Vocal For Localને C.R.Patilએ કર્યો પ્રોત્સાહિત, સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવડા, લોકોને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-11 19:05:05

દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે કાળી ચૌદસ છે, આવતી કાલે દિવાળી લોકો મનાવશે. દિવાળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ હશે. સ્થાનિક લોકોને રોજગાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગર પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા જેમાં દિવાળીની ખરીદી ફેરીયાઓ જોડેથી કરવી જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા ખરીદ્યા અને આવા વિક્રેતાઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અપીલ કરી હતી.

સી.આર.પાટીલે સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવા 

છેલ્લા થોડા સમયથી વોકલ ફોર લોકલ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરોને કામ મળી રહે, તેમના પરિવારનું ગુજરાન થાય તે હેતુથી આ કેમ્પેઈન ચાલી રહ્યું છે. દિવાળીના સમયે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો, અનેક એવી રિલ્સ આવતી હોય છે જેમાં આ મેસેજ પાઠવવામાં આવતો હોય છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ અંગે ટ્વિટ કર્યું હતું જેમાં આવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવા સી.આર.પાટીલે સ્થાનિક કારીગર પાસેથી દીવડા ખરીદ્યા હતા અને લોકોને અપીલ કરી હતી તે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી કરે.


અનેક પરિવારો આ કમાણી પર હોય છે નિર્ભર 

મહત્વનું છે કે અનેક એવા કારીગરો હશે જે રોજનું કમાઈને રોજનું ખાતા હશે. જો કોઈ દિવસ તેમના ત્યાંથી ખરીદી નથી થતી તો તેમના પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. તેમની કમાણી પર આખા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે આવા લોકો પાસેથી પણ ખરીદી કરી લેવી જેમની દિવાળી આપણા થકી ઉજવળ બની શકે છે. આપણે તેમની પાસેથી સામાન ખરીદીશું તો જ તે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે...      



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.