દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં 400 કર્મચારી છટણી, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-18 20:46:50

દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં મોટી છટણી કરવામાં આવી છે. કંપની મેન્ટરિંગ (mentoring) તથા પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝન (product expert division)માંથી 400 કરતાં વધુ વધારે કર્મચારીની છટણી કરી હોવાની જાણકારી મળી છે. ગયા મહિને અનેક કર્મચારીઓના પર્ફોમન્સ રિવ્યુ (Performance Review)બાદ જેમને 17મી ઓગસ્ટના રોજ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.


કંપનીએ છટણીની વાતને નકારી


વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 400 જેટલા કર્મચારીઓને ગુરુવારે છટણી (Layoffs) માટે HR દ્વારા કહેવામાં આવ્યું હતું. અલબત્ત BYJUએ ભારપૂર્વક કહ્યું છે કે આ છટણી ખર્ચકાપ (Cost-Cutting)ના ભાગરૂપે નથી અને તેનાથી આશરે 100 કર્મચારીને અસર થઈ છે. પર્ફોમન્સ ઈન્પ્રૂવમેન્ટ પ્લાન બાદ 'Meet Expectations"ને હાંસલ કરવામાં નિષ્ફળ જતા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRએ કર્મચારીઓને કોલ કર્યો હતો અને વાકેફ કરવામાં આવ્યા હતા કે તેમના ઈમેલ એડ્રેસ (email addresses) આગામી બે કલાકમાં ડિએક્ટિવેટેડ (deactivated) થઈ જશે. તથા પે સ્લીપ્સ અને અન્ય દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


મની-લોન્ડ્રિંગની ચાલી રહી છે તપાસ 


અત્રે ઉલ્લેખનીય છે કે  Byju's હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીના પરિસરમાં મની-લોન્ડ્રિંગ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ તેના કાર્યાલયોની તપાસ કરી હતી તથા તેના બોર્ડમાંથી કેટલાક ડિરેક્ટર તથા ઓડિટર્સે રાજીનામા આપી દીધા હતા. 1.2 અબજ ડોલરના દેવાને લગતી શરતોમાં સુધારો કરવા આ મહિનાની શરૂઆતમાં તેના ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલી નિયત તારીખ પણ ચુકી જવામાં આવી છે.



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.