સૌરાષ્ટ્ર ભાજપના આ કદાવર નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-27 11:46:50

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ખટરાગ સામે આવી રહ્યો છે, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ બેન માડમ વચ્ચેનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તથા સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાની આંતરિક લડાઈએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આજ કારણે ભાજપે ત્રણેય અગ્રણી નેતાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનવાને લઈ શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટી તરફથી કોઈ નોટિસ મળી હોવાનો સાફ ઈન્કાર કર્યો છે.


શા માટે રાજકારણ ગરમાયું?

 

રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની અવગણના કરવામાં આવી હોવાથી પાર્ટીએ શિસ્ત ભંગની નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.


પાર્ટીએ ખુલાસો માગ્યો 


રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે આગામી દિવસોમાં આકરા પગલાં તોળાઇ રહ્યાનો નિર્દેશ રાજકીય આગેવાનોએ આપ્યો હતો.



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.