Vocal For Localને C.R.Patilએ કર્યો પ્રોત્સાહિત, સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવડા, લોકોને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-11 19:05:05

દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે કાળી ચૌદસ છે, આવતી કાલે દિવાળી લોકો મનાવશે. દિવાળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ હશે. સ્થાનિક લોકોને રોજગાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગર પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા જેમાં દિવાળીની ખરીદી ફેરીયાઓ જોડેથી કરવી જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા ખરીદ્યા અને આવા વિક્રેતાઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અપીલ કરી હતી.

સી.આર.પાટીલે સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવા 

છેલ્લા થોડા સમયથી વોકલ ફોર લોકલ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરોને કામ મળી રહે, તેમના પરિવારનું ગુજરાન થાય તે હેતુથી આ કેમ્પેઈન ચાલી રહ્યું છે. દિવાળીના સમયે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો, અનેક એવી રિલ્સ આવતી હોય છે જેમાં આ મેસેજ પાઠવવામાં આવતો હોય છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ અંગે ટ્વિટ કર્યું હતું જેમાં આવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવા સી.આર.પાટીલે સ્થાનિક કારીગર પાસેથી દીવડા ખરીદ્યા હતા અને લોકોને અપીલ કરી હતી તે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી કરે.


અનેક પરિવારો આ કમાણી પર હોય છે નિર્ભર 

મહત્વનું છે કે અનેક એવા કારીગરો હશે જે રોજનું કમાઈને રોજનું ખાતા હશે. જો કોઈ દિવસ તેમના ત્યાંથી ખરીદી નથી થતી તો તેમના પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. તેમની કમાણી પર આખા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે આવા લોકો પાસેથી પણ ખરીદી કરી લેવી જેમની દિવાળી આપણા થકી ઉજવળ બની શકે છે. આપણે તેમની પાસેથી સામાન ખરીદીશું તો જ તે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે...      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે