C.J.Chavdaએ MLA પદ ઉપરથી આપ્યું રાજીનામું, હાઈકમાન્ડને ખુશ કરવાની એટલી બધી ઉતાવળ હતી કે ધારાસભ્ય ભૂલી ગયા વડોદરામાં બનેલી દુર્ઘટના!


  • Published By :
  • Published Date : 2024-01-19 11:41:10

વડોદરામાં આટલી દુઃખદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. છતાંય આ નેતાઓ રાજકારણ કરવામાંથી ઊંચા નથી આવતા  આ નેતાઓ છે, એ લોકો માત્ર પોતાનું જ વિચારતા હોય છે. કેટલાક નેતાઓ એવા છે જેમને કઈ જ ફર્ક નથી પડતો હોતો કોણ મરે કોણ જીવે બસ એમને એટલું જ જોઈએ કે અમને વોટ આપો અને જિતાવો. એવા જ એક કોંગ્રેસના ધારાસભ્ય છે જે ક્યારના ભાજપમાં જાઉં જાઉં કરતા હતા તેમણે રાજીનામુ આપી દીધું છે 

સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર બની શકે છે સી.જે.ચાવડા 

ગુજરાત કોંગ્રેસને લોકસભા ચૂંટણી પહેલા વધુ એક મોટો ફટકો પડ્યો છે કારણ કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સી.જે ચાવડાએ રાજીનામું આપી દીધું છે. ચૂંટણી આવે એટલે આપણને ખબર જ છે કે આયા રામ ગયા રામ થવાનું જ છે અને આપણે ફરી એકવાર વોટ આપવા લાઈનમાં ઉભું રહેવાનું છે કારણ કે પેટા ચૂંટણી તો થવાની જ છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડાએ વિધાનસભાના સ્પીકર શંકર ચૌધરીના નિવાસસ્થાને પહોંચી રાજીનામું આપ્યું અને સી. જે ચાવડા ગમે ત્યારે જોડાઈ શકે છે ભાજપમાં. સાબરકાંઠાથી લોકસભાના ઉમેદવાર બની શકે છે સીજે ચાવડા..ભાજપ હાઈ કમાન્ડ સાથે બેઠક થયા બાદ સીજે ચાવડાએ કોંગ્રેસને રામરામ કર્યા છે. 



જો થોડા સમય બાદ રાજીનામું આપ્યું હોત તો શું બગડી જતું? 

ધારાસભ્ય એટલે જનપ્રતિનિધિ કહેવાય પણ જનપ્રતિનિધિને પોતાની જ પરવાહ હોય એવા જનપ્રતિનિધિને શું કહેવા જવું કારણ કે વડોદરાના હરણી તળાવમાં દુઃખદ ઘટના સર્જાઈ છે છતાંય આ ધારાસભ્યને એટલી ઉતાવળ હતી તેઓએ મોતનો મલાજો પણ ન સાચવ્યો પણ પોતાની કારકિર્દી સાચવવા પહોંચી ગયા રાજીનામુ આપવા. એમને જરાય એમ નહિ થયું હોય કે આખું વડોદરા સુમસામ છે. આ ઘટનાથી ઠેર ઠેર દુઃખદ વાતાવરણ છે તેની વચ્ચે તમે તમારું રાજકારણ અને પક્ષપલટો થોડા સમય માટે ભૂલી જાઓ. હાઇકમાંડને ખુશ કરવાની એટલી તો કેટલી ઉતાવળ હતી કે મોતનો મલાજો પણ તમે ના જાળવી શક્યા...


વિધાનસભાનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે... 

કોંગ્રેસ અને આપ આદમી પાર્ટીમાંથી વધુ રાજીનામાં પડી શકે છે ભાજપે તો જેમ શાળામાં ભરતી થતી હોય એમ દુકાન ખોલી દીધી છે કે આવો અમારે ત્યાં ભરતી થાઓ અમારા દરવાજા ખુલ્લા છે. થોડા સમય પહેલા જ કોંગ્રેસના ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપ્યું હતું. 182 સભ્યની વિધાનસભામાં આપના ભૂપત ભાયાણીના રાજીનામા બાદ સભ્ય સંખ્યા ઘટી ગઈ છે.   


આગામી સમયમાં વધુ ધારાસભ્યો આપી શકે છે રાજીનામું 

વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ 17નું છે. આ ધારાસભ્યના રાજીનામાં બાદ ઘટીને 15નું થઈ ગયું છે. કોંગ્રેસમાં ભૂકંપ તો ત્યારે સર્જાયો જ્યારે ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું ધરી દીધું હતું. આવનારા દિવસોમાં હજુ પણ વધુ ધારાસભ્યો રાજીનામા આપશે તેવી ચર્ચા ચાલી રહી છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.