ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો


  • Published By :
  • Published Date : 2023-02-14 19:14:30

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તે અંગે જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તે કારણે કેબિનેટની બેઠક એક દિવસ વહેલા એટલે કે આજે મંગળવારે યોજાઈ હતી.


ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનશે


ઋષિકેશ પટેલે કેબિનેટ મિટિંગમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો જેવા કે રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે. પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર કરવા અંગે વિચાર વિમર્સ થયો છે.


શાળાઓમાં ગુજરાતી અનિવાર્ય


ગુજરાતી ભાષાને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સરકાર દ્રઢ સંકલ્પ છે. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે કડક પગલા લેવાશે. ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી જો કે, હવે સરકારે કડક હાથે કાર્યવાહી કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. વળી આ જ મુદ્દે અગ્રણી સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા અને  રજુઆત કરી હતી. 


માતૃભાષા દિવસની ઉજવણી


રાજ્ય સરકાર માતૃભાષાનું ગૌરવ વધારવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.