વાવ બેઠકની પેટા ચૂંટણીને લઈ પ્રચારનો ધમધમાટ, ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ અને 2027ની ચૂંટણી માટે શું કહ્યું? સાંભળો


  • Published By :
  • Published Date : 2024-11-06 16:42:22

ગેનીબેન ઠાકોર છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે.. પોતાના નિવેદનોને કારણે તેમની ચર્ચાઓ થતી રહે છે... ગેનીબેન ઠાકોરને લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા.. ગેનીબેન ઠાકોરની જીત થતાં આ બેઠક ખાલી પડી અને આ બેઠક પર પેટા ચૂંટણી યોજાવાની છે... 13 નવેમ્બરે આ બેઠક માટે મતદાન થવાનું છે અને ચૂંટણી જીતવા માટે પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે... ગેનીબેન ઠાકોર સતત કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે... ત્યારે પ્રચાર દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ માટે આશાવાદ આ બેઠકથી જાગશે તેવી વાત કરી હતી...

ગેનીબેન ઠાકોર કરી રહ્યા છે ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર 

ગેનીબેન ઠાકોર ગુલાબસિંહ રાજપુતનો પ્રચાર કરી રહ્યા છે.. એક પ્રચાર કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે જણાવ્યું હતું કે વાવ વિધાનસભા બેઠકથી કોંગ્રેસની સરકાર નથી આવી જવાની અને નથી તો ભાજપની સરકારને ફેર પડવાનો.. પરંતુ આ એક બેઠકથી 2027માં કોંગ્રેસનો પવન ફૂંકાશે.. તે ઉપરાંત મુખ્યમંત્રી તેમજ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.. 



આ વખતે વાવ બેઠક પર જામશે ત્રિ પાંખીયો જંગ

કોંગ્રેસ માટે એવું કહેવાય છે કે વાવ વિધાનસભાને કારણે કોંગ્રેસમાં એક આશા જીવંત છે.... વાવમાં પહેલા કોંગ્રેસના ધારાસભ્ય હતા જેને કારણે કોંગ્રેસને મનોબળ મળી રહેતું હતું... આ વખતે ત્યાં ત્રિ પાંખીયો જંગ જામવાનો છે.. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપુત છે તો ભારતીય જનતા પાર્ટી તરફથી સ્વરૂપજી ઠાકોરને ટિકીટ આપવામાં આવી છે... તેમજ અપક્ષ ઉમેદવાર તરીકે માવજી ચૌધરી પણ મેદાનમાં ઉતર્યા છે.. ત્રણેય ઉમેદવાર પોતાનું શક્તિપ્રદર્શન કરી રહ્યા છે... પ્રચાર માટે જ્યારે નેતાઓ જાય છે ત્યારે મોટી સંખ્યામાં લોકો હાજર રહે છે..ગેનીબેન ઠાકોર સતત ગુલાબસિંહ રાજપુત માટે પ્રચાર કરી રહ્યા છે... ઠાકોર સમાજને મનાવાની કોશિશ કરી રહ્યા છે કે મતદાન કોંગ્રેસના તરફેણમાં કરજો.. ત્યારે જોવું રહ્યું કે વાવ વિધાનસભાના મતદાતા કોના પર વિજયનો તાજ પહેરાવે છે.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.