Vocal For Localને C.R.Patilએ કર્યો પ્રોત્સાહિત, સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવડા, લોકોને કરી અપીલ


  • Published By :
  • Published Date : 2023-11-11 19:05:05

દિવાળીના તહેવારની ઉજવણી થઈ રહી છે. આજે કાળી ચૌદસ છે, આવતી કાલે દિવાળી લોકો મનાવશે. દિવાળીની ખરીદી પણ પૂર્ણ થઈ ગઈ હશે. સ્થાનિક લોકોને રોજગાર મળે તે માટે વોકલ ફોર લોકલને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગર પણ દિવાળીની ઉજવણી સારી રીતે કરી શકે તે માટે અનેક કેમ્પેઈન ચલાવવામાં આવ્યા હતા જેમાં દિવાળીની ખરીદી ફેરીયાઓ જોડેથી કરવી જોઈએ તેવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે વોકલ ફોર લોકલને પ્રોત્સાહિત કરવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી દીવડા ખરીદ્યા અને આવા વિક્રેતાઓ પાસેથી વસ્તુઓની ખરીદી કરવા માટે લોકોને અપીલ કરી હતી.

સી.આર.પાટીલે સ્થાનિક વિક્રેતા પાસેથી ખરીદ્યા દીવા 

છેલ્લા થોડા સમયથી વોકલ ફોર લોકલ કેમ્પેઈન ચલાવવામાં આવી રહ્યું છે. સ્થાનિક કારીગરોને કામ મળી રહે, તેમના પરિવારનું ગુજરાન થાય તે હેતુથી આ કેમ્પેઈન ચાલી રહ્યું છે. દિવાળીના સમયે સોશિયલ મીડિયા પર પણ અનેક એવા વીડિયો, અનેક એવી રિલ્સ આવતી હોય છે જેમાં આ મેસેજ પાઠવવામાં આવતો હોય છે. ગુજરાત તેમજ કેન્દ્ર સરકાર દ્વારા પણ આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદી સહિત અનેક દિગ્ગજ નેતાઓએ આ અંગે ટ્વિટ કર્યું હતું જેમાં આવો મેસેજ આપવામાં આવ્યો હતો. ત્યારે આ કેમ્પેઈનને પ્રોત્સાહિત કરવા સી.આર.પાટીલે સ્થાનિક કારીગર પાસેથી દીવડા ખરીદ્યા હતા અને લોકોને અપીલ કરી હતી તે સ્વદેશી સ્થાનિક વિક્રેતાઓ પાસેથી ખરીદી કરે.


અનેક પરિવારો આ કમાણી પર હોય છે નિર્ભર 

મહત્વનું છે કે અનેક એવા કારીગરો હશે જે રોજનું કમાઈને રોજનું ખાતા હશે. જો કોઈ દિવસ તેમના ત્યાંથી ખરીદી નથી થતી તો તેમના પરિવારને ભૂખ્યા રહેવાનો વારો આવે છે. તેમની કમાણી પર આખા પરિવારનું ગુજરાન ચાલતું હોય છે તેવા અનેક કિસ્સાઓ આપણી સામે છે. ત્યારે આવા લોકો પાસેથી પણ ખરીદી કરી લેવી જેમની દિવાળી આપણા થકી ઉજવળ બની શકે છે. આપણે તેમની પાસેથી સામાન ખરીદીશું તો જ તે પોતાના પરિવાર સાથે દિવાળી મનાવી શકશે...      



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી