પક્ષપલટો કરી BJPમાં જોડાયેલા નેતાઓને C.R.Patilની ટકોર, Alpesh Thakor માટે કહી આ વાત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-22 14:08:33

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. નિવેદનમાં સી.આર.પાટીલ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યાર બાદ તેમનામાં શિષ્ટ આવી એ ઉદાહરણ આપે છે! આ નિવેદન એ બધા લોકો માટે છે જે પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છે એને ટકોર કરે છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આ તો ભાજપ છે શિસ્તમાં તો રહેવું પડશે. ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આવ્યું હતું. સી.આર.પાટીલના નિવેદન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

ભાજપમાં પહેલા જેવી શિસ્ત નથી રહી!

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જો આવું કહેતા હોય તો એનો મતલબ એ છે કે એમના કાન સુધી એ વાત પહોંચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પહેલાની જેવી શિસ્તા નથી રહી. જે શિસ્ત હતી એ ઓછી થઈ ગઈ છે. અવાર- નવાર આપણે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના એવા નિવેદન સાંભળ્યા છે જે પાર્ટીના બીજા નેતા માટે હોય. સી.આર.પાટીલના નિવેદન બાદ એ પણ સવાલ એ પણ ઉભો થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર આવ્યા એના પહેલા શિસ્તમાં ન હતા?  


ભાજપના જ ધારાસભ્યો ખોલી રહ્યા છે અંદરની પોલ!

ગઈકાલની જ વાત લઈએ તો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી કહ્યું કે મારી પાર્ટીના નાના કાર્યકર્તાઓ જ મારું અપમાન કરે છે. એનો મતલબ એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં કાર્યકર્તાઓ ધારાસભ્યનું અપમાન પણ કરે છે અને એમની મજાક પણ ઉડાડે છે. એની સામે મનસુખ વસાવા એવું પણ કહ્યું હતું કે પક્ષની વાત છે સમાધાન કરવું જોઈએ. પક્ષની વાત જાહેર મંચ પરથી ન કરવી જોઈએ. આ તો રાજકારણ છે, આમાં તમે ક્યાં સુધી કેટલું છુપાવી શકશો? જો પક્ષમાં ડખા છે તો એ સામે આવશે જ અને દેખાશે જ. જો પ્રદેશ અધ્યક્ષને દેખાઈ રહ્યું છે કે પક્ષમાં હવે ડખા થવાના શરૂ થયા છે તો એ ડખા સામાન્ય જનતાને પણ દેખાશે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.