C.R.પાટીલએ કેજરીવાલની ગેરન્ટીઓ પર કર્યા વાર.........


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-06 14:01:38

ગુજરાત વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ આપ અને ભાજપની ટક્કર વધી રહી છે વિધાનસભા ચૂંટણી પહેલા AAP વિવિધ ગેરન્ટીઓ આપી રાજ્યની જનતાને આકર્ષવાની કોશિશ કરી હતી. દરમિયાન સી.આર.પાટીલે કોઈપાર્ટીનું નામ લીધા વિના આડકતરી રીતે AAP પર નિશાના કર્યા છે. તેમણે દરમિયાન શિક્ષણ, સુવિધાઓ, રોડ-રસ્તા સહિતની સુવિધા પર નજર કરવા AAPના અરવિંદ કેજરીવાલને આમંત્રણ આપ્યું છે અને તેમણે કહ્યું લોકો ગુજરાતમાં આવી તમને ગેરમાર્ગએ દોરવાનો પ્રયાસ કરશે અને તમને લાલચવા વાળી વાતો કરશે અને આની સાથે તેમણે કોંગ્રેસને પણ આડેહાથ લીધા છે .....

 

શું કહ્યું C R પાટિલે ??

સી આર પાટિલે AAPનું નામ લીધા વગર કહ્યું તેમણે કહ્યું હતું કે કેટલાક લોકો શિક્ષણ નીતિની વાતો કરતા હોય છે. તેમને મારું આમંત્રણ છે કે અહીં આવીને સ્કૂલોની સ્થિતિ જોઈ જાવ. અહીં અમે જે પ્રમાણે વિદ્યાર્થીઓને સુવિધાઓ આપી છે, એના પર એક નજર કરો. સુરતની મનપાની શાળાઓમાં અમે જે પ્રમાણેની સુવિધાઓ આપીએ છીએ એને જોઈને તમે બધા દાવાઓ ભૂલી જશો

 

પાટીલે કોંગ્રેસ પર પણ પ્રહાર કર્યા


સી.આર. પાટીલે આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને વળતો જવાબ આપી કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના રાજમાં તો જનતાની વાત કોઈ સાંભળતું પણ નહોતું. અહીં અધિકારીઓ જનતા સામે તૂ-તૂ-મે-મે કરવામાંથી ઉંચા આવતા નહોતા. તે સમયે સામાન્ય જનતાને ઘણી હાલાકીનો સામનો કરવો પડતો હતો.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .