કોલકાત્તા હાઈકોર્ટે રિપબ્લિક બાંગ્લા'ના પત્રકારને આપ્યા જામીન, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-22 18:09:15

કોલકાત્તા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે 'રિપબ્લિક બાંગ્લા'ના પત્રકાર સન્તુ પાનને જામીન આપ્યા છે. પંશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના થઈ રહેલા જાતિય શોષણ મુદ્દે રિપોર્ટિંગ કરી રહેલા સન્તુ પાનની લાઈવ કેમેરા સામે બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે રિપબ્લિક તરફથી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે સન્તુ પાનની ધરપકડ બાદ દેશભરમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 


શું છે સમગ્ર મામલો?


પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક મહિનાથી માહોલ ગરમ છે. ટીએમસી નેતા શાહજહા શેખ તેના સાથીદારો શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિતના લોકો પર આરોપ છે કે કે સુંદર મહિલાઓને ઘરેથી ઉપાડીને ટીએમસીની સ્થાનિક ઓફિસ લઈ આવતા હતા અને તેમનું જાતિય શોષણ કરતા હતા. આ મહિલાઓને બંદી બનાવી રાખતા હતા. રાષ્ટ્રિય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ આ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ મહિલાઓ તરફથી ફરિયાદ નોંધાવી હતી. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.