શું BJP 400ના લક્ષ્યાંકને પાર કરી શકશે? સાંભળો શું કહ્યું Navsariના યુવાને જ્યારે Jamawat Election Yatra પહોંચી હતી નવસારી


  • Published By :
  • Published Date : 2024-05-03 12:45:03

ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે... આ વખતે પણ 26 બેઠક ભાજપને જાય અને પાંચ લાખની લીડ સાથે જીત થાય તે ઈરાદા સાથે ભાજપ આગળ વધી રહી છે...મતદાન કરવા જતા પહેલા લોકો આ ચૂંટણીને કઈ રીતે જોવે છે, કયા મુદ્દાઓની અસર તેમને થાય છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે.. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી નવસારી અને ત્યાંના યુવાનો સાથે વાત કરી હતી.. 

ચૂંટણીને લઈ શું વિચારે છે ભારતની યુવા પેઢી

જમાવટની ઈલેક્શ યાત્રા મતદાતાઓ સાથે વાતચીત કરતી હોય છે અને તેમના મુદ્દાઓને જાણવાની કોશિશ કરતી હોય છે...દેશના ભાવિ આ ચૂંટણીને લઈ શું વિચારે છે, રાજકીય પાર્ટીને લઈ શું વિચારે છે તે જાણવા માટે ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે ટીમે વાત કરી હતી... યુવાનો દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી, વાત સાંભળી તમને થશે કે વાત સાચી છે. કોઈ યુવાનો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં બોલ્યા તો કોઈએ કહ્યું કે આપણે ત્યાં ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ... 


કોણ છે નવસારી બેઠકના ઉમેદવાર? 

નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સી.આર.પાટીલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.. ત્યાં હાજર એક યુવાને વાત કરી કે આપણે ઉમેદવારને જોઈ વોટ નથી આપતા પરંતુ પાર્ટીને જોઈ વોટ આપીએ છીએ.. ઉમેદવારને જોઈ વોટ કરવો જોઈએ કારણ કે તમારા વિસ્તાર માટે તે કામ કરવાના છે.....! 


દિલ્હીની રાજનીતિ વિશે યુવાને કહ્યું કે.. 

ઈન્ડિયા ગઠબંધનને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે સારો કેન્ડીડેટ નથી... એક યુવાને રાજસ્થાન અને દિલ્હીના રાજકારણની વાત કરી.. દિલ્હી માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેનો ફાયદો કદાચ આપને થઈ શકે, પરંતુ કંઈ કહેવાય નહીં..! જ્યારે બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નવસારીમાં વિકાસ થયો છે.. 


રોજગારીને લઈ યુવાને કહ્યું કે...  

વધારે એક મતદાતાને પૂછવામાં આવ્યું કે રોજગારી મળે છે તો તેમણે કહ્યું કે રોજગારી મળે છે... સરકાર તો ભાજપની જ બનશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અલગ અલગ મુદ્દાઓ પર યુવાનોએ વાત કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે નવસારી બેઠક પર કયા ઉમેદવારની જીત થાય છે...   




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.