દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં 400 કર્મચારી છટણી, જાણો કારણ


  • Published By :
  • Published Date : 2023-08-18 20:46:50

દેશની સૌથી મોટી એડટેક કંપની બાયજુ (Byju's)માં મોટી છટણી કરવામાં આવી છે. કંપની મેન્ટરિંગ (mentoring) તથા પ્રોડક્ટ એક્સપર્ટ ડિવિઝન (product expert division)માંથી 400 કરતાં વધુ વધારે કર્મચારીની છટણી કરી હોવાની જાણકારી મળી છે. ગયા મહિને અનેક કર્મચારીઓના પર્ફોમન્સ રિવ્યુ (Performance Review)બાદ જેમને 17મી ઓગસ્ટના રોજ રાજીનામું આપવા માટે કહેવામાં આવ્યું છે.


કંપનીએ છટણીની વાતને નકારી


વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓના જણાવ્યા પ્રમાણે 400 જેટલા કર્મચારીઓને ગુરુવારે છટણી (Layoffs) માટે HR દ્વારા કહેવામાં આવ્યું હતું. અલબત્ત BYJUએ ભારપૂર્વક કહ્યું છે કે આ છટણી ખર્ચકાપ (Cost-Cutting)ના ભાગરૂપે નથી અને તેનાથી આશરે 100 કર્મચારીને અસર થઈ છે. પર્ફોમન્સ ઈન્પ્રૂવમેન્ટ પ્લાન બાદ 'Meet Expectations"ને હાંસલ કરવામાં નિષ્ફળ જતા યોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.  સૂત્રોના જણાવ્યા પ્રમાણે HRએ કર્મચારીઓને કોલ કર્યો હતો અને વાકેફ કરવામાં આવ્યા હતા કે તેમના ઈમેલ એડ્રેસ (email addresses) આગામી બે કલાકમાં ડિએક્ટિવેટેડ (deactivated) થઈ જશે. તથા પે સ્લીપ્સ અને અન્ય દસ્તાવેજોને ડાઉનલોડ કરવા માટે કહેવામાં આવ્યું હતું.


મની-લોન્ડ્રિંગની ચાલી રહી છે તપાસ 


અત્રે ઉલ્લેખનીય છે કે  Byju's હાલ અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. કંપનીના પરિસરમાં મની-લોન્ડ્રિંગ તપાસ સાથે જોડાયેલા અધિકારીઓએ તેના કાર્યાલયોની તપાસ કરી હતી તથા તેના બોર્ડમાંથી કેટલાક ડિરેક્ટર તથા ઓડિટર્સે રાજીનામા આપી દીધા હતા. 1.2 અબજ ડોલરના દેવાને લગતી શરતોમાં સુધારો કરવા આ મહિનાની શરૂઆતમાં તેના ક્રેડિટર્સ દ્વારા નક્કી કરવામાં આવેલી નિયત તારીખ પણ ચુકી જવામાં આવી છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .