કોલકાત્તા હાઈકોર્ટે રિપબ્લિક બાંગ્લા'ના પત્રકારને આપ્યા જામીન, જાણો શું છે સમગ્ર મામલો


  • Published By :
  • Published Date : 2024-02-22 18:09:15

કોલકાત્તા હાઈકોર્ટે સીએમ મમતા બેનર્જીને મોટો ઝટકો આપ્યો છે, કોર્ટે 'રિપબ્લિક બાંગ્લા'ના પત્રકાર સન્તુ પાનને જામીન આપ્યા છે. પંશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓના થઈ રહેલા જાતિય શોષણ મુદ્દે રિપોર્ટિંગ કરી રહેલા સન્તુ પાનની લાઈવ કેમેરા સામે બંગાળ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે રિપબ્લિક તરફથી સિનિયર એડવોકેટ મહેશ જેઠમલાણીએ કોર્ટમાં દલીલો કરી હતી. ઉલ્લેખનિય છે કે સન્તુ પાનની ધરપકડ બાદ દેશભરમાં પત્રકારોએ વિરોધ પ્રદર્શનો કર્યા હતા. 


શું છે સમગ્ર મામલો?


પશ્ચિમ બંગાળના 24 પરગણા જિલ્લામાં આવેલા સંદેશખાલીમાં છેલ્લા એક મહિનાથી માહોલ ગરમ છે. ટીએમસી નેતા શાહજહા શેખ તેના સાથીદારો શિબૂ હાજરા અને ઉત્તમ સરદાર સહિતના લોકો પર આરોપ છે કે કે સુંદર મહિલાઓને ઘરેથી ઉપાડીને ટીએમસીની સ્થાનિક ઓફિસ લઈ આવતા હતા અને તેમનું જાતિય શોષણ કરતા હતા. આ મહિલાઓને બંદી બનાવી રાખતા હતા. રાષ્ટ્રિય મહિલા આયોગ (NCW)ની અધ્યક્ષ રેખા શર્માએ આ વિસ્તારોનો પ્રવાસ કર્યો હતો અને પોલીસ સ્ટેશનમાં આ મહિલાઓ તરફથી ફરિયાદ નોંધાવી હતી. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .