C.R.Patilએ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક? પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી મેદાનમાં?


  • Published By :
  • Published Date : 2024-04-25 17:53:30

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે... ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ વિવાદ શાંત થયો નથી... ત્યારે આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને મેદાનમાં ઉતાર્યા છે.. અલગ અલગ જગ્યાઓ પર આ બંને નેતાઓ બેઠકો કરી રહ્યા છે. મહત્વનું છે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી.આર.પાટીલે મુલાકાત કરી હતી. દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સાથે પાટીલે વાતચીત કરી. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને શાંત કરવા કવાયત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાવાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે... એક તરફ પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ વિરોધનું વંટોળ છે... ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માટે મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે તો ભાજપે પણ આ વિવાદને શાંત કરવા, ડેમેજ કંટ્રોલ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેમજ સંગઠન મહામંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા થોડા દિવસોમાં આ બંને નેતાઓ દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી અને આ બેઠકોમાં ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ હતા.. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી હતી કે ક્ષત્રિય સમાજના પણ આગેવાનો બેઠકમાં હાજર હતા..



આ જગ્યાઓ પર કરવામાં આવી છે બેઠક    

આ વિવાદને શાંત કરવા અને ક્ષત્રિય સમાજને મનાવવા ગુજરાતના અલગ અલગ શહેરોમાં આને  લઈ 10થી વધુ બેઠક થઈ ચૂકી છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર,કચ્છ , હિંમતનગર , બનાસકાંઠા , રાજકોટ સહિતના વિસ્તારોમાં આ બેઠકો થઈ ગઈ. આ તમામ બેઠકોમાં થયેલી વાતોને ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર આ બેઠકમા ચર્ચા થાય છે. પહેલું બીજેપી હાઈકમાન્ડએ ક્ષત્રિય સમાજની લાગણીઓનો આદર કરવા સૂચના આપી છે .



બેઠકમાં અપાયા આ સૂચન! 

આ દરેક બેઠકો શરુ થતાં જ એક વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે , પરષોત્તમ રૂપાલાએ જે પણ નિવેદન કર્યું તેનો બચાવ ભાજપ કરતુ નથી. ભાજપ તરફથી થયેલા પ્રયાસ અને મંગાયેલી માફીના પ્રયાસોની જાણ ક્ષત્રિય સમાજને કરવામાં આવે છે. આ સાથે જ સામાજિક નેતાઓ સાથે કરાયેલા સંકલનની જાણકારી અપાય છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી છે કે , સમાજની ભાવનાઓ જયારે શાંતિપૂર્ણ રીતે વ્યક્ત થતી હોય ત્યારે , તેમાં અડચણ ન બનવું . ક્યાંય પણ ભાવના વ્યક્ત કરતી વખતે કે વિરોધ કરતી વખતે વર્ગવિગ્રહ ના થાય તેની સૂચના અપાઈ છે . 


ભાજપના નેતા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળી હતી બેઠક!

આ બેઠકોમાં છેલ્લે એક વાત તો ચોક્કસ કરવામાં આવે છે , ભાજપનો પાયો મજબૂત કરવામાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે . ભાજપ અને ક્ષત્રિયો સિક્કાની બે બાજુ સમાન છે. ક્ષત્રિયોના ભાજપ સાથેના તાર અને ભાજપની ક્ષત્રિયો માટેની લાગણી દિલથી જોડાયેલી છે. મહત્વનું છે કે આની પહેલા ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના લોકો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. એ બેઠકમાં એવી આશા હતી કે વિવાદનો અંત આવશે પરંતુ તેવું ના થયું. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપ પણ આ વિવાદને શાંત કરવામાં લાગી ગઈ છે. 



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .