C.J.Chavdaએ MLA પદ ઉપરથી આપ્યું રાજીનામું, હાઈકમાન્ડને ખુશ કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ધારાસભ્ય ભૂલી ગયા વડોદરામાં બનેલી દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2024-01-19 11:41:10

વડોદરામાં આટલી દુઃખદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. છતાંય આ નેતાઓ રાજકારણ કરવામાંથી ઊંચા નથી આવતા  આ નેતાઓ છે, એ લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે. કેટલાક નેતાઓ એવા છે જેમને કઈ જ ફર્ક નથી પડતો હોતો કોણ મરે કોણ જીવે બસ એમને એટલું જ જોઈએ કે અમને વોટ આપો અને જિતાવો. એવા જ એક કોંગ્રેસના ધારાસભ્ય છે જે ક્યારના ભાજપમાં જાઉં જાઉં કરતા હતા તેમણે રાજીનામુ આપી દીધું છે 

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બની શકે છે સી.જે.ચાવડા 

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આવે એટલે આપણને ખબર જ છે કે આયા રામ ગયા રામ થવાનું જ છે અને આપણે ફરી એકવાર વોટ આપવા લાઈનમાં ઉભું રહેવાનું છે કારણ કે પેટા ચૂંટણી તો થવાની જ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું અને સી. જે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં. સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે સીજે ચાવડા..ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. 



જો થોડા સમય બાદ રાજીનામું આપ્યું હોત તો શું બગડી જતું? 

ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કહેવાય પણ જનપ્રતિનિધિને પોતાની જ પરવાહ હોય એવા જનપ્રતિનિધિને શું કહેવા જવું કારણ કે વડોદરાના હરણી તળાવમાં દુઃખદ ઘટના સર્જાઈ છે છતાંય આ ધારાસભ્યને એટલી ઉતાવળ હતી તેઓએ મોતનો મલાજો પણ ન સાચવ્યો પણ પોતાની કારકિર્દી સાચવવા પહોંચી ગયા રાજીનામુ આપવા. એમને જરાય એમ નહિ થયું હોય કે આખું વડોદરા સુમસામ છે. આ ઘટનાથી ઠેર ઠેર દુઃખદ વાતાવરણ છે તેની વચ્ચે તમે તમારું રાજકારણ અને પક્ષપલટો થોડા સમય માટે ભૂલી જાઓ. હાઇકમાંડને ખુશ કરવાની એટલી તો કેટલી ઉતાવળ હતી કે મોતનો મલાજો પણ તમે ના જાળવી શક્યા...


વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે... 

કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાંથી વધુ રાજીનામાં પડી શકે છે ભાજપે તો જેમ શાળામાં ભરતી થતી હોય એમ દુકાન ખોલી દીધી છે કે આવો અમારે ત્યાં ભરતી થાઓ અમારા દરવાજા ખુલ્લા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.   


આગામી સમયમાં વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું 

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. આ ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 15નું થઈ ગયું છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.