કેનેડાએ ભારતમાં મુસાફરી કરી રહેલા નાગરિકોને સરહદી રાજ્યોમાં ન જવાની આપી સલાહ ..


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-28 17:29:28

કેનેડાએ ભારતમાં મુસાફરી કરી રહેલા નાગરિકોને પંજાબ, રાજસ્થાન, ગુજરાત જેવા પ્રદેશમાં ના જવાની સલ્હા આપી . કેનેડા સરકારે તેમના નાગરિકો ને સરહદી રાજ્યમાં જવાની ના પાડી કેનેડાએ તેના નાગરિકોને જાહેર કરેલી એડવાઈઝરીમાં કહ્યું છે કે, પાકિસ્તાનની સરહદથી 10 કિલોમીટર સુધીના વિસ્તારોમાં જાવ. ગુજરાત, રાજસ્થાન અને પંજાબના વિસ્તારો લેન્ડમાઈન અને વિસ્ફોટકો માટે સંવેદનશીલ છે. અહીં સુરક્ષા માટે ગંભીર ખતરો હોઈ શકે છે. કેનેડાની સલાહ ચોંકાવનારી છે.

 

શું કહ્યું કેનેડા અડવાઇઝરીએ ?

કેનેડામાં નફરતના અપરાધની સંભાવનાને લઈને સરકાર દ્વારા ભારતીયોને આપવામાં આવેલી સલાહના જવાબમાં પગલું લેવામાં આવ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે.  કેનેડા સરકારના નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે. કેનેડાએ પોતાની એડવાઈઝરીમાં કહ્યું છે કે, ભારતના દરેક વિસ્તારમાં આતંકવાદી હુમલાનો ખતરો છે. જોકે લદ્દાખને તેમાંથી બહાર રાખવામાં આવ્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .