વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ અને 2027ની ચૂંટણી માટે શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-06 16:42:22

ગેનીબેન ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે.. પોતાના નિવેદનોને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે... ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.. ગેનીબેન ઠાકોરની જીત થતાં આ બેઠક ખાલી પડી અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... 13 નવેમ્બરે આ બેઠક માટે મતદાન થવાનું છે અને ચૂંટણી જીતવા માટે પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે... ગેનીબેન ઠાકોર સતત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે... ત્યારે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ માટે આશાવાદ આ બેઠકથી જાગશે તેવી વાત કરી હતી...

ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર 

ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે.. એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસની સરકાર નથી આવી જવાની અને નથી તો ભાજપની સરકારને ફેર પડવાનો.. પરંતુ આ એક બેઠકથી 2027માં કોંગ્રેસનો પવન ફૂંકાશે.. તે ઉપરાંત મુખ્યમંત્રી તેમજ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.. 



આ વખતે વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ

કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે વાવ વિધાનસભાને કારણે કોંગ્રેસમાં એક આશા જીવંત છે.... વાવમાં પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા જેને કારણે કોંગ્રેસને મનોબળ મળી રહેતું હતું... આ વખતે ત્યાં ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુત છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે... તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે.. ત્રણેય ઉમેદવાર પોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે... પ્રચાર માટે જ્યારે નેતાઓ જાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે..ગેનીબેન ઠાકોર સતત ગુલાબસિંહ રાજપુત માટે પ્રચાર કરી રહ્યા છે... ઠાકોર સમાજને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે મતદાન કોંગ્રેસના તરફેણમાં કરજો.. ત્યારે જોવું રહ્યું કે વાવ વિધાનસભાના મતદાતા કોના પર વિજયનો તાજ પહેરાવે છે.. 



થોડાક સમય પેહલા ઈરાને કતારમાં આવેલા અમેરિકન બેઝીઝ પર મિસાઈલ દ્વારા અટેક કર્યો છે. તે પછી ઘણાબધા અખાતી દેશોએ પોતાની એરસ્પેસ બંધ કરી દેવી પડી છે . આ પછી ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે શાંતિકરારો માટે ઓફર કરી છે. ઈઝરાઈલે તો અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના સીઝફાયરના એલાન પર સેહમતી આપી દીધી છે.પરંતુ ઈરાન હજુ પણ માનવા તૈયાર નથી

૧૮મી જૂન આજના દિવસે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળવાના છે. આ માટે વ્હાઇટહાઉસ દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પનો એક કાર્યક્રમ બહાર પાડવામાં આવ્યો છે. પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીર હાલમાં અમેરિકાની મુલાકાતે છે. વ્હાઇટ હાઉસે આ માટે ૧૮મી જૂનના દિવસે આખો કાર્ય્રક્રમ જાહેર કર્યો છે .

ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.