શું BJP 400ના લક્ષ્યાંકને પાર કરી શકશે? સાંભળો શું કહ્યું Navsariના યુવાને જ્યારે Jamawat Election Yatra પહોંચી હતી નવસારી


  • Published By :
  • Published Date : 2024-05-03 12:45:03

ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે... આ વખતે પણ 26 બેઠક ભાજપને જાય અને પાંચ લાખની લીડ સાથે જીત થાય તે ઈરાદા સાથે ભાજપ આગળ વધી રહી છે...મતદાન કરવા જતા પહેલા લોકો આ ચૂંટણીને કઈ રીતે જોવે છે, કયા મુદ્દાઓની અસર તેમને થાય છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે.. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી નવસારી અને ત્યાંના યુવાનો સાથે વાત કરી હતી.. 

ચૂંટણીને લઈ શું વિચારે છે ભારતની યુવા પેઢી

જમાવટની ઈલેક્શ યાત્રા મતદાતાઓ સાથે વાતચીત કરતી હોય છે અને તેમના મુદ્દાઓને જાણવાની કોશિશ કરતી હોય છે...દેશના ભાવિ આ ચૂંટણીને લઈ શું વિચારે છે, રાજકીય પાર્ટીને લઈ શું વિચારે છે તે જાણવા માટે ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે ટીમે વાત કરી હતી... યુવાનો દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી, વાત સાંભળી તમને થશે કે વાત સાચી છે. કોઈ યુવાનો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં બોલ્યા તો કોઈએ કહ્યું કે આપણે ત્યાં ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ... 


કોણ છે નવસારી બેઠકના ઉમેદવાર? 

નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સી.આર.પાટીલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.. ત્યાં હાજર એક યુવાને વાત કરી કે આપણે ઉમેદવારને જોઈ વોટ નથી આપતા પરંતુ પાર્ટીને જોઈ વોટ આપીએ છીએ.. ઉમેદવારને જોઈ વોટ કરવો જોઈએ કારણ કે તમારા વિસ્તાર માટે તે કામ કરવાના છે.....! 


દિલ્હીની રાજનીતિ વિશે યુવાને કહ્યું કે.. 

ઈન્ડિયા ગઠબંધનને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે સારો કેન્ડીડેટ નથી... એક યુવાને રાજસ્થાન અને દિલ્હીના રાજકારણની વાત કરી.. દિલ્હી માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેનો ફાયદો કદાચ આપને થઈ શકે, પરંતુ કંઈ કહેવાય નહીં..! જ્યારે બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નવસારીમાં વિકાસ થયો છે.. 


રોજગારીને લઈ યુવાને કહ્યું કે...  

વધારે એક મતદાતાને પૂછવામાં આવ્યું કે રોજગારી મળે છે તો તેમણે કહ્યું કે રોજગારી મળે છે... સરકાર તો ભાજપની જ બનશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અલગ અલગ મુદ્દાઓ પર યુવાનોએ વાત કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે નવસારી બેઠક પર કયા ઉમેદવારની જીત થાય છે...   




લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.