ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી, સરકારે લીધા આ મહત્વના નિર્ણયો


  • Published By :
  • Published Date : 2023-02-14 19:14:30

ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટની બેઠક બાદ સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે તે અંગે જાણકારી આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે સામાન્ય રીતે બુધવારે કેબિનેટની બેઠક મળતી હોય છે. પરંતુ આ વખતે બુધવાર અને ગુરુવારે વિધાનસભામાં ગણેશ વાસુદેવ માવળંકર સાંસદીય બ્યુરો દ્વારા ધારાસભ્યો માટેનું વર્કશોપ યોજાવાનું છે. જેમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા પણ હાજર રહેવાના છે. તે કારણે કેબિનેટની બેઠક એક દિવસ વહેલા એટલે કે આજે મંગળવારે યોજાઈ હતી.


ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનશે


ઋષિકેશ પટેલે કેબિનેટ મિટિંગમાં લેવામાં આવેલા મોટા નિર્ણયો જેવા કે રાજ્ય સરકાર ખાતાકીય પરીક્ષાઓ માટે પોલીસી બનાવશે અને વિલંબ થઈ છે તેવી તમામ સંવર્ગની પરીક્ષાઓ માટે ડેટા તૈયાર થશે. ઝડપી પરીક્ષાનું આયોજન થાય તે માટે અને નિયમિત પરીક્ષા ભવિષ્યમાં લેવાય તે માટે આદેશ અપાયા છે. પ્રમોશન નથી મળ્યા તેવા કર્મચારીઓ માટે માળખું તૈયાર કરવા અંગે વિચાર વિમર્સ થયો છે.


શાળાઓમાં ગુજરાતી અનિવાર્ય


ગુજરાતી ભાષાને લઈ ઋષિકેશ પટેલે જણાવ્યું કે, શાળાઓમાં ગુજરાતી ભાષા ભણાવવા બાબતે સરકાર દ્રઢ સંકલ્પ છે. તેમણે કહ્યું કે ગુજરાતી ભાષા ભણાવાતી ન હોય તેવી શાળાઓ સામે કડક પગલા લેવાશે. ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા આદેશ કરાયો હતો જે બાદ પણ કેટલીક વિદ્યાલયો ન ભણાવતી હોવાની ઘટનાઓ સામે આવી હતી જો કે, હવે સરકારે કડક હાથે કાર્યવાહી કરવાની સરકારે તૈયારી દર્શાવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવા મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી થઈ હતી. આ મામલે હાઈકોર્ટે રાજ્ય સરકારને નોટિસ ફટકારી હતી. વળી આ જ મુદ્દે અગ્રણી સાહિત્યકારો મંત્રી ઋષિકેશ પટેલને મળ્યા હતા અને  રજુઆત કરી હતી. 


માતૃભાષા દિવસની ઉજવણી


રાજ્ય સરકાર માતૃભાષાનું ગૌરવ વધારવા માટે વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરશે. આ મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. જેમાં નિર્ણય લેવાયો કે, ગુજરાતમાં વિશ્વ માતૃ ભાષા દિવસ પર ભવ્ય કાર્યક્રમ યોજાશે. હાથીની અંબાડી પર ગુજરાતી પુસ્તકોની યાત્રા નીકળશે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.