Cadbury Dairy Milk Worm: કેડબરીની ચોકલેટમાંથી ફરી જંતુ નિકળતા હડકંપ, આ વખતે કંપનીએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:26:07

જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્ક  (Cadbury Dairy Milk)ની ચોકલેટમાં ફરી એક કીડો મળી આવ્યો છે. હૈદરાબાદ (Hyderabad)ના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં કીડા(Worm in Cadbury Chocolate)નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચોકલેટમાં એક જીવંતું જંતુ રખડતું જોવા મળે છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જેંચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.


રોબિન જેંચિયસે કરી પોસ્ટ


રોબિન જેંચિયસે વીડિયો શેર કરતા લખ્યું છે કે રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદવામાં આવેલી કેડબરી ચોકલેટમાં કોઈ જંતુ ફરતું જોવા મળ્યું છે. શું આ પ્રોડક્ટની કોઈ ક્વોલિટી તપાસ થાય છે. તેનાથી આરોગ્ય જોખમો માટે કોણ જવાબદાર છે? આ ચોકલેટ માટે રોબિને 45 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. જેંચિયન્સે આ પોસ્ટ 9 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે શેર કરી હતી. ત્યાર બાદ તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


કેડબરી કંપનીએ શું કહ્યું?


કેડબરી ડેરી મિલ્કે આ પોસ્ટ અંગે જવાબ આપતા લખ્યું છે કે મોંડેલેજ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ (કેડબરી ઈન્ડિયા લિમિટેડ) સૌથી ઉચ્ચ ગુણવત્તાના માપદંડો જાળવી રાખવાના પ્રયાસો કરે છે. અમને તે જાણીને દુ:ખ થાય છે કે તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો. તમારી ચિંતાઓના સમાધાન માટે અમારી સાથે વાત કરો.



વધારે વરસાદ પડવાથી સામાન્ય માણસને વધારે ફરક નથી પડતો પરંતુ જગતના તાતની ચિંતા વધી જાય છે જ્યારે વરસાદ જરૂરિયાત કરતા વધારે વરસે અથવા તો ખેતરમાં પાણી ભરાઈ જાય તો.. સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદે તબાહી સર્જી છે. અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે..

આજે ખાડાઓની વાત એટલા માટે કરવી છે કારણ કે સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દારૂ તેમજ ચવાણામાં વેચાઈ જતા મતદારો પર કટાક્ષ કરવામાં આવ્યો છે.

અલગ અલગ રાજ્યોમાંથી મકાનો, બિલ્ડીંગ ધરાશાઈ થવાના સમાચારો સામે આવતા રહે છે.. બિલ્ડીંગ ધરાશાઈ થવાને કારણે અનેક લોકો મોતને ભેટતા હોય છે, ઘાયલ થતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના મુંબઈમાં ત્રણ માળની ઈમારત ધરાશાઈ થઈ ગઈ છે..

ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.