C.R.પાટીલએ કેજરીવાલની ગેરન્ટીઓ પર કર્યા વાર.........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:01:38

ગુજરાત વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપની ટક્કર વધી રહી છે વિધાનસભા ચૂંટણી પહેલા AAP વિવિધ ગેરન્ટીઓ આપી રાજ્યની જનતાને આકર્ષવાની કોશિશ કરી હતી. દરમિયાન સી.આર.પાટીલે કોઈપાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે AAP પર નિશાના કર્યા છે. તેમણે દરમિયાન શિક્ષણ, સુવિધાઓ, રોડ-રસ્તા સહિતની સુવિધા પર નજર કરવા AAPના અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે અને તેમણે કહ્યું લોકો ગુજરાતમાં આવી તમને ગેરમાર્ગએ દોરવાનો પ્રયાસ કરશે અને તમને લાલચવા વાળી વાતો કરશે અને આની સાથે તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધા છે .....

 

શું કહ્યું C R પાટિલે ??

સી આર પાટિલે AAPનું નામ લીધા વગર કહ્યું તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જશો

 

પાટીલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા


સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો જનતાની વાત કોઈ સાંભળતું પણ નહોતું. અહીં અધિકારીઓ જનતા સામે તૂ-તૂ-મે-મે કરવામાંથી ઉંચા આવતા નહોતા. તે સમયે સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે