દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં 400 કર્મચારી છટણી, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-18 20:46:50

દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં મોટી છટણી કરવામાં આવી છે. કંપની મેન્ટરિંગ (mentoring) તથા પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝન (product expert division)માંથી 400 કરતાં વધુ વધારે કર્મચારીની છટણી કરી હોવાની જાણકારી મળી છે. ગયા મહિને અનેક કર્મચારીઓના પર્ફોમન્સ રિવ્યુ (Performance Review)બાદ જેમને 17મી ઓગસ્ટના રોજ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.


કંપનીએ છટણીની વાતને નકારી


વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 400 જેટલા કર્મચારીઓને ગુરુવારે છટણી (Layoffs) માટે HR દ્વારા કહેવામાં આવ્યું હતું. અલબત્ત BYJUએ ભારપૂર્વક કહ્યું છે કે આ છટણી ખર્ચકાપ (Cost-Cutting)ના ભાગરૂપે નથી અને તેનાથી આશરે 100 કર્મચારીને અસર થઈ છે. પર્ફોમન્સ ઈન્પ્રૂવમેન્ટ પ્લાન બાદ 'Meet Expectations"ને હાંસલ કરવામાં નિષ્ફળ જતા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRએ કર્મચારીઓને કોલ કર્યો હતો અને વાકેફ કરવામાં આવ્યા હતા કે તેમના ઈમેલ એડ્રેસ (email addresses) આગામી બે કલાકમાં ડિએક્ટિવેટેડ (deactivated) થઈ જશે. તથા પે સ્લીપ્સ અને અન્ય દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


મની-લોન્ડ્રિંગની ચાલી રહી છે તપાસ 


અત્રે ઉલ્લેખનીય છે કે  Byju's હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીના પરિસરમાં મની-લોન્ડ્રિંગ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ તેના કાર્યાલયોની તપાસ કરી હતી તથા તેના બોર્ડમાંથી કેટલાક ડિરેક્ટર તથા ઓડિટર્સે રાજીનામા આપી દીધા હતા. 1.2 અબજ ડોલરના દેવાને લગતી શરતોમાં સુધારો કરવા આ મહિનાની શરૂઆતમાં તેના ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલી નિયત તારીખ પણ ચુકી જવામાં આવી છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે