Cadbury Dairy Milk Worm: કેડબરીની ચોકલેટમાંથી ફરી જંતુ નિકળતા હડકંપ, આ વખતે કંપનીએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:26:07

જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્ક  (Cadbury Dairy Milk)ની ચોકલેટમાં ફરી એક કીડો મળી આવ્યો છે. હૈદરાબાદ (Hyderabad)ના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં કીડા(Worm in Cadbury Chocolate)નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચોકલેટમાં એક જીવંતું જંતુ રખડતું જોવા મળે છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જેંચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.


રોબિન જેંચિયસે કરી પોસ્ટ


રોબિન જેંચિયસે વીડિયો શેર કરતા લખ્યું છે કે રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદવામાં આવેલી કેડબરી ચોકલેટમાં કોઈ જંતુ ફરતું જોવા મળ્યું છે. શું આ પ્રોડક્ટની કોઈ ક્વોલિટી તપાસ થાય છે. તેનાથી આરોગ્ય જોખમો માટે કોણ જવાબદાર છે? આ ચોકલેટ માટે રોબિને 45 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. જેંચિયન્સે આ પોસ્ટ 9 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે શેર કરી હતી. ત્યાર બાદ તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


કેડબરી કંપનીએ શું કહ્યું?


કેડબરી ડેરી મિલ્કે આ પોસ્ટ અંગે જવાબ આપતા લખ્યું છે કે મોંડેલેજ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ (કેડબરી ઈન્ડિયા લિમિટેડ) સૌથી ઉચ્ચ ગુણવત્તાના માપદંડો જાળવી રાખવાના પ્રયાસો કરે છે. અમને તે જાણીને દુ:ખ થાય છે કે તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો. તમારી ચિંતાઓના સમાધાન માટે અમારી સાથે વાત કરો.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.