પક્ષપલટો કરી BJPમાં જોડાયેલા નેતાઓને C.R.Patilની ટકોર, Alpesh Thakor માટે કહી આ વાત, જાણો સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2023-11-22 14:08:33

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એક નિવેદન આપ્યું છે જે ચર્ચાનો વિષય બન્યું છે. નિવેદનમાં સી.આર.પાટીલ કહી રહ્યા છે અલ્પેશ ઠાકોર જે રીતના ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ત્યાર બાદ તેમનામાં શિષ્ટ આવી એ ઉદાહરણ આપે છે! આ નિવેદન એ બધા લોકો માટે છે જે પક્ષ પલટો કરી અને ભાજપમાં આવ્યા છે એને ટકોર કરે છે. આ નિવેદનમાં તેમણે કહ્યું કે આ તો ભાજપ છે શિસ્તમાં તો રહેવું પડશે. ગઈકાલે અમદાવાદમાં યોજાયેલા સ્નેહમિલન કાર્યક્રમ દરમિયાન આવ્યું હતું. સી.આર.પાટીલના નિવેદન પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. 

ભાજપમાં પહેલા જેવી શિસ્ત નથી રહી!

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ જો આવું કહેતા હોય તો એનો મતલબ એ છે કે એમના કાન સુધી એ વાત પહોંચી છે કે ભારતીય જનતા પાર્ટીમાં હવે પહેલાની જેવી શિસ્તા નથી રહી. જે શિસ્ત હતી એ ઓછી થઈ ગઈ છે. અવાર- નવાર આપણે ભારતીય જનતા પાર્ટીના અનેક નેતાઓના એવા નિવેદન સાંભળ્યા છે જે પાર્ટીના બીજા નેતા માટે હોય. સી.આર.પાટીલના નિવેદન બાદ એ પણ સવાલ એ પણ ઉભો થાય છે કે શું ભારતીય જનતા પાર્ટીમાં અલ્પેશ ઠાકોર આવ્યા એના પહેલા શિસ્તમાં ન હતા?  


ભાજપના જ ધારાસભ્યો ખોલી રહ્યા છે અંદરની પોલ!

ગઈકાલની જ વાત લઈએ તો ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે જાહેર મંચ પરથી કહ્યું કે મારી પાર્ટીના નાના કાર્યકર્તાઓ જ મારું અપમાન કરે છે. એનો મતલબ એ છે કે શિસ્તબદ્ધ પાર્ટીમાં કાર્યકર્તાઓ ધારાસભ્યનું અપમાન પણ કરે છે અને એમની મજાક પણ ઉડાડે છે. એની સામે મનસુખ વસાવા એવું પણ કહ્યું હતું કે પક્ષની વાત છે સમાધાન કરવું જોઈએ. પક્ષની વાત જાહેર મંચ પરથી ન કરવી જોઈએ. આ તો રાજકારણ છે, આમાં તમે ક્યાં સુધી કેટલું છુપાવી શકશો? જો પક્ષમાં ડખા છે તો એ સામે આવશે જ અને દેખાશે જ. જો પ્રદેશ અધ્યક્ષને દેખાઈ રહ્યું છે કે પક્ષમાં હવે ડખા થવાના શરૂ થયા છે તો એ ડખા સામાન્ય જનતાને પણ દેખાશે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી