પક્ષપલટો કરી BJPમાં જોડાયેલા નેતાઓને C.R.Patilની ટકોર, Alpesh Thakor માટે કહી આ વાત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-22 14:08:33

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. નિવેદનમાં સી.આર.પાટીલ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યાર બાદ તેમનામાં શિષ્ટ આવી એ ઉદાહરણ આપે છે! આ નિવેદન એ બધા લોકો માટે છે જે પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છે એને ટકોર કરે છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આ તો ભાજપ છે શિસ્તમાં તો રહેવું પડશે. ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આવ્યું હતું. સી.આર.પાટીલના નિવેદન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

ભાજપમાં પહેલા જેવી શિસ્ત નથી રહી!

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જો આવું કહેતા હોય તો એનો મતલબ એ છે કે એમના કાન સુધી એ વાત પહોંચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પહેલાની જેવી શિસ્તા નથી રહી. જે શિસ્ત હતી એ ઓછી થઈ ગઈ છે. અવાર- નવાર આપણે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના એવા નિવેદન સાંભળ્યા છે જે પાર્ટીના બીજા નેતા માટે હોય. સી.આર.પાટીલના નિવેદન બાદ એ પણ સવાલ એ પણ ઉભો થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર આવ્યા એના પહેલા શિસ્તમાં ન હતા?  


ભાજપના જ ધારાસભ્યો ખોલી રહ્યા છે અંદરની પોલ!

ગઈકાલની જ વાત લઈએ તો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી કહ્યું કે મારી પાર્ટીના નાના કાર્યકર્તાઓ જ મારું અપમાન કરે છે. એનો મતલબ એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં કાર્યકર્તાઓ ધારાસભ્યનું અપમાન પણ કરે છે અને એમની મજાક પણ ઉડાડે છે. એની સામે મનસુખ વસાવા એવું પણ કહ્યું હતું કે પક્ષની વાત છે સમાધાન કરવું જોઈએ. પક્ષની વાત જાહેર મંચ પરથી ન કરવી જોઈએ. આ તો રાજકારણ છે, આમાં તમે ક્યાં સુધી કેટલું છુપાવી શકશો? જો પક્ષમાં ડખા છે તો એ સામે આવશે જ અને દેખાશે જ. જો પ્રદેશ અધ્યક્ષને દેખાઈ રહ્યું છે કે પક્ષમાં હવે ડખા થવાના શરૂ થયા છે તો એ ડખા સામાન્ય જનતાને પણ દેખાશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.