સી.આર.પાટીલે માત્ર પ્રશંસા નથી કરી, બહુ બધાને ઈશારો કર્યો છે કે ટિકીટ તો કપાશે! પાર્ટી માટે કામ કરો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-27 16:17:48

181માંથી 182 સીટ જીતીશું એવો લક્ષ્યાંક ભાજપ આપી શકે છે કેમ કે ક્યારેક દમથી, ક્યારેક નામથી, ક્યારેક સત્તાથી તો ક્યારેક વિચારથી, પણ પાર્ટીના કમિટેડ લાખો લોકો છે જે સતત એની જીત માટે કામ કરે છે, પણ 2022ની વિધાનસભા ચૂંટણીમાં પણ આ ગણિત સાચું પડશે?


 ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે ઉદાહરણ કેમ આપવું પડ્યું?

સી.આર.પાટીલે ગુરૂવારે બપોરે ત્રણ ટ્વીટ કરીને સુરત ભાજપના નેતા પ્રફલ પાનશેરીયાનું ઉદાહરણ આપ્યું, તેમણે કહ્યું કે “ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ જન-જનની સેવા માટે સમર્પિત છે. એમનાં મનમાં પોતાનાં હિત કરતાં પાર્ટીનું હિત, લોકોનું હિત વધારે મહત્વનું છે એનું આગવું ઉદાહરણ સુરત ભાજપાનાં શ્રી પ્રફૂલભાઇ પાનશેરિયાએ પૂરું પાડ્યું છે.” સુરત ભાજપના આ નેતાનું ઉદાહરણ આપીને સી.આર.પાટીલ ટુંકમાં કહી રહ્યા હતા કે ટિકીટ મળે કે ના મળે પણ કાર્યકરોએ પાર્ટી માટે લડવું જોઈએ અને ભાજપમાં નામો જાહેર થાય પછી સ્થિતી બગડશે એવું માનનારા લોકોને આડકતરો ઈશારો પણ કરી રહ્યા હતા.


આ વખતે દાવેદારો અનેક છે, ટિકીટ કપાયા પછી નેતાઓ નારાજ ના થાય એનું ધ્યાન

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યું હતું, પેટાચૂંટણીઓમાં પણ ભાજપે બધી સીટ પર જીત મેળવી તો દેખીતી જ રીતે પાટીલને અપેક્ષા હોય કે આ વખતે વિધાનસભામાં પણ જેને પાર્ટી ટિકીટ આપે એને સર્વગ્રાહી રાખીને કાર્યકરો સ્વિકારી લે, કમળને જ પોતાનો ઉમેદવાર માને, પણ વાત જ્યારે દિગ્ગજોના ટિકીટ કપાવવાની આવે ત્યારે આ વાત એટલી આસાન રહેવાની નથી.


જો આમની ટિકીટ કપાઈ તો ભાજપને તકલીફ પડી શકે!



આ દિગ્ગજોની ટિકીટ કપાવાનું લગભગ નક્કી!




2022 કોઈ માટે સરળ નથી!

ભાજપ હોય કે કૉંગ્રેસ કોઈના માટે આ જંગ આસાન નથી, કેમ કે ત્રીજા પક્ષમાં આમ આદમી પાર્ટીએ પોતાનું મેદાન બનાવ્યું છે, ભલે એ મેદાન એટલું વિશાળ નથી પણ ભાજપ કે કૉંગ્રેસ બંનેમાંથી કઈ સીટ પર કોને જીતાડવા એના માટે મહત્વનું છે. અને એટલે જ આ જંગ રસપ્રદ છે.



લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ ઉમેદવારોએ પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે પણ કોંગ્રેસને હજુ ઘણી બધી બેઠક માટે યોગ્ય ઉમેદવાર નથી મળી રહ્યા આ બધાની વચ્ચે જુનાગઢ બેઠક પરથી રાજેશ ચુડાસમા સામે વિમલ ચુડાસમાના પત્નીને ઉતારવની વાત થઈ રહી છે.

જામનગરના કોંગ્રેસના મહિલા કોર્પોરેટરના પતિ વિરૂદ્ધ મહાનગરપાલિકાના સિટી ઈજનેરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. સીટિ ઈજનેરને ધાક ધમકી આપવામાં આવી ઉપરાંત ખંડણીની માગ પણ કરવામાં આવી. આ મામલે પોલીસ તપાસ કરી રહી છે.

ભાજપમાં કકડાટ જોવા મળી રહ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે વિવાદ છેડાઈ ગયો છે. ક્ષત્રિય સમાજ માટે ટિપ્પણી કરી હતી જે બાદ વિવાદ છેડાઈ ગયો છે. વિવાદ વધતા પરષોત્તમ રૂપાલા દ્વારા માફી પણ માગવામાં આવી પરંતુ વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો.

ભરૂચથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં આદિવાસી ભાષામાં કટાક્ષ કરવામાં આવ્યો છે. સાંસદ મનસુખ વસાવાને લઈ વાત કરવામાં આવી છે ગીતમાં... આ બેઠક પર ભાજપે મનસુખ વસાવાને જ્યારે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કરી ચૈતર વસાવાને ઉમેદવાર બનાવ્યા છે.