Cadbury Dairy Milk Worm: કેડબરીની ચોકલેટમાંથી ફરી જંતુ નિકળતા હડકંપ, આ વખતે કંપનીએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-02-12 14:26:07

જાણીતી ચોકલેટ કંપની કેડબરી ડેરી મિલ્ક  (Cadbury Dairy Milk)ની ચોકલેટમાં ફરી એક કીડો મળી આવ્યો છે. હૈદરાબાદ (Hyderabad)ના એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર કેડબરી ચોકલેટમાં કીડા(Worm in Cadbury Chocolate)નો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે વ્યક્તિએ હાથમાં ચોકલેટ પકડેલી છે. પેકેટ ખોલતાની સાથે જ ચોકલેટની પાછળ એક કીડો દેખાય છે. ચોકલેટમાં એક જીવંતું જંતુ રખડતું જોવા મળે છે. આ વ્યક્તિએ શહેરના એક મેટ્રો સ્ટેશન પરથી આ ચોકલેટ ખરીદી હતી. આ વ્યક્તિનું નામ રોબિન જેંચિયસ છે. રોબિને આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લગભગ એક લાખ લોકો જોઈ ચૂક્યા છે. લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.


રોબિન જેંચિયસે કરી પોસ્ટ


રોબિન જેંચિયસે વીડિયો શેર કરતા લખ્યું છે કે રત્નદીપ મેટ્રો અમીરપેટથી ખરીદવામાં આવેલી કેડબરી ચોકલેટમાં કોઈ જંતુ ફરતું જોવા મળ્યું છે. શું આ પ્રોડક્ટની કોઈ ક્વોલિટી તપાસ થાય છે. તેનાથી આરોગ્ય જોખમો માટે કોણ જવાબદાર છે? આ ચોકલેટ માટે રોબિને 45 રૂપિયા જેટલો ખર્ચ કર્યો હતો. જેંચિયન્સે આ પોસ્ટ 9 ફેબ્રુઆરી એટલે કે શુક્રવારે શેર કરી હતી. ત્યાર બાદ તેની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.


કેડબરી કંપનીએ શું કહ્યું?


કેડબરી ડેરી મિલ્કે આ પોસ્ટ અંગે જવાબ આપતા લખ્યું છે કે મોંડેલેજ ઈન્ડિયા ફૂડ્સ પ્રાઈવેટ લિમિટેડ (કેડબરી ઈન્ડિયા લિમિટેડ) સૌથી ઉચ્ચ ગુણવત્તાના માપદંડો જાળવી રાખવાના પ્રયાસો કરે છે. અમને તે જાણીને દુ:ખ થાય છે કે તમને આ ખરાબ અનુભવનો સામનો કરવો પડ્યો. તમારી ચિંતાઓના સમાધાન માટે અમારી સાથે વાત કરો.



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.