સૌરાષ્ટ્ર ભાજપના આ કદાવર નેતાને સી.આર.પાટીલે ફટકારી શિસ્તભંગની નોટિસ, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-08-27 11:46:50

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક ખટરાગ સામે આવી રહ્યો છે, રીવાબા જાડેજા અને સાંસદ પૂનમ બેન માડમ વચ્ચેનો વિવાદ હજુ તાજો જ છે ત્યાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી તથા સહકારી આગેવાનો બાબુભાઈ નસીત અને નીતિન ઢાકેચાની આંતરિક લડાઈએ રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. આજ કારણે ભાજપે ત્રણેય અગ્રણી નેતાને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો આદેશ ન માનવાને લઈ શિસ્ત ભંગની નોટિસ ફટકારી છે. ઉલ્લેખનિય છે કે થોડા સમય પહેલા તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીબને જિલ્લા પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે. જો કે અરવિંદ રૈયાણીએ પાર્ટી તરફથી કોઈ નોટિસ મળી હોવાનો સાફ ઈન્કાર કર્યો છે.


શા માટે રાજકારણ ગરમાયું?

 

રાજકોટ લોધિકા સંઘમાં નિમણૂકમા પાર્ટીના આદેશ બાદ પણ ભાજપના જ આગેવાનો હાઇકોર્ટમાં ગયા હતા. પાર્ટીએ આપેલા વ્હીપની અવગણના કરવામાં આવી હોવાથી પાર્ટીએ શિસ્ત ભંગની નોટિસ ફટકારી હતી. અરવિંદ રૈયાણી અને તેમના સાથીઓએ અગાઉ સંઘમાંથી હાંકી કઢાયેલા ડિરેક્ટરો ભાનુભાઈ મહેતા, ગૌરવસિંહ જાડેજા અને મુકેશ કમાણીને ગેરલાયક ઠેરવવા અરજી કરી હતી.


પાર્ટીએ ખુલાસો માગ્યો 


રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં પ્રદેશ ભાજપના વ્હિપનું ઉલ્લંઘન કરનાર પૂર્વ મંત્રી અરવિંદ રૈયાણી, નીતિન ઢાંકેચા, બાબુ નસીત અને મનસુખ સરધારાને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે નોટિસ ફટકારી સાત દિવસમાં ખુલાસો કરવા તાકીદ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. આઠેય આગેવાનો સામે આગામી દિવસોમાં આકરા પગલાં તોળાઇ રહ્યાનો નિર્દેશ રાજકીય આગેવાનોએ આપ્યો હતો.



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી