઘટનાને અંજામ આપવા માટે પોતાની પાસે એક સ્વાઇપ મસીન રાખ્યું હતું.જેમાં ફરિયાદીના 75 હજાર રૂપિયા સ્વાઇપ કરી પોતાના સાગરીતોના ખાતા મા મોકલી દીધા હતા.આમ ફરિયાદીના કુલ 1.21 લાખ રૂપિયા ખાતા માંથી ઉપડી ગયા હતા.જ્યાં 46 હજાર સ્થળ પર મળી આવ્યા હતા.અને 75 હજાર મળી ન આવતા મહેસાણા બી ડિવિઝનમાં આરોપીને પોલીસને સોંપી ફરિયાદ નોંધાવી હતી.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.