C.R.Patilએ કરી ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક? પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદને શાંત કરવા હર્ષ સંઘવી અને સંગઠન મહામંત્રી મેદાનમાં?


  • Published By :
  • Published Date : 2024-04-25 17:53:30

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે... ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ આ વિવાદ શાંત થયો નથી... ત્યારે આ વિવાદ જલ્દી શાંત થાય તે માટે હર્ષ સંઘવી તેમજ સંગઠન મહામંત્રી રત્નાકરને મેદાનમાં ઉતાર્યા છે.. અલગ અલગ જગ્યાઓ પર આ બંને નેતાઓ બેઠકો કરી રહ્યા છે. મહત્વનું છે આ બધા વચ્ચે સમાચાર સામે આવી રહ્યા છે સુરતમાં ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી.આર.પાટીલે મુલાકાત કરી હતી. દક્ષિણ ગુજરાતના 108 આગેવાનો સાથે પાટીલે વાતચીત કરી. 

ક્ષત્રિય સમાજમાં ભભૂકી ઉઠેલા રોષને શાંત કરવા કવાયત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી યોજાવાને માત્ર હવે ગણતરીના દિવસો બાકી છે... એક તરફ પ્રચારનો ધમધમાટ છે તો બીજી તરફ વિરોધનું વંટોળ છે... ક્ષત્રિય સમાજ આર પારની લડાઈ લડવા માટે મેદાનમાં હોય તેવું લાગી રહ્યું છે તો ભાજપે પણ આ વિવાદને શાંત કરવા, ડેમેજ કંટ્રોલ કરવા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને તેમજ સંગઠન મહામંત્રીને મેદાનમાં ઉતાર્યા છે. છેલ્લા થોડા દિવસોમાં આ બંને નેતાઓ દ્વારા અનેક જગ્યાઓ પર બેઠક કરવામાં આવી અને આ બેઠકોમાં ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ હતા.. તે ઉપરાંત એવી પણ માહિતી સામે આવી હતી કે ક્ષત્રિય સમાજના પણ આગેવાનો બેઠકમાં હાજર હતા..



આ જગ્યાઓ પર કરવામાં આવી છે બેઠક    

આ વિવાદને શાંત કરવા અને ક્ષત્રિય સમાજને મનાવવા ગુજરાતના અલગ અલગ શહેરોમાં આને  લઈ 10થી વધુ બેઠક થઈ ચૂકી છે. જામનગર, ભાવનગર, સુરેન્દ્રનગર,કચ્છ , હિંમતનગર , બનાસકાંઠા , રાજકોટ સહિતના વિસ્તારોમાં આ બેઠકો થઈ ગઈ. આ તમામ બેઠકોમાં થયેલી વાતોને ગુપ્ત રાખવામાં આવી છે. પરંતુ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર આ બેઠકમા ચર્ચા થાય છે. પહેલું બીજેપી હાઈકમાન્ડએ ક્ષત્રિય સમાજની લાગણીઓનો આદર કરવા સૂચના આપી છે .



બેઠકમાં અપાયા આ સૂચન! 

આ દરેક બેઠકો શરુ થતાં જ એક વાત સ્પષ્ટ રીતે કહેવામાં આવે છે કે , પરષોત્તમ રૂપાલાએ જે પણ નિવેદન કર્યું તેનો બચાવ ભાજપ કરતુ નથી. ભાજપ તરફથી થયેલા પ્રયાસ અને મંગાયેલી માફીના પ્રયાસોની જાણ ક્ષત્રિય સમાજને કરવામાં આવે છે. આ સાથે જ સામાજિક નેતાઓ સાથે કરાયેલા સંકલનની જાણકારી અપાય છે. તે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીએ સૂચના આપી છે કે , સમાજની ભાવનાઓ જયારે શાંતિપૂર્ણ રીતે વ્યક્ત થતી હોય ત્યારે , તેમાં અડચણ ન બનવું . ક્યાંય પણ ભાવના વ્યક્ત કરતી વખતે કે વિરોધ કરતી વખતે વર્ગવિગ્રહ ના થાય તેની સૂચના અપાઈ છે . 


ભાજપના નેતા અને ક્ષત્રિય આગેવાનો વચ્ચે મળી હતી બેઠક!

આ બેઠકોમાં છેલ્લે એક વાત તો ચોક્કસ કરવામાં આવે છે , ભાજપનો પાયો મજબૂત કરવામાં ક્ષત્રિય સમાજની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે . ભાજપ અને ક્ષત્રિયો સિક્કાની બે બાજુ સમાન છે. ક્ષત્રિયોના ભાજપ સાથેના તાર અને ભાજપની ક્ષત્રિયો માટેની લાગણી દિલથી જોડાયેલી છે. મહત્વનું છે કે આની પહેલા ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના લોકો અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક મળી હતી. એ બેઠકમાં એવી આશા હતી કે વિવાદનો અંત આવશે પરંતુ તેવું ના થયું. ક્ષત્રિય સમાજ લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે જ્યારે ભાજપ પણ આ વિવાદને શાંત કરવામાં લાગી ગઈ છે. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.