સી.આર.પાટીલે માત્ર પ્રશંસા નથી કરી, બહુ બધાને ઈશારો કર્યો છે કે ટિકીટ તો કપાશે! પાર્ટી માટે કામ કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 16:17:48

181માંથી 182 સીટ જીતીશું એવો લક્ષ્યાંક ભાજપ આપી શકે છે કેમ કે ક્યારેક દમથી, ક્યારેક નામથી, ક્યારેક સત્તાથી તો ક્યારેક વિચારથી, પણ પાર્ટીના કમિટેડ લાખો લોકો છે જે સતત એની જીત માટે કામ કરે છે, પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ગણિત સાચું પડશે?


 ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદાહરણ કેમ આપવું પડ્યું?

સી.આર.પાટીલે ગુરૂવારે બપોરે ત્રણ ટ્વીટ કરીને સુરત ભાજપના નેતા પ્રફલ પાનશેરીયાનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે.” સુરત ભાજપના આ નેતાનું ઉદાહરણ આપીને સી.આર.પાટીલ ટુંકમાં કહી રહ્યા હતા કે ટિકીટ મળે કે ના મળે પણ કાર્યકરોએ પાર્ટી માટે લડવું જોઈએ અને ભાજપમાં નામો જાહેર થાય પછી સ્થિતી બગડશે એવું માનનારા લોકોને આડકતરો ઈશારો પણ કરી રહ્યા હતા.


આ વખતે દાવેદારો અનેક છે, ટિકીટ કપાયા પછી નેતાઓ નારાજ ના થાય એનું ધ્યાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું, પેટાચૂંટણીઓમાં પણ ભાજપે બધી સીટ પર જીત મેળવી તો દેખીતી જ રીતે પાટીલને અપેક્ષા હોય કે આ વખતે વિધાનસભામાં પણ જેને પાર્ટી ટિકીટ આપે એને સર્વગ્રાહી રાખીને કાર્યકરો સ્વિકારી લે, કમળને જ પોતાનો ઉમેદવાર માને, પણ વાત જ્યારે દિગ્ગજોના ટિકીટ કપાવવાની આવે ત્યારે આ વાત એટલી આસાન રહેવાની નથી.


જો આમની ટિકીટ કપાઈ તો ભાજપને તકલીફ પડી શકે!



આ દિગ્ગજોની ટિકીટ કપાવાનું લગભગ નક્કી!




2022 કોઈ માટે સરળ નથી!

ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈના માટે આ જંગ આસાન નથી, કેમ કે ત્રીજા પક્ષમાં આમ આદમી પાર્ટીએ પોતાનું મેદાન બનાવ્યું છે, ભલે એ મેદાન એટલું વિશાળ નથી પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કઈ સીટ પર કોને જીતાડવા એના માટે મહત્વનું છે. અને એટલે જ આ જંગ રસપ્રદ છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .