શું BJP 400ના લક્ષ્યાંકને પાર કરી શકશે? સાંભળો શું કહ્યું Navsariના યુવાને જ્યારે Jamawat Election Yatra પહોંચી હતી નવસારી


  • Published By :
  • Published Date : 2024-05-03 12:45:03

ગુજરાતની 26એ 26 લોકસભા બેઠક ભારતીય જનતા પાર્ટી પાસે છે... આ વખતે પણ 26 બેઠક ભાજપને જાય અને પાંચ લાખની લીડ સાથે જીત થાય તે ઈરાદા સાથે ભાજપ આગળ વધી રહી છે...મતદાન કરવા જતા પહેલા લોકો આ ચૂંટણીને કઈ રીતે જોવે છે, કયા મુદ્દાઓની અસર તેમને થાય છે તે જાણવાની કોશિશ જમાવટની ટીમ કરી રહી છે.. જમાવટની ઈલેક્શન યાત્રા પહોંચી હતી નવસારી અને ત્યાંના યુવાનો સાથે વાત કરી હતી.. 

ચૂંટણીને લઈ શું વિચારે છે ભારતની યુવા પેઢી

જમાવટની ઈલેક્શ યાત્રા મતદાતાઓ સાથે વાતચીત કરતી હોય છે અને તેમના મુદ્દાઓને જાણવાની કોશિશ કરતી હોય છે...દેશના ભાવિ આ ચૂંટણીને લઈ શું વિચારે છે, રાજકીય પાર્ટીને લઈ શું વિચારે છે તે જાણવા માટે ક્રિકેટ રમી રહેલા યુવાનો સાથે ટીમે વાત કરી હતી... યુવાનો દ્વારા અનેક મુદ્દાઓ પર વાત કરવામાં આવી, વાત સાંભળી તમને થશે કે વાત સાચી છે. કોઈ યુવાનો ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં બોલ્યા તો કોઈએ કહ્યું કે આપણે ત્યાં ઉમેદવારને જોઈને વોટ આપવો જોઈએ... 


કોણ છે નવસારી બેઠકના ઉમેદવાર? 

નવસારી બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સી.આર.પાટીલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.. જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત નૈષેદ દેસાઈને ટિકીટ આપવામાં આવી છે.. ત્યાં હાજર એક યુવાને વાત કરી કે આપણે ઉમેદવારને જોઈ વોટ નથી આપતા પરંતુ પાર્ટીને જોઈ વોટ આપીએ છીએ.. ઉમેદવારને જોઈ વોટ કરવો જોઈએ કારણ કે તમારા વિસ્તાર માટે તે કામ કરવાના છે.....! 


દિલ્હીની રાજનીતિ વિશે યુવાને કહ્યું કે.. 

ઈન્ડિયા ગઠબંધનને લઈ જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે વિપક્ષ પાસે સારો કેન્ડીડેટ નથી... એક યુવાને રાજસ્થાન અને દિલ્હીના રાજકારણની વાત કરી.. દિલ્હી માટે કહ્યું કે અરવિંદ કેજરીવાલ હાલ જેલમાં છે તેનો ફાયદો કદાચ આપને થઈ શકે, પરંતુ કંઈ કહેવાય નહીં..! જ્યારે બીજા એક યુવાનને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નવસારીમાં વિકાસ થયો છે.. 


રોજગારીને લઈ યુવાને કહ્યું કે...  

વધારે એક મતદાતાને પૂછવામાં આવ્યું કે રોજગારી મળે છે તો તેમણે કહ્યું કે રોજગારી મળે છે... સરકાર તો ભાજપની જ બનશે તેવી વાત તેમના દ્વારા કરવામાં આવી છે... અલગ અલગ મુદ્દાઓ પર યુવાનોએ વાત કરી હતી.. ત્યારે જોવું રહ્યું કે નવસારી બેઠક પર કયા ઉમેદવારની જીત થાય છે...   




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .