C.J.Chavdaએ MLA પદ ઉપરથી આપ્યું રાજીનામું, હાઈકમાન્ડને ખુશ કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ધારાસભ્ય ભૂલી ગયા વડોદરામાં બનેલી દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2024-01-19 11:41:10

વડોદરામાં આટલી દુઃખદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. છતાંય આ નેતાઓ રાજકારણ કરવામાંથી ઊંચા નથી આવતા  આ નેતાઓ છે, એ લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે. કેટલાક નેતાઓ એવા છે જેમને કઈ જ ફર્ક નથી પડતો હોતો કોણ મરે કોણ જીવે બસ એમને એટલું જ જોઈએ કે અમને વોટ આપો અને જિતાવો. એવા જ એક કોંગ્રેસના ધારાસભ્ય છે જે ક્યારના ભાજપમાં જાઉં જાઉં કરતા હતા તેમણે રાજીનામુ આપી દીધું છે 

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બની શકે છે સી.જે.ચાવડા 

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આવે એટલે આપણને ખબર જ છે કે આયા રામ ગયા રામ થવાનું જ છે અને આપણે ફરી એકવાર વોટ આપવા લાઈનમાં ઉભું રહેવાનું છે કારણ કે પેટા ચૂંટણી તો થવાની જ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું અને સી. જે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં. સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે સીજે ચાવડા..ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. 



જો થોડા સમય બાદ રાજીનામું આપ્યું હોત તો શું બગડી જતું? 

ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કહેવાય પણ જનપ્રતિનિધિને પોતાની જ પરવાહ હોય એવા જનપ્રતિનિધિને શું કહેવા જવું કારણ કે વડોદરાના હરણી તળાવમાં દુઃખદ ઘટના સર્જાઈ છે છતાંય આ ધારાસભ્યને એટલી ઉતાવળ હતી તેઓએ મોતનો મલાજો પણ ન સાચવ્યો પણ પોતાની કારકિર્દી સાચવવા પહોંચી ગયા રાજીનામુ આપવા. એમને જરાય એમ નહિ થયું હોય કે આખું વડોદરા સુમસામ છે. આ ઘટનાથી ઠેર ઠેર દુઃખદ વાતાવરણ છે તેની વચ્ચે તમે તમારું રાજકારણ અને પક્ષપલટો થોડા સમય માટે ભૂલી જાઓ. હાઇકમાંડને ખુશ કરવાની એટલી તો કેટલી ઉતાવળ હતી કે મોતનો મલાજો પણ તમે ના જાળવી શક્યા...


વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે... 

કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાંથી વધુ રાજીનામાં પડી શકે છે ભાજપે તો જેમ શાળામાં ભરતી થતી હોય એમ દુકાન ખોલી દીધી છે કે આવો અમારે ત્યાં ભરતી થાઓ અમારા દરવાજા ખુલ્લા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.   


આગામી સમયમાં વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું 

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. આ ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 15નું થઈ ગયું છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.