સી.આર.પાટીલે માત્ર પ્રશંસા નથી કરી, બહુ બધાને ઈશારો કર્યો છે કે ટિકીટ તો કપાશે! પાર્ટી માટે કામ કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 16:17:48

181માંથી 182 સીટ જીતીશું એવો લક્ષ્યાંક ભાજપ આપી શકે છે કેમ કે ક્યારેક દમથી, ક્યારેક નામથી, ક્યારેક સત્તાથી તો ક્યારેક વિચારથી, પણ પાર્ટીના કમિટેડ લાખો લોકો છે જે સતત એની જીત માટે કામ કરે છે, પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ગણિત સાચું પડશે?


 ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદાહરણ કેમ આપવું પડ્યું?

સી.આર.પાટીલે ગુરૂવારે બપોરે ત્રણ ટ્વીટ કરીને સુરત ભાજપના નેતા પ્રફલ પાનશેરીયાનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે.” સુરત ભાજપના આ નેતાનું ઉદાહરણ આપીને સી.આર.પાટીલ ટુંકમાં કહી રહ્યા હતા કે ટિકીટ મળે કે ના મળે પણ કાર્યકરોએ પાર્ટી માટે લડવું જોઈએ અને ભાજપમાં નામો જાહેર થાય પછી સ્થિતી બગડશે એવું માનનારા લોકોને આડકતરો ઈશારો પણ કરી રહ્યા હતા.


આ વખતે દાવેદારો અનેક છે, ટિકીટ કપાયા પછી નેતાઓ નારાજ ના થાય એનું ધ્યાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું, પેટાચૂંટણીઓમાં પણ ભાજપે બધી સીટ પર જીત મેળવી તો દેખીતી જ રીતે પાટીલને અપેક્ષા હોય કે આ વખતે વિધાનસભામાં પણ જેને પાર્ટી ટિકીટ આપે એને સર્વગ્રાહી રાખીને કાર્યકરો સ્વિકારી લે, કમળને જ પોતાનો ઉમેદવાર માને, પણ વાત જ્યારે દિગ્ગજોના ટિકીટ કપાવવાની આવે ત્યારે આ વાત એટલી આસાન રહેવાની નથી.


જો આમની ટિકીટ કપાઈ તો ભાજપને તકલીફ પડી શકે!



આ દિગ્ગજોની ટિકીટ કપાવાનું લગભગ નક્કી!




2022 કોઈ માટે સરળ નથી!

ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈના માટે આ જંગ આસાન નથી, કેમ કે ત્રીજા પક્ષમાં આમ આદમી પાર્ટીએ પોતાનું મેદાન બનાવ્યું છે, ભલે એ મેદાન એટલું વિશાળ નથી પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કઈ સીટ પર કોને જીતાડવા એના માટે મહત્વનું છે. અને એટલે જ આ જંગ રસપ્રદ છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.