સી.આર.પાટીલે માત્ર પ્રશંસા નથી કરી, બહુ બધાને ઈશારો કર્યો છે કે ટિકીટ તો કપાશે! પાર્ટી માટે કામ કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 16:17:48

181માંથી 182 સીટ જીતીશું એવો લક્ષ્યાંક ભાજપ આપી શકે છે કેમ કે ક્યારેક દમથી, ક્યારેક નામથી, ક્યારેક સત્તાથી તો ક્યારેક વિચારથી, પણ પાર્ટીના કમિટેડ લાખો લોકો છે જે સતત એની જીત માટે કામ કરે છે, પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ગણિત સાચું પડશે?


 ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદાહરણ કેમ આપવું પડ્યું?

સી.આર.પાટીલે ગુરૂવારે બપોરે ત્રણ ટ્વીટ કરીને સુરત ભાજપના નેતા પ્રફલ પાનશેરીયાનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે.” સુરત ભાજપના આ નેતાનું ઉદાહરણ આપીને સી.આર.પાટીલ ટુંકમાં કહી રહ્યા હતા કે ટિકીટ મળે કે ના મળે પણ કાર્યકરોએ પાર્ટી માટે લડવું જોઈએ અને ભાજપમાં નામો જાહેર થાય પછી સ્થિતી બગડશે એવું માનનારા લોકોને આડકતરો ઈશારો પણ કરી રહ્યા હતા.


આ વખતે દાવેદારો અનેક છે, ટિકીટ કપાયા પછી નેતાઓ નારાજ ના થાય એનું ધ્યાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું, પેટાચૂંટણીઓમાં પણ ભાજપે બધી સીટ પર જીત મેળવી તો દેખીતી જ રીતે પાટીલને અપેક્ષા હોય કે આ વખતે વિધાનસભામાં પણ જેને પાર્ટી ટિકીટ આપે એને સર્વગ્રાહી રાખીને કાર્યકરો સ્વિકારી લે, કમળને જ પોતાનો ઉમેદવાર માને, પણ વાત જ્યારે દિગ્ગજોના ટિકીટ કપાવવાની આવે ત્યારે આ વાત એટલી આસાન રહેવાની નથી.


જો આમની ટિકીટ કપાઈ તો ભાજપને તકલીફ પડી શકે!



આ દિગ્ગજોની ટિકીટ કપાવાનું લગભગ નક્કી!




2022 કોઈ માટે સરળ નથી!

ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈના માટે આ જંગ આસાન નથી, કેમ કે ત્રીજા પક્ષમાં આમ આદમી પાર્ટીએ પોતાનું મેદાન બનાવ્યું છે, ભલે એ મેદાન એટલું વિશાળ નથી પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કઈ સીટ પર કોને જીતાડવા એના માટે મહત્વનું છે. અને એટલે જ આ જંગ રસપ્રદ છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .